Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ કાળ કે ક્ષેત્રની એના ઉપર અસર થતી નથી. તો તમારો જૈન સિધ્ધાંત અહીં પડી ભાંગ્યો. હિંસા કરવાથી પાપ બંધાય છે. આ સિદ્ધાંત થાય તો જૈન સિદ્ધાંતને ઊભા રહેવાનું સ્થાન નથી. તત્ત્વ દૈષ્ટિ કેળવવા સ્યાદ્વાદનું જ્ઞાન. જૈન સિદ્ધાંત સ્યાદ્વાદના સિંહાસને બેસવાવાળો છે. એ એકાંતે કહી શકે નહીં, તો સર્વક્ષેત્ર અને કાળમાં હિંસાદિથી પાપ બંધાય અને તેની વિરતિથી પાપ રોકાય આ પણ કહી શકે નહીં. આવો નિયમિત સિદ્ધાંત કરે તો સ્યાદ્વાદ નહીં રહે. ‘માસવા તે સિવા' રસવા તે માસવા' એટલે કે કર્મ આવવાના કારણો તે જ કર્મ રોકવાના-તોડવાના કારણો. કર્મ તોડવાના કારણો તે જ કર્મ આવવાના કારણો. ગણધર મહારાજા કર્મબંધના કારણને કર્મ સંવરના કારણો કહે અને સંવરે બંધના કારણો કહે. તે તમારી ઉપરની વ્યવસ્થા કહીને કરી શકો નહીં. બે વાત છે. બાપ દેખાડ કે શ્રાધ્ધ કર. બેમાંથી એક બનવું જોઈએ. કાં તો સ્યાદ્વાદ વર્જવો જોઈએ, કાં તો સર્વકાળ સર્વક્ષેત્રમાં હિંસાદિથી પાપ બંધાય-વિરતિથી પાપથી બચાય, તે સિધ્ધાંત છોડવો જોઈએ. સ્યાદ્વાદ છોડવો પાલવે નહીં. તેમ હિંસાદિ પાપના સાધન છે તેનાથી વિરતિ બચાવનાર છે. તે માન્યા વગર પણ ચાલે નહીં. મુખ્ય દ્રવ્ય અને પર્યાયની પ્રરૂપણા આખી ઉડી જાય. પર્યાયની વ્યવસ્થા ઉડી તો સંસારની અને મોક્ષની વ્યવસ્થા ઉડી જાય. કથંચિત્ સંસારી મુક્ત થઈ શકે તે પર્યાય ઉડી જાય તો જીવને મોક્ષની દશા રહી નહીં. દ્રવ્ય અને પર્યાય, સુખ અને દુઃખ એક જીવ ભોગવે છે. કરમ કરનાર જ ભોગવે છે. ડગલે ને પગલે જૈનોને સ્યાદ્વાદ રહેલો છે. તે વર્જાય તો ડગલું પણ જૈન ચાલી શકે નહીં. સંસાર-મુક્તિ-કર્તા-ભોક્તા જૈન સિદ્ધાંત છોડી શકે નહીં તો પેલું છોડો. અનાદિથી હિંસાદિથી થતાં પાપને છોડો. જે ભવ અને મોક્ષના રક્ષણ માટે સ્યાદ્વાદ છે તે મોક્ષ ઉડી જાય. હિંસાદિથી પાપ તોડી દઈએ તો મોક્ષનો રસ્તો કયો? જે અહીં વાક્ય કહ્યું “માસવા તે પરિવા’ રિસવા તે માસવા’ તેનું શું કરશો? આશ્રવ વિરોની સાચી સમજ. ‘માસવા તે પરિવા' “રિસવા તે માસવા' અમારે કુદરતી રીતિએ સર્વકાળ સર્વક્ષેત્રમાં હિંસાદિથી પાપ માનવાનું છે. તેના રોકાણથી સંવર માનવાનો છે. તેથી જ અનાદિ જગત કહી શકીએ છીએ. ‘માસવા તે સિવા બે સિધ્ધાંત નક્કી શી રીતે રહે? એકને ખસવું જ પડે. તમારે અહીં “હિંસાદિથી પાપ જ એ સિધ્ધાંત અગર “સ્યાદ્વાદ' નો સિધ્ધાંત ખસેડવો જોઈએ. “માસવા તે પરિવાર તે ગણધર મહારાજે કહ્યું છે. પરિવા તે પક - મી!ITE. રાતi - 1 પપા તi]. " WITAMIL | મÀ + : ૨ "બ , , ; | * કે

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138