Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે નજરાણું
(વિ.સં. ૨૦૬૭, ચૈત્ર વદ-૬)
પદાર્થ પ્રકાશ
-(ભાગ-૧) –
જીવવિચાર-નવતત્ત્વ પદાર્થ સંગ્રહ તથા ગાથા શબ્દાર્થ
સંકલન વૈરાગ્યદેશનાદક્ષ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ
વિ.સં. ૨૦૬૫
આવૃત્તિ: પાંચમી
કિંમત : રૂ. ૪0-00
નકલ : ૨000
પ્રકાશક
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાના * હેમ બી.એ. શાહ એન્ડ બ્રધર્સ
૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, ઈર્ષા, પાર્લા (વેસ્ટ),
મુંબઈ-૪૦૦૦૫૬. ફોન : ૨૬૨૫૨૫૫૭ * શ્રી પ્રેમ-ભુવનભાનુ આરાધના ભવન
clo. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
શત્રુંજય પાર્કની ગલીમાં, તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦ * દિલીપ રાજેન્દ્રકુમાર શાહ
૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૨૬૬૩૯૧૮૯ * પી.એ. શાહ ક્વેલર્સ
૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦ ૦૨૬. ફોન : ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી,
સાબરમતી, અમદાવાદ-૫. મો : ૯૪૨૬૫ ૮૫૯૦૪ * ચંદ્રકાંત એસ. સંઘવી
૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫ (ઉત્તર ગુજરાત), ફોન : (૦૨૭૬૬) ૨૩૧૬૦૩ ડિૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સર્વોદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૨૫૦૦૫૮૩૭
ઉપકારી ઉપકાર તમારો કદિય ન વિસરે ]
અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ ૧. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨. પૂજ્ય પ્રવત્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ ૩. પૂજ્ય સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ ૪. પૂજ્ય સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ
આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના
Page #3
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
વૈયાવચ્ચ, સહનશીલતા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ, રત્નપ્રસૂતા
મૂળીબા
સંવત ૧૯૫૬ની જ્ઞાનપંચમીએ ખંભાતમાં વિશા ઓશવાળ જ્ઞાતીય દલપતભાઈ ખુશાલચંદ ઝવેરીના ધર્મપત્ની રતનબેનની કુક્ષિએ જન્મ પામી મૂળીબેને નાની ઉંમરમાં જ પૂર્વના ધર્મસંસ્કારો દઢ કર્યા. નાનપણથી જ આવશ્યક ધર્મ પ્રવૃત્તિ ચાલુ હતી. યુવાવસ્થામાં પોતાની જ્ઞાતિના જ અંબાલાલભાઈ સાથે લગ્ન થયા. અંબાલાલભાઈના પૂર્વ પત્નીના પુત્રી ચંપાબેનને સ્વપુત્રીની જેમ ઉછેર્યા. અંધ સાસુની દિલ લગાવીને માતા સમાન માની ભક્તિ કરી... પતિની દીર્ઘ માંદગીમાં બીલકુલ કંટાળ્યા વગર સતત દિવસ રાતના ઉજાગરા કરીને સેવા કરી. પતિ તથા પોતે બાળપણથી જ સુપાત્રદાનના અત્યંત પ્રેમી હતા. નબળી આર્થિક દશામાં પણ બાળકોને શેરીના નાકે ઉભા રાખી ગોચરી નીકળેલા સાધુ સાધ્વીજીઓને ઘેર બોલાવી ખૂબ ભક્તિથી વહોરાવતા અને આનંદ પામતા. - પતિના મૃત્યુ પછી પુત્રોને વાત્સલ્યપૂર્વક ઉછેર્યા, સાથે ધર્મ સંસ્કારી બનાવ્યા. એક પુત્ર હીરાલાલને મોહથી દીક્ષા આપવાની ઈચ્છા નહીં છતાં તેને દીક્ષાની તીવ્ર ઈચ્છાના કારણે સંસારમાં વ્યથિત થતા જોઈ હૃદય કઠણ કરીને મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ચારિત્રની ભાવનાવાળી પુત્રીને મોહથી પરણાવી દીધી. પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરતી તથા ચારિત્રમાં મક્કમ રહેતી દીકરીને પણ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી.
