Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ તો એવો નિમાયેલો છે કે શાક, દાળ, ભાતમાં પણ એની રિસીવર.-સ્પર્શ સુગંધ શબ્દ જાણવો તેમાં રિસીવરની સહી જોઈએ. નહીંતર સ્પર્શ રસ ગંધ રૂપ કે શબ્દનું-એકેનું જ્ઞાન ન થાય. આત્માની ચીજ જ્ઞાન-તે કબજે લઈ કંઈ પણ ન કરી શકે આવી દશામાં આત્મા આવ્યો છે. એનું ભાન જીવને ન હતું. આત્માને ગુલામી સારી લાગે છે. ફટકલાલ ગીરધારી-નહીં લોટો, નહીં થાળી, ગુલામની પારકી ચિંતાએ આપણું પેટ ભરવું. ગુલામના પેટ ભરવાની ચિંતા માલિકને. જેમ કેદીને નિરોગી રાખવા એ પંચાત જેલરને, તેમ અહીં બીજાઓ ચિંતા કરે. છતાં તેમાં મોજ માને એવા કેટલાક હોય છે. એમ અનાદિ કાળથી આત્મા ! તું મેનેજમેન્ટમાં મોજ માનતો હતો, પણ આંખ ઉઘાડી હોત તો કઈ સ્થિતિમાં ક્યાં પડ્યો છે તે તપાસતા. અનંત જ્ઞાનનો ધણી આ જડના કબજામાં ઉત્પન્ન થઈ ન શકે તેવી દશામાં તને મૂકી દીધો છે. પાડોશીને હક કેટલો ? તેટલો તીર્થક્રનો. પાડોશીને સૂઝયું આરસીમાં આરસીમાં દેખાતાં શું કરી શકાય? પાડોશીને ચાહે તેટલી ચિંતા થાય પણ શું કામ લાગે ? તેમ તીર્થંકર મહારાજા આત્માના પાડોશી છે. આત્મા હેરાન થઈ રહ્યો છે, બધું સૂઝે. પણ આરસીમાં દેખવા જેવું. ઘરધણી જાગવો જોઈએ. તીર્થકર મહારાજા સાધનો બતાવે, બધું કરે પણ અંતે પાડોશી છે, ઘરધણી નહીં. પાડોશીનો હક કેટલો? સૂચના દે તેટલો. કરવાનું ઘરધણીને, તેમ કરવાનું તો આપણેજ રહ્યું. મુલક કબજે આવે પછી લોક ટે...મેં... કરે, તેમ અહીં આત્માને કબજે કર્યો કરમરાજાએ. એની ઉત્પત્તિ કબજે કરી. ઉત્પત્તિમાંથી કંઈ જોઈએ ત્યારે રિસીવરની | સહીથી મળે. ચક્રવર્તીઓ કુટુંબના વિરોધી ન હતા. વાસુદેવ નિર્મમત્વ ન હતા. મારો દીકરો ચક્રવર્તી કે વાસુદેવ ન થાય, પણ છતાં- દેવતાનો બંદોબસ્ત હોવા છતાં, રત્નોની હાજરી હોવા છતાં કુદરત વિચિત્ર કરે છે. પ્રસંગ આવે ત્યારે રત્ન રત્નને ઠેકાણે જાય છે. ચક્રવર્તી ને વાસુદેવના ફના ફાતીયા થાય છે. તો અહીં કર્મ પુદ્ગલની ચોકીઓ બેસાડી છે. મિલકત કબજે કરી છે. આવી દશામાં ઉત્થાન થવાનો રસ્તો કયો? રાજા, ઉત્પન્ન અને ઉપયોગ ત્રણે કબજે થાય ત્યાં ઉત્થાન થવાનો સંભવ ક્યાં? આઠ પ્રદેશ પર- ર્ક્સનું જોર નહીં. પણ કુદરતે એક ખૂણો એવો રાખ્યો છે કે જેમાં કર્મ કટકનું કંઈ ચાલતું નથી. રાજ્યોમાં મહારાજ્યોમાં ખૂણેથી મોજું ઉપડે છે. દિલ્હીની બાદશાહતને શિવાજીએ દક્ષિણમાંથી ઉડાડી. એક જગો પર કુદરતે એવું રાખેલું છે કે જે કર્મનો કચ્ચરઘાણ વાળે. નાભીના આઠ પ્રદેશ નિર્મલ છે-તે કર્મના કબજામાં નહીં. રિસીવરમાં નહીં. એની ઉપર (અષ્ટક પ્રકરણ - ૪ - FIRMATIRTEL DTTEE

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138