________________
૧૪૪
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
ચારસંધ્યા, મહાપડવા, મહામહ વગેરેમાં પણ અસ્વાધ્યાય
કહ્યો છે.
ચંદ્રગ્રહણ–ચ દ્રવિમાનની નીચે રાહુનુ વિમાન આવવાથી ચંદ્રના પ્રકાશ ઝાંખા પડેતે ચંદ્રગ્રહણ કહેવાય. સૂર્યના વિમાનની નીચે રાહુનું વિમાન આવી જાય ત્યારે સૂર્ય ગ્રહણુ કહેવાય. રાહુનું વિમાન જેટલા સમય સુધી ચંદ્ર કે સૂર્યના વિમાન નીચે રહે તેટલા સમય સુધીનું ગ્રહણ કહેવાય છે.
ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પ્રહર અસ્વાધ્યાય અને જઘન્ય અસઝાય આઠ પ્રહરની, તે આ પ્રમાણે ઉગતો ચંદ્ર ગ્રહેશુ થયેા હોય તો તે રાત્રીના ચાર પ્રહર અને ખીજા દિવસના ચાર પ્રહર મળી આઠ પ્રહર અસજ્ઝાય. સવારે ગ્રહણ થાય અને ગ્રહણ સહિત ચંદ્ર અસ્ત પામે તો તે પછીને દિવસ અને રાત્રી, અને ખીજા દિવસની સાંજ સુધી ખાર પ્રહર અસજ્ઝાય થાય, અથવા ઉત્પાતથી આખી રાત્રી ગ્રહણ રહે અને ચંદ્ર અસ્ત પામે તો, તે રાત્રી ખીજો દિવસ રાત્રી મળીને ખાર પ્રહર, અથવા તો વાદળ હોવાને લીધે ચંદ્ર દેખાય નહિ ત્યારે ગ્રહણ કથારે થયું તેની ખબર નહિ પડવાથી તે આખી રાત્રી અને બીજો દિવસ અને રાત્રી મળી ઉત્કૃષ્ટ બાર પ્રહરની અસજ્ઝાય થાય. પણ જો સ્પષ્ટ ગ્રહણ દેખાયું હોય તો ત્યારથી ખીજા દિવસને ચંદ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણુવે. આ પ્રમાણે સિદ્ધાન્તિક મત કહ્યો. બીજા આચાર્યાંના મતે આચરણા એવી છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org