પુત્ર હીરાલાલે દીક્ષાના ત્રણ વર્ષ પૂર્વે સ્વેચ્છાથી જેની સાથે સગપણ કરેલ, તે સરસ્વતીબેને પણ દીક્ષા ગ્રહણ કરી. પુત્ર હીરાલાલ
Page #4
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ મુનિ હેમચંદ્રવિજયજી (હાલ આચાર્ય) બન્યા. પુત્રી વિજયા સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી (હાલ પ્રવર્તિની) બન્યા. પુત્રવધૂ સરસ્વતીબેન સાધ્વીજીશ્રી સ્વયંપ્રભાશ્રીજી બન્યા.
આ ત્રણેની દીક્ષા પછી મૂળીબેનનું જીવન જોરદાર પલટાઈ ગયું. પુત્રીને દીક્ષા માટે અંતરાય કરવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે પ્રાયશ્ચિત કરી, હવે કોઈને પણ દીક્ષામાં અંતરાય નહીં કરવાનો દઢ અભિગ્રહ કર્યો. થોડા વર્ષ પછી પૌત્રી દિવ્યાને ઉજમણા સાથે મહોત્સવ પૂર્વક ઉલ્લાસથી દીક્ષા આપીને સાધ્વી દિવ્યશાશ્રીજી બનાવ્યા.
આર્થિક પ્રતિકૂળતાના સમયે પુત્રીની દીક્ષા કરવા પોતાના પિયરના હીરાના કુંડલ વેચીને મહોત્સવ કર્યો. પુત્રોને ઝવેરી બજારમાં દુકાન કરવાની ભાવના થઈ, પણ પૈસાની મુશ્કેલી હતી. તે વખતે પોતાના પિયરથી મળેલા બધા જ દાગીના સુપ્રત કરી દીધા. આમાંથી જ મુંબઈની પ્રસિદ્ધ ઝવેરાતની દુકાન “બી.એ. શાહ એન્ડ બ્રધર્સ”ની સ્થાપના થઈ.
વૈયાવચ્ચ - તેમના જીવનનો મહત્ત્વનો ગુણ. વર્ષો સુધી ખંભાતના દરેક ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીને ઔષધદાનનો લાભ મૂળીબેન તરફથી લેવાયો. આ સિવાય પણ જ્યારે જ્યારે ખંભાત જાય ત્યારે બધા જ ઉપાશ્રયે ફરી સાધુ-સાધ્વીને જે કાંઈ કામ હોય તેનો લાભ લે. માંદા સાધુ-સાધ્વીની દરરોજ દેખરેખ રાખી જરૂરી અનુપાન વગેરેનો લાભ લે. સાધર્મિકોની ભક્તિ પણ દિલ દઈને કરે. ખાનગી સહાય પણ કરે. વૈયાવચ્ચનું ફળ તેમને આ લોકમાં જ એવું મળ્યું કે ૮૧ વર્ષની ઉંમર સુધી તો ખડે પગે વૈયાવચ્ચ કરી. માંદગી ક્યારેય આવી નહીં અને એકાદ ઈંજેક્શન પણ લેવું પડ્યું નહીં. વૈયાવચ્ચ ગુણના કારણે સાધુ-સાધ્વીઓ પણ તેમના પ્રત્યે એટલી લાગણીવાળા થઈ ગયેલા કે પાલિતાણામાં પુત્રવધૂને વરસીતપના
Page #5
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૫
પારણાના તથા હસ્તગિરિમાં પોતે નિર્માણ કરાવેલ આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાના પ્રસંગે ગયેલ, ત્યાં તબીયત અસ્વસ્થ થતાં, આખો દિવસ સેંકડો સાધુ-સાધ્વીઓ તેમને સમાધિ આપવા-શાતા પૂછવા આવતા અને આરાધના કરાવતા. જીવનની છેલ્લી ક્ષણે પણ તેમને સાધુભગવંતનો યોગ મળી ગયો.
સહનશીલતા :- આર્ય સંસ્કૃતિમાં નારીનો મુખ્ય ગુણ સહનશીલતા છે. કંઈક સ્ત્રીઓને આ સ્વાભાવિક ગુણ પ્રાપ્ત થયેલો હોય છે. મૂળીબેનને પણ બાળપણથી આ ગુણ સિદ્ધ થયેલો. સંગ્રહણીની ભયંકર બિમારીમાં પતિની રાત દિવસ સેવા કરતા. પણ પતિનો થોડો ઉગ્ર સ્વભાવ તથા લાંબી બિમારીથી થોડી ઉગ્રતા આવી જતી. મૂળીબેન સહર્ષ સહન કરતા. પૂજ્ય ગુરુદેવશ્રી ભાનુવિજયજી મ.સા. (હાલ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.)ના પ્રવચનો સંવત ૨૦૦૬ (શેષકાળમાં), ૨૦૦૭ તથા ૨૦૦૮માં મુંબઈમાં સાંભળીને એવા ભાવિક બન્યા કે ત્યાર પછી ૩૮ વર્ષમાં એમના જીવનમાં કદી પણ ઉગ્રતાનો પ્રસંગ બન્યો નથી. કોઈએ પણ એમને ક્યારેય સામાન્ય ક્રોધમાં પણ જોયા નથી. સાથે સાથે માનમાયા-લોભ પણ એમના અત્યંત પાતળા પડી ગયેલા.
