Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૨/૪)]
૩૫
ઇમ નર-નારકાદિકદ્રવ્ય જીવદ્રવ્યનો પણિ વિશેષ જાણવો. એ સર્વ નૈગમનયનું મત. ર શુદ્ધસંગ્રહનયનઈં મતě તો સદદ્વૈતવાદઈ એક જ દ્રવ્ય આવઈં તે જાણવું.૮ ॥૨/૪૫ સુ
परामर्शः
ऊर्ध्वसामान्यशक्तिः सा पूर्वाऽपरगुणादिकम् ।
पिण्डादिकं प्रकुर्वाणा विविधं मृदिव स्थिरा ।।२/४ ।।
J ઊર્ધ્વતાસામાન્યનો વિચાર જી
21
શ્લોકાર્થ :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ શક્તિ તે કહેવાય છે કે જે પૂર્વાપર વિવિધ ગુણાદિને ઉત્પન્ન કરવા છતાં સ્થિર હોય છે. જેમ કે વિવિધ મૃતપિંડાદિ આકારને ઉત્પન્ન કરતી સ્થિર માટી. (૨/૪) આ # ઊર્ધ્વતાસામાન્યનો ઉપયોગ
આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યના આકાર-અવસ્થા-દશા બદલાય તો પણ દ્રવ્ય પોતાના મૂળભૂતસ્વરૂપે બદલાતું નથી. ઊર્ધ્વતાસામાન્ય આ હકીકતને દર્શાવે છે. આ વાત સતત સાધકની નજર સામે હોય 24 તો અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુ:ખ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, માન-અપમાન, ચડતી-પડતી આદિ અનેક અવસ્થામાં પણ અપરિવર્તનશીલ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી રતિ-અરતિના
કે રાગ-દ્વેષના તોફાનમાં તણાવાના બદલે કે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે શુદ્ધ યો સમત્વયોગમાં સાધક આરૂઢ થાય છે. તેનાથી દશવૈકાલિકનિર્યુક્તિહારિભદ્રી વૃત્તિમાં દર્શાવેલ આઠેય પ્રકારના કર્મબંધનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૨/૪)
♦ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી.