________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જ્ઞાને મોક્ષ:
જેઓ આશાને પોતાની દાસી બનાવે છે, તે જગતને જીતી શકે છે જેઓ આશાના દાસ બને છે, તેને જગત જીતી શકે છે.
આપણી પાસે જે જ્ઞાન અને અનુભવ ન હોય, તે આપણે ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ, પણ જ્ઞાન મિળવીને ઇચ્છાને આપણે ગુલામડી બનાવવાની છે.
ઈચ્છાને દબાવવાની નથી, પણ જ્ઞાનથી ઈચ્છાને દાસ બનાવવાની છે. ઈચ્છાને સમજવાની છે અને તેને સમજાવવાની છે તેથી આત્મકલ્યાણને માર્ગ સરળ બની શકે.
પાંચ ઇંદ્રિયના વિષયથી તથા કષાયથી ઈચ્છા આપણા પર શાસન ચલાવે છે. જો દૂધપાકમાં જરાક વિષ પડી જાય તે તે દૂધપાક વિષમય બની જાય છે અને તેવા દૂધપાકને આપણે સ્પર્શતા નથી. તે પ્રમાણે સંસારમાં વિષયે વિષ કરતાં અતિ ભયંકર છે, અને જે તે વિષયે આપણને વિષ જેવા લાગી જાય, તે આપણને વિષયે પ્રતિ તિરસ્કાર છૂટે. વિષયમાં ડૂબવાથી અનંત કાળ ડુબી જાય છે, પરંતુ તે અંગેની જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે સંસારમાં તરી જવાય છે.
For Private And Personal Use Only