વર્ષોથી સચિત્ત ત્યાગ, ઉભય ટંક પ્રતિક્રમણ, સામાયિક, જિનવાણી શ્રવણ, સ્વાધ્યાય, નવકાર જાપ, રાત્રિભોજનત્યાગ વગેરે આરાધનાઓથી જીવન ઓતપ્રોત હતું. છેલ્લી માંદગીમાં પણ ક્યારેય રાત્રે દવા પણ લીધી નથી. ઉલટું ક્યારેક સૂર્યાસ્ત પૂર્વે રાત્રિનો ભ્રમ થતા ભોજનનો કે દવાનો નિષેધ કરતા, સૂર્યાસ્ત થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો જ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, ૭૮ વર્ષની ઉંમરે અટ્ઠાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીના અક્રમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે અનેક
Page #6
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી તથા સિદ્ધગિરિતીર્થમાં ચાતુર્માસ પણ કર્યું. પુણ્યાનુબંધિ પુણ્યના એવા સ્વામી હતા કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકૂળતા મળતા તેમના હાથે અનેક સુકૃતોના કાર્યો થયાં.
પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે “સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરાવી. તેના અન્વયે અનેક સુકૃતોની પરંપરા ચાલી જે સંક્ષેપમાં નીચે મુજબ છે. ૧. ખંભાતમાં પ.પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય
ભુવનભાનુસૂરિશ્વરજી મ. આદિ ૮૦ મુનિઓ તથા શતાધિક સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં લગભગ અઢીસો પ્રતિમાજીઓનો
અંજનશલાકા મહોત્સવ કર્યો. ૨. નડિયાદમાં સ્વદ્રવ્યથી સુપાર્શ્વનાથ પ્રભુના શિખરબંધી ચૈત્યનું
નિર્માણ કરાવ્યું. ૩. ખંભાત દેવાણનગર મહાવીર પ્રભુના ચૈત્યના ભોંયરામાં શ્રી
સીમંધરસ્વામી પ્રભુ તથા અતીત-અનાગત ચોવીશીના ૪૮માંથી ૪૭ ભગવાન ભરાવી પ્રવેશ કરાવ્યો.
હસ્તગિરિમાં દીક્ષા કલ્યાણના ચૈત્યનું નિર્માણ કરાવ્યું. ૫. હસ્તગિરિમાં સમવસરણ મંદિર ચૌમુખજીમાં મૂળનાયક પ્રભુ
ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો લાભ રજનીભાઈ દેવડી સાથે ભાગમાં લીધો. મુંબઈ-બાણગંગા વિમલ સોસાયટીમાં શ્રી વિમલનાથ પ્રભુના ગૃહચૈત્યનું નિર્માણ કરાવ્યું તેમાં વિમલનાથ પ્રભુ વગેરે બિંબોની
ચલપ્રતિષ્ઠા કરી તથા જોડે ઉપાશ્રય કોઈકના ભાગમાં કર્યો. ૭. વિરમગામમાં શ્રી સંભવનાથ પ્રભુનું સામરણવાળું ચય કરાવ્યું
તથા સાધર્મિકો માટે ધર્મશાળા નિર્માણ કરાવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૮. રાજસ્થાન ભરતપુર જીલ્લામાં બડોદાકાંત ખાતે વિમલનાથ
પ્રભુનું ચૈત્ય કરાવ્યું.
શંખેશ્વર તીર્થમાં મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુને રત્નજડિત મુગટ ચડાવ્યો.
૯.
૭
૧૦. વરસો સુધી ખંભાતમાં વિચરતાં સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ (ઔષધ)નો લાભ લીધો.
૧૧. અનેક સાધર્મિકોની ગુપ્ત રીતે ભક્તિ કરી.
૧૨. ગીરનાર તીર્થ સહસાવનમાં સમવસરણ મંદિરમાં નેમિનાથ પ્રભુ ભરાવવાનો લાભ લીધો.
