Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩]
ભોગશિક લક્ષણો
[૧
ડુંગર ૮૪૭ મીટર (૨,૭૯ ફૂટ) ઊંચા છે, જ્યારે ભેસલા ડુંગર ૬૯૮ મીટર (૨,૨૯૦ ફૂટ) ઊંચા છે. આ ગિરિની ખીણમાં અગાઉ ગિરિનગર વસેલું; ને હાલ નજીકમાં જૂનાગઢ વસેલું છે. આ ડુંગરા જાતજાતનાં વૃક્ષેાની ઝાડીએથી છવાયેલા
આ ડુંગરાની દક્ષિણે જતી પ°તમાળા પૂર્વ તરફ ૪૮ કિ. મી. (૩૦ માઈલ) સુધી લંબાઈ તે અમરેલી જિલ્લાના મેદાનમાં મળી જાય છે. આ ઉચ્ચ પ્રદેશ જગઢથી છવાયેલા છે; એ ગીર તરીકે ઓળખાય છે. એમાં સહુથી ઊંચી ટેકરી સાકરલાની છે, જે ૬૪૦ મીટર (૨,૧૦૦ ફૂટ) ઊંચી છે. આ પ્રદેશ ૬૪ કિ. મી. (૪૦ માઈલ) લાંખા અને ૩૨ કિ. મી. (૨૦ માઇલ) પહેાળા છે. એના વિસ્તાર ૧,૨૫૭.૪૪ ચેા. કિ. મી. (૪૮૫.૫ ચેા. માઈલ) જેટલા છે. ગીરનાં જંગલ વનરાજ સિંહની વસ્તી માટે જાણીતાં છે. હાલ એશિયામાં સિંહની વસ્તી અહી જ રહેલી છે. ગીર પ્રદેશની પૂર્વે નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશ આવેલા છે ત્યાંના ડુંગર મારધારના ડુંગર કહેવાય છે. છૂટક છૂટક ડુંગરા-રૂપે ઉત્તરપૂર્વ તરફ જતી એ હાર શેત્રુંજી નદીની પાર આગળ વધી શિહેારની પડેાશમાં જમીન સરસી થઈ જાય છે. એમાં શેત્રુંજાનેા ડુંગર આવેલા છે તે ૬૦૦ મીટર (૧,૯૭૦ ફૂટ) ઊંચા છે. ત્યાં જૈતાનું માટું તી ધામ છે. એની તળેટીમાં પાલીતાણા વસેલુ છે. લાચને ડુંગર ૬૧૦ મીટર (૨,૦૦૦ ફૂટ) ઊંચા છે. આ ડુંગરામાં આછી આછી ઝાડીઓ છે. તળાજા અને સાણાના ડુંગરામાં ગુફાએ કચેલી છે. તુલસીશ્યામના ડુ ંગર પર ઊના પાણીનાં ઝરણુ છે. શિહેાર પાસેના ડુંગર ૨૭૪ મીટર (૯૦૦ ફૂટ) ઊંચા છે.૧૭ સૌરાષ્ટ્રમાં ગિરનાર અને ગીરના પ્રદેશમાં વરસાદ સહુથી વધુ પડે છે. અહીંના લેાકેા ઢોરઢાંખર ઉછેરવાના ધંધા કરે છે. માલધારીઓ અને એમનાં દ્વાર ઘણાં કદાવર અને જોરાવર હોય છે.
.
કચ્છમાં મોટા પ તા કે ડુંગરો નથી, પણ નાના ડુંગરાની ત્રણ પૂર્વપશ્ચિમ હાર આવેલી છે; અને ધાર' કહે છે. મેટા રણના બેટા પચ્છમ, ખડીર અને પ્રાંથડમાં થઈ ચાલી જાય છે તે ઉત્તર ધાર' કહેવાય છે. એમાં ખાવડાના કાળા ડુંગર સહુથી ઊઁચા છે; એ ૪૩૬ મીટર (૧૬૪૪૦ ફૂટ) ઊંચા છે. મધ્ય ધાર તળ-કચ્છની ઉત્તર હદ પર આવેલી છે. એ લખપત, નખત્રાણા, ભૂજ, ભચાઉ અને રાપર તાલુકામાં વિસ્તરેલી છે. નખત્રાણા તાલુકામાં આવેલ ધિણાધર ડુંગર (૩૮૬ મીટર=૧,૨૬૮ ફૂટ) એમાં સહુથી ઊંચા છે;૧૮ એમાં ધરતીકંપ કે એવા કાઈ કારણે લગભગ પૂર્વપશ્ચિમ પ મીટરથી લઈ પંદરેક મીટર જેટલી