________________
- પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ના સંકલન-સંપાદનની વેળાએ પ્રાકૃકથત
સર્વસંગના ત્યાગરૂપ પ્રવ્રજયાના ગ્રહણકાળમાં મુમુક્ષુમાં સામાયિકચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે, અને ત્યારપછી તે નવદીક્ષિત સાધુ પ્રતિદિનક્રિયાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરી કરીને સંપન્ન થાય ત્યારે તેને પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરવારૂપ છેદોપસ્થાપનીયચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે અને તે પંચમહાવ્રતોનું પાલન કરવા માટે સાધુને ગુરુકુલવાસ, ગચ્છવાસ આદિ ૧૧ વસ્તુઓ અતિઉપકારક છે. આથી ગ્રંથકાર સૂરિપુરંદર પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પ્રથમ “પ્રવ્રજ્યાવિધાન’ વસ્તુનું અને દ્વિતીય ‘પ્રતિદિનક્રિયા' વસ્તુનું પ્રરૂપણ કર્યા પછી તૃતીય ઉપસ્થાપના’ વસ્તુનું પ્રરૂપણ કરેલ છે, જેનું વિવેચન પ્રસ્તુત ભાગ-૩માં કરવામાં આવેલ છે.
આ પંચવસ્તક પ્રકરણ ભાગ-૪'માં ‘વ્રતઉપસ્થાપના નામની ત્રીજી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે.
જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજયશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે.
સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક
સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યા, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજય શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org