૧૩. અમદાવાદ દીપકુંજ સોસાયટીમાં સ્વદ્રવ્યથી ઉપાશ્રય કરાવ્યો. ૧૪. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના
વર્ધમાન તપની ૧૦૮મી ઓળીના પારણા પ્રસંગની ભવ્ય ઉજવણી મુંબઈમાં થઈ. મુનિઓમાં માસક્ષમણ, સિદ્ધિ તપ વગેરે અનેક તપસ્યાઓ થઈ. આ નિમિત્તે ૬૦૦ વર્ધમાનતપના પાયા નંખાયા. હજાર જેટલી નવી ઓળીઓ થઈ. વિશાળ મહોત્સવનું આયોજન થયું. આ બધો લાભ પાંચ ગુરુભક્તો તરફથી લેવાયો. તેમાં સૌ પ્રથમ પોતાના પતિનું નામ લખાવ્યું. ૧૫. પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.ની નિશ્રામાં પ્રતિવર્ષ શ્રી સીમંધરસ્વામીના વિશાળ સંખ્યામાં અઠ્ઠમ તપ થતાં તેમાં ઘણા વર્ષો સુધી અત્તરપારણાનો લાભ લીધો. પ્રારંભમાં કોઈકના ભાગમાં લાભ લેવાતો હતો અને પાછળથી પોતે એકલા લીધો. લગભગ દશહજારથી વધુ અઠ્ઠમ તપના અત્તરપારણાનો ભાગ લીધો.
૧૬. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા., પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. વગેરેના સપરિવાર ખંભાતમાં ૨૦૩૭-૨૦૩૮માં બે
Page #8
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ ચાતુર્માસ કરાવ્યા અને તે દરમિયાન બંને ચોમાસામાં સાધર્મિક ભક્તિનો લાભ લીધો. વળી સ્વયં રોજ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરી લઈ આવતાં અને ઉલ્લાસથી ગોચરી
પાણી વગેરે વહોરાવવાનો લાભ લેતાં. ૧૭. મલાડ હીરસૂરિ ઉપાશ્રયમાં પૂ. ગુરુદેવ આ.
ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા જયઘોષસૂરિ મ.સા.ની નિશ્રામાં થયેલ સામુદાયિક પ્રભુના અંજન-પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સીમંધરસ્વામી, શ્રી ચંદ્રપ્રભસ્વામી, શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી અનંતનાથપ્રભુ, શ્રી વિમલનાથપ્રભુ, શ્રી સંભવનાથપ્રભુ, શ્રી સુમતિનાથપ્રભુ વગેરે અનેક પ્રતિમાજી ભરાવ્યા, અનેક
ગામોમાં પધરાવ્યાં. ૧૮. અમદાવાદ દિવ્યદર્શનભવનમાં હોલનો લાભ લીધો. ૧૯. ખંભાતના સર્વ ચેત્યોમાં દેરાસર સાધારણની યોજનામાં લાભ
લીધો. ૨૦. ખંભાત મુકામે શ્રી શ્રેયાંસનાથ જૈન દહેરાસરજીમાં શ્રી
શાન્તિનાથજી, શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી આદિશ્વર પરમાત્માની
પ્રતિષ્ઠા કરાવી. ૨૧. ખંભાત મુકામે ચોકસીની પોળમાં શ્રી ગૌતમસ્વામીજીના
દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨૨. ખંભાત દંતારવાડામાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ
લીધો. ૨૩. અમદાવાદ મણીનગરમાં એક પ્રભુજીની મૂર્તિ ભરાવવાનો લાભ
લીધો. ૨૪. મુંબઈ ભાયખલા મધ્યે ચોવીશ જીનાલયજીમાં બીજા શ્રી
અજીતનાથજી ભગવાનની મૂર્તિ ભરાવી-પ્રતિષ્ઠા કરી આખી દેરીનો લાભ ધજા સાથે લીધો.
Page #9
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ ૨૫. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં
ખનનવિધિમાં ૧ શિલાનો લાભ લીધો. ૨૬. મુંબઈ પરેલ મધ્યે વિકાસ એપાર્ટમેન્ટમાં જૈન દહેરાસરજીમાં
શ્રી શાન્તિનાથજી ભ.ની પ્રતિષ્ઠાનો લાભ લીધો. ૨૭. મધ્યપ્રદેશમાં શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી
એક ઉપાશ્રયના જીર્ણોદ્ધારનો લાભ લીધો. ૨૮. ખંભાત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી દહેસારજીમાં પૂજ્ય દાદીમાં - ચુનીબાએ ચાંદીની નાની પ્રતિમાજી ભરાવી તથા દહેરાસરજીમાં
પધરાવી. ૨૯. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દહેરાસરજીમાં જમીનમાંથી નીકળેલા
સંપ્રતિ રાજાના ભરાવેલા શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિષ્ઠાનો
લાભ લીધો. ૩૦. અનેક પુસ્તકો લખાવ્યા, પ્રકાશિત કરાવ્યાં.
