Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 348
________________ ૨૯૬ [અધ્યાત્મ અનુયોગ સહિત આ માટે સાધારણ (common) છે. કોઈ પણ શ્રીમંતને જીવવા માટે એકીસાથે બે સમય મળતા નથી. તથા ,, કોઈ પણ ગરીબને ત્યારે જીવવા માટે એક પણ સમય ન મળે તેવું બનતું નથી. કોઈ પણ જીવ પ્રત્યે પ્પા કાળ પક્ષપાત કરતો નથી. અત્યાર સુધીના દીર્ઘ ભૂતકાળમાં અનંતા જીવો આત્મકલ્યાણ સાધીને મોક્ષમાં ભ પહોંચી ગયા. આપણે હજુ અહીં જ રહેલા છીએ. આમાં કાળનો કશો વાંક નથી. કાળનો વાંક કાઢવાના બદલે આપણા પ્રમાદને ગુનેગાર ઠરાવી, અપ્રમત્તપણે જિનાજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થઈએ તો આત્મકલ્યાણ અ બહુ નજીકના કાળમાં પ્રાપ્ત થયા વિના ન રહે. જિનશાસન, સદ્ગુરુ વગેરેની પ્રાપ્તિ થવાથી હમણાં કાળ , તો આપણને અનુકૂળ જ છે. આપણે અપ્રમત્ત બનવા દ્વારા કાળને અનુકૂળ બનીએ તે જરૂરી છે. તથા છે કાલાણુની જેમ આપણે સર્વ પ્રત્યે નિષ્પક્ષ બનીએ તે જરૂરી છે. આટલો બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. તેના લીધે સંક્લેશ ક્ષીણ થવાથી જે મુક્તિ યોગસારાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ દર્શાવેલી છે, તે સંગત થાય છે. (૧૦/૧૭)

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386