Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ એ તરફની ધરાવે ને બોલે તો વાજબી છે. વેદના જુલમની સ્થિતિ એમના ભાષ્યો જણાવે છે. સભાની વાત દૂર રહી, પણ બે મનુષ્યની વચ્ચે ન બોલાય તે અશ્વમેઘ યજ્ઞની સ્થિતિ ભયંકર અને બીભત્સ છે. આજ્ઞાસિધ્ધ માનવા પ્રેરે છે. વૈદક તો પ્રત્યક્ષ ચમત્કારવાળી ચીજ છે. હરડેથી આમ થાય. પ્રત્યક્ષ ફળવાળી ચીજમાં આજ્ઞા કેમ ઘૂસાડી છે? વૈદક એટલે પ્રત્યક્ષ પુરાવાની ચીજ. એમાં શ્રધ્ધાનો મોટો ભાગ નથી. વૈદકને શ્રધ્ધામાં નથી રાખ્યું. અહીં ચરક શાસ્ત્ર છે. તેને અંગે કહ્યું છે. રોગ અને રોગની દવા આજ્ઞાસિધ્ધપણાનું તત્ત્વ નથી. રોગની ઉત્પત્તિના વ્યાનો આપ્યા છે. છતાં તેમાં પણ આજ્ઞાસિદ્ધને સ્થાન આપ્યું: અમુક રાજાએ આમ યજ્ઞ કરવા માંડ્યો. તેને શંકા થઈ. તેને કોઢ રોગ થયો. તે રોગ જગતમાં ચાલ્યો. તેમાં દાંતોમાં હેતુ યુક્તિ ચલાવો તે ન ચાલે. તેથી વૈદક ચરક આજ્ઞાસિધ્ધ માની લેવા. રોગોત્પત્તિના કારણો જેમાં જણાવ્યા તે વૈદક ગ્રંથ આજ્ઞાસિધ્ધ માનવા તૈયાર થયા એટલે બુધ્ધિના બારણા બંધ. તમારે આમાં બુધ્ધિ ન ચલાવવી. જિનેશ્વર ભગવંતના વચનની પરીક્ષા જવાની છૂટ. જ્યારે જૈનોએ બુધ્ધિના બારણા ઉઘાડ્યા. પરીક્ષ્ય ગ્રાહ્ય હે સાધુઓ મારા વચનની તમારે પરીક્ષા કરી લેવી. મારી મોટાઈથી મારું વચન ન સ્વીકારી લેશો. આ કથન જે બુદ્ધિના બારણા ઉઘાડા રાખે તે બોલી શકે. મારું તમે જે માનો-તે પરીક્ષા કરીને માનજો. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે. શ્રી ભગવતીજી સૂત્રમાં ભગવાન કહેનારા ને શ્રી ગૌતમસ્વામી સાંભળનારા હતા. મહાવીર મહારાજા કહે છે કે કર્મ બે પ્રકારના. કેટલાક પ્રદેશ ભોગવ્ય ને કેટલાક પ્રદેશ વગર ભોગવ્ય છૂટે. તે વખતે શ્રી ગૌતમસ્વામી વચમાં બોલે - ભગવંત ! આ કયા મુદાથી કહો છો? શ્રી ગૌતમસ્વામીને મુદ્દો પૂછવાનો હક શો? પ્રભુ સંમિત વાક્યોમાં હેતુ યુક્તિનું કામ નથી. રાજાઓ ઓર્ડર કરે તેમાં ભરોશેદાર પ્રજા એમ ન કહી શકે કે રાજા શા માટે ઓર્ડર કરે છે? અહીં ભગવાન મહાવીરના વચનમાં શ્રી ગૌતમસ્વામી શા માટે બોલે કે કયા મુદ્દાથી કહો છો? એમ ભગવાનને પૂછાય કેમ? તમે સામાન્ય ભરોશો રાખવાવાળા શા માટે પૂછી ન શકો? જો ન પૂછી શકો તો કહેનાર ત્રિલોકનાથ ભગવાન મહાવીર ઘણાં ભવના જોડાયેલા અદ્વિતીય રાગી એવા શ્રી ગૌતમસ્વામી મહારાજા કે મનુષ્યને હેતુ યુક્તિથી વિચારવાની સર્વને છૂટ કઈ રીતે આપે કે મારા કહેવા માત્રથી એકલું ન પકડો. હે સાધુઓ ! મારા વચનની પરીક્ષા કરી લ્યો. માત્ર મોટાઇથી મારું વચન માની ન લ્યો. શ્રધ્યેય પુરુષે ધ્યાનમાં રાખવું કે પોતે બુધ્ધિના બારણા ખુલ્લા રાખી સામાને સમજાવવો જોઈએ. ભગવાન મહાવીર એમ નથી કહેતા કે શું તને મારા વચનમાં શ્રદ્ધા છે કારણ ની મ મ 'ht : મ ણ્વ BE ( મીના + !! . ER

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138