Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ કર્મરાજાનું જોર નહીં. સિધ્ધ જેવા આઠ પ્રદેશ નિર્મળ. તમામ જીવો, ચાહે નિગોદના હોય. તે જીવ સર્વ જીવોનો અનંતમો ભાગ ઉઘાડો છે. આત્મપ્રદેશનું જ્ઞાન કલ્યાણકારી, રજપૂતનું દૃષ્ટાંત. આત્મપ્રદેશને અંગે થતું જ્ઞાન કુદરતે આત્માના લાભની ચીજ તરીકે રાખેલ છે. એની ઉત્પન્નતા કરમના કબજામાં નથી. એના જોરે કરમનું ચાહે જેટલું જોર હોય તો પણ આઠ પ્રદેશ પર જોર ન ચાલે. તે નિર્મળતા આખા આત્માને નિર્મળ કરી નાંખે છે. ખૂણે થયેલો શિવાજી આખા મોગલને કાઢી મૂકે છે. પણ વાણિયા રજપૂતને ભાઇબંધી હતી. રજપૂત તલવાર બાંધી નીકળે છે. વાણિયો પૂછે છે આ શું? રજપૂત કહે છે તલવાર ! તમને ખબર નથી ! એ તલવારને શત્રુને શે પમાડે, ચોરનું ચૂરણ કરે. વાણિયાએ કહ્યું : મને એક આપને. પેલાને બહાર જવું હતું એટલે કહ્યું આવીશ ત્યારે વાત. રજપૂત પાછો આવ્યો. કેમ હવે તલવાર આપો. રજપૂત પાડોશી હતો, આપી તલવાર. શેઠનું નુકસાન કરશે. “ના” ન કહેવાય અને શેઠ પાસે રખાય પણ નહીં. મુસાફરીમાં તલવારથી નુકસાન થશે. આ બાજુ તલવાર લઈ શેઠ નીકળ્યા, બીજી બાજુ બોકાની બાંધીને રજપૂત નીકળ્યો. સામે આવ્યો. હોં ! શેઠે દેવું ચોર આવ્યા. મારી પાસે તલવાર છે ને ચોર કેમ આવ્યા? તલવારની મુઠી તરફથી ચોર તરફ ઘા કર્યો. હવે તલવાર કામ કરે તો ઠીક? શેઠ બોલ્યો : તલવારબા' તારા બાપાને ઘેર કરતી હોય તે કર.” ગરાસિયો તલવાર લઈ હાલતો થયો. તે રીતે તલવાર મળી એટલે શત્રુ દૂર ન થાય. ઉપયોગ કરે ત્યારે દૂર થાય. તેમ ભગવાન જિનેશ્વરનો ઉપદેશ અગરઆઠ પ્રદેશની નિર્મળતા મળી એટલે કામ થઈ જશે એમ માનવાનું નહીં. શૂરો સરદાર ન મળે તો શમશેર કામ ન કરે. જિનવાણીનો પ્રભાવ. જિનેશ્વરની વાણી શ્રી સરદાર બને તો કામની. માટે જણાવે છે કે પહેલાં તો શૂરો સરદાર હથિયારને ઝંખે. કામ શુરાતન કરશે. આત્મા શૂરા સરદારના હાથમાં હથિયાર આવે ત્યારે તેના મગજમાં જે ખુમારી આવે તેમ ભવ્યોને ઉપદેશ વખતે મોક્ષની ખુમારી આવવી જોઈએ. આત્મા ભવ્ય છે, શૂરો છે. તો હથિયાર આવ્યા પછી કેમ શૂરાતન ન આવે? નથી આવતું તો માનવું કે બાયલાપણું છે. આત્માની સ્થિતિનું ભાન થયું તો આપણે હજું કમનસીબ છીએ. પહેલા વહેલા જિનેશ્વરના સમાગમમાં આવનારને વીર્ય ન ઉછળે તો અભવ્યની શંકા થાય છે. આવા સાધન મેળ્યા છતાં કેમ તૈયાર નથી થતો. ? ભવ્યત્વ પરિપક્વ થાય તો હથિયાર આવ્યા પછી હણહણાટ કેમ ન થાય ? આપણને | હથિયાર પૂરા પાડ્યા તો કેવળ આ મહાપુરુષે જ. જે સ્વતંત્ર દેશો થયા છે તે દેશોને જેણે ) એewાક્રમ છે. કારણે ૪૫ )

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138