________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* કાર્તિકી પૂર્ણિમા
આજનો દિવસ ત્રણ મંગળ વાતે લઈને આવે છે, આજે ભક્તો પ્રભુને ભેટીને પિતાનું જીવન શુદ્ધ બનાવે છે, પવિત્ર અને મંગળ બનાવે છે. જેમ કપડાં ધોવા માટે સાબુ, વાસણ શુદ્ધ કરવા આંબલી, તેમ હૃદયને ધનાર પ્રભુની વાણી છે. હૃદય ત્રણ તત્ત્વોથી શુદ્ધ બને છે. ત્યાગ, જ્ઞાન અને ભક્તિ .
આજે પૂર્ણિમાના દિવસે અનેક ભક્તગણ પ્રભુને ભેટવા ઉલ્લાસપૂર્વક શત્રુજ્ય ગિરિ ચઢતા હશે. સવારના ચાર વાગે તે તળેટી પર જે ઉલ્લાસ ઉત્સાહ, ઉમંગ નજરે પડે છે. તે જોઈને આબાલ વૃદ્ધને ભક્તિ ભાવના જોઈને કોઈ પણ સહૃદયી ગદ્ગદિત થઈ જાય છે. આ છે આજનું એક પરમ મંગળ તત્વઃ ગિરિરાજની સ્પર્શના. સિદ્ધાચળની યાત્રા એટલે સિદ્ધશીલાની યા, જ્યાં અનંતાનંત પુણ્યાત્માઓ પરમ પદ પામ્યા છે, જ્યાંના પુદ્ગલ પવિત્ર, મંગળ, શુદ્ધ છે, તે કોઈ પણ આત્માને ઊર્ધ્વગામી બનાવે છે
બીજું મંગળમય તત્વ છે : ગુરુભગવંતેને વિહાર સાધુઓ ગંગાપ્રવાહ જેવા છે. સાધુઓ મુક્ત વિહારી છે. પાણી એક ખાચિયું બની જાય તે તે ગંધાઈ ઉઠે છે. સાધુઓ સરિતા જેવા છે. તેઓ સરિતાની માફક પિતાના કાંઠાને-પને પલવિત કરે છે. સાધુસંતોને સમાગમ આત્મ
२४
For Private And Personal Use Only