ઉપરાંત વિવિધ ચૈત્યો-ઉપાશ્રયોમાં દાનો, સંઘપૂજનો, પ્રભાવનાઓ, વૈચાવચ્ચ, જ્ઞાનભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરે, સાત ક્ષેત્રો, અનુકંપા, જીવદયા વગેરેમાં દાન, નાના નાના સંઘપૂજન, પૂજા, આંગીઓ, પ્રભાવનાઓ વગેરેના અનેક સુકૃતોથી તેઓશ્રીએ જીવન મઘમઘાયમાન બનાવી દીધું. આટલા બધા સુકૃતો છતાં મનમાં જરાય માન નહીં. તેમના નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હજી તેમના નામની ખાસ કોઈ તકતી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા પણ તેમને જાગતી નહીં.
છેલ્લા વર્ષોમાં કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. માત્ર આરાધનામાં જ લાગી ગયા. રોજ ચોવીસે કલાક આરાધનાની લગની. દિવસે પૂજાદિ આવશ્યક ક્રિયાઓ સાથે સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે કરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
30
પદાર્થ પ્રકાશ ભાગ-૧ છેલ્લા પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હડપીસ) લાગુ પડ્યો. ઉપચાર કરવા છતાં સુધારો નહીં થતા સમભાવે ભોગવતા.
વિ.સં. ૨૦૪૩ના શ્રાવણ સુદ પૂનમે પૂજા કરીને આવતાની સાથે લકવાનો હુમલો આવ્યો. મોટું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યા. જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણ શક્તિ પણ ચાલી ગઈ. પણ તરત ઉપચાર લેવા માંડ્યા. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત થતાં, સૌથી પહેલા નવકારમંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું સારુ થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયા.
પુત્રમુનિ પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજના ગણિપદ, પંન્યાસપદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક મહેચ્છા પુત્ર મુનિના આચાર્યપદના મહોત્સવનો લાભ લેવાની હતી, અને પુત્રમુનિને આચાર્ય જોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઈચ્છા તથા સંયોગોને પિછાનીને પૂજ્ય પં. હેમચંદ્રવિજયજી ગણિવર્યને આચાર્ય પદ ઉપર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી, અને ભાયખલા મુકામે ૨૦૪૪ના ફાગણ વદ-૩ના મહોત્સવ યોજાયો. મૂળીબેને આમાં પણ ખૂબ સારો લાભ લીધો, અને આચાર્યપદ પ્રસંગ પણ તેઓ પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભાયખલા હોવાથી ત્યાં જ નક્કી કરાવ્યો. આ પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબેનને ઠેલણગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યા. ખૂબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદપ્રસંગ નિહાળ્યો. સૂરિમંત્રનો પટ વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની વિનંતી કરવાનો લાભ પણ ઉછામણીપૂર્વક લીધો અને ઉલ્લાસપૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધિ પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઈચ્છાઓ પાર પડી.
ત્યાર પછી અનેકવાર બિમારી વધતા સમભાવે સહન કરતા. પુત્રમુનિ પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ આપવા ઉગ્ર વિહાર કરી આવતા. પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજ એકવાર
Page #11
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૧૧ ગીરનારથી ઉગ્ર વિહાર કરીને, તથા બીજીવાર નવાડીસાથી ઉગ્ર વિહાર કરી સંસારી માતાને સમાધિ આપવા આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાઓમાં પણ તેઓની સમાધિ આરાધનાની વારંવાર ચિંતા કરતા, તથા તેમના ઘરે જઈ આરાધના કરાવતા.
વિ.સં. ૨૦૪પના આસો સુદ-૪ ના રાત્રે ભયંકર શ્વાસ ઉપડ્યો. કુટુંબીજનો સૌ ચેતી ગયા. ભેગા થઈ નવકારમંત્રની ધૂન સતત મચાવી. લગભગ સોળ કલાક સતત ધૂન ચાલી અને આસો સુદ-૫ બપોરે ૧.૩૫ વાગ્યે ૮૯ વર્ષની મનુષ્ય જીવનની યાત્રાને માર્ગાનુસારીના કર્તવ્યો, સમ્યગ્દર્શનની અને દેશવિરતિની આરાધના દ્વારા સફળ કરી, તેમનો આત્મા પરલોકની સફરે મુક્તિને નિકટ કરવા ઉપડી ગયો.
Page #12
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
[ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
દેવાધિદેવ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષની સાધનાના અંતે વૈશાખ સુદ-૧૦ ના દિવસે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને વૈશાખ સુદ-૧૧ના દિવસે અપાપાપુરીમાં દેશનાના અંતે ઈન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણોને ચારિત્ર આપ્યું, ચંદનબાળા આદિને સાધ્વી પદ ઉપર સ્થાપન કર્યા અને બીજા બહુસંખ્ય ગૃહસ્થોને શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. આ રીતે પરમકૃપાળુ પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ચતુર્વિધ સંઘના સંચાલન માટે શ્રતની પરમ આવશ્યકતા હોય છે. આથી જ પ્રભુજીએ ઈન્દ્રભૂતિ આદિ અગિયારને “SUને વી - વિપામેરુ વા – યુવે વા” રૂપ ત્રિપદી આપી. બીજબુદ્ધિના ધણી આ અગિયાર ગણધર ભગવંતોએ ત્રિપદીના આધારે અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. કૃપાળુ પ્રભુએ આ દ્વાદશાંગીની અનુજ્ઞા આપી અને આ ઈન્દ્રભૂતિ આદિ અગિયારે મહાત્માઓને ગણધરપદ ઉપર સ્થાપન કર્યા. પરમાત્માના નિર્વાણ પૂર્વે જ નવ ગણધરો પોતાના ગણને પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીને સોંપી નિર્વાણપદને પામ્યા. ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીએ પણ સુધર્મા સ્વામીજી દીર્ધાયુષી હોવાને કારણે પોતાનો ગણ તેમને સોંપી દીધો એટલે સુધર્મા ભગવાનની દ્વાદશાંગીની પરંપરા ચાલી. નવ ગણધર ભગવંતોની દ્વાદશાંગી તેઓની પાછળ લુપ્ત થઈ.
એક બાજુ બુદ્ધિ અને મેધા દિનપ્રતિદિન ઓછી થતાં દ્વાદશાંગીમાંથી બારમા દૃષ્ટિવાદનો લોપ થવા માંડ્યો તો બીજી બાજુ કરુણાવત્સલ આચાર્ય ભગવંતોએ ભવિષ્યકાળના જીવોના કલ્યાણ માટે દૃષ્ટિવાદ કે બીજા અંગોમાંથી પદાર્થો ગુંથીને અનેકવિધ શાસ્ત્રોના નિર્માણ કર્યા અને ત્યાર પછી થનારા આચાર્ય ભગવંતોએ બાળજીવોના હિત માટે આગમશાસ્ત્રોમાંથી જુદા જુદા વિષયોના પદાર્થોની સંકલના કરીને પ્રકરણ ગ્રંથોની રચના કરી.
Page #13
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૧૩
આવા અનેકવિધ પ્રકરણ ગ્રંથો આજે મોજૂદ છે. આમાંથી જૈન સિદ્ધાંતમાં પ્રવેશ કરવા માટે જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લઘુસંગ્રહણી એ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રન્થ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણી આદિનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આનો અભ્યાસ આજે પણ જૈન સંઘમાં સારો પ્રચલિત છે.
જે સાધુ ભગવંતો પાસે સંસ્કૃત ભાષાનો તથા તર્કસંગ્રહસિદ્ધાંતમુક્તાવલિ વગેરે ન્યાયના ગ્રંથોનો બોધ છે એની સાથે ઉપરોક્ત પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિનો બોધ છે તેવા સાધુઓ આગમના વાંચનમાં ખૂબ સરળતાથી પ્રવેશ કરી શકે છે. આ પ્રકરણના બોધના અભાવવાળા સાધુ ભગવંતો વ્યાકરણ ન્યાયનો ઘણો સારો બોધ હોવા છતાં આગમ વાંચનમાં સારી રીતે પ્રવેશ કરી શકતા નથી, તેમજ તેના યથાર્થ રહસ્યોને મેળવી શકતા નથી. આમ પ્રકરણ ગ્રંથોના બોધના અભાવે ