________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
થાય તે આનંદ થાય. તેથી પ્રસન્નતા પ્રગટે. તેથી જ કહ્યું છે કે “પ્રભુની પૂજાનું ફળ એટલે ચિત્તની પ્રસન્નતા.
આ માટે જ્ઞાનીની દષ્ટિ જેમાં પ્રેમનાં અમી ભરેલ છે, તે ઉપકારક ને કલ્યાણકારી નીવડે છે. આ અમીભરી દષ્ટિ આત્માની વિચારણા કરાવે છે. તે માટે ચિંતન, સંયમ અને સાધના સહાયભૂત થાય છે. આત્માનું સુખ અમી દષ્ટિ અપાવે છે. દષ્ટિના પાયાને મજબૂત કરવાને છે.
ક્યાં જવું છે, તે પહેલાં નક્કી કરીને જ પછી ચાલવાનું શરૂ કરવાનું છે. એક વાર ચિંતનની કેડી લાધી પછી ધર્મ પાથેય સાથે લઈને આત્માએ પ્રયાણ કરવાનું છે. તે પ્રયાણ પ્રભાવશાળી, પ્રતાપશાળી, પ્રેમમય અને પ્રસન્નતાપૂર્ણ હશે અને તે પ્રમાણુ પરમાત્માની ઝાંખી કરાવશે. અને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહેશે. આ માટે જ આત્માની ઓળખાણ આવશ્યક છે. તેની ઓળખ થઈ કે પછી જીવનમાં અવગતિની ઓટ આવવી અશક્ય બનશે અને ભરતીના ભવ્ય ભાવ સાથે ધ્યેયપ્રાપ્તિ થશે.
For Private And Personal Use Only