Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 13
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તલસ્પર્શી અભ્યાસ કર્યો. જાણે સાક્ષાત્ સરસ્વતીનો અવતાર જ હોય તેવા વિદ્યાના પારગામી બન્યા. આ રીતે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૮/૯ સુધીમાં અનેક દર્શનશાસ્ત્રોનો અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ કર્યો. તે કાલે આગ્રામાં દિગંબરાસ્નાયના મહાવિદ્વાન ગણાતા પંડિત શ્રી બનારસીદાસ હતા. તે શ્રી બનારસીદાસની સાથે પણ વાદવિવાદ ગોઠવાયો. બનારસીદાસ એકાન્તનિશ્ચયની પક્કડવાળા અને વ્યવહારના ઉચ્છેદક હતા. તેઓની સામે વ્યવહાર-નિશ્ચય ઉભયનું યથાર્થ સમન્વયાત્મકભાવે મંડન કરી તેમાં પણ વિજય પ્રાપ્ત કરીને તે જ વખતે આ વાદવિવાદમાં કહેવાયેલી અને અકાઢ્ય યુક્તિઓથી ભરપૂર ‘અધ્યાત્મમત ખંડન’ એટલે કે ‘અધ્યાત્મમત પરીક્ષા’ નામનો ગ્રંથ બનાવ્યો. તે ગ્રંથમાં (૧) સ્ત્રી મુક્તિ (૨) કેવલી ભુક્તિ (૩) કરપાત્રી અને (૪) વસ્ત્ર પરિધાન. આ ચાર બાબતોની ઘણી ચર્ચા કરેલી છે. અને અંતે સત્યની સિદ્ધિ કરેલી છે. વળી નિશ્ચયની જેમ વ્યવહારની પણ આવશ્યક્તા સિદ્ધ કરેલી છે. તથા તે સમયે ત્યાં કેટલાક દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. ગુજરાતમાં આગમન અને અવધાન પ્રયોગઃ ૧૨ પ્રસ્તાવના આ બાજુ ગુજરાતમાં પૂજ્ય હીરસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.શ્રી તથા ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. શ્રી આદિના સ્વર્ગવાસ પછી શિથિલાચાર વધતો જતો હતો. પરસ્પર કલેશ અને કડવાશનાં બીજ પણ શરૂ થયાં હતાં. યતિ સંપ્રદાય જેવી પ્રથા ચાલુ થઈ ચુકી હતી. ક્રિયોદ્ધાર કરવાની તાતી જરૂર હતી. તે વખતે વયોવૃદ્ધ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ સમુદાયની ધુરાના નાયકપદે ‘આચાર્યશ્રી વિજયસિંહસૂરીશ્વરજીને થાપ્યા’ તેઓશ્રી પ્રખર વિદ્વાન, વૈરાગ્યવાસિત, નિરતિચાર, સંયમપાલનમાં અડગ અને સિંહના જેવા પ્રતાપી હતા. પરંતુ તેઓશ્રી આ પાટ ઉપર ફક્ત બે જ વર્ષ રહ્યા અને વિક્રમ સંવત ૧૭૦૮માં અષાઢ સુદ ૨ ના દિવસે કાલધર્મ પામ્યા. તેથી પાછી સમુદાયની ધુરા પાછલી ઉંમરે પણ શ્રી વિજયદેવસૂરીશ્વરજીના માથે આવી. આ બધા સમાચાર પૂજ્ય નયવિજયજી મ. અને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીને મળતા રહેતા હતા. તેથી તેઓ પણ ગુજરાત તરફ આવવા વિશેષ ઉત્સુક હતા. આગ્રાથી વિહાર કરી ૧૭૦૯નું ચાતુર્માસ રાજસ્થાનમાં ક્યાંક કરીને ૧૭૧૦માં પાટણ પધાર્યા. સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ ૧૭૧૦માં પાલનપુર પાસેના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો અને તેમાં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીએ ઘણો જ સહકાર આપ્યો. આવો ઉલ્લેખ શ્રી વિબુધવિમલજી કૃત સમ્યક્ત્વ પરીક્ષા નામના ગ્રંથમાં છે. તેથી ૧૭૧૦માં પાટણ આવી ગયા છે. આમ જણાય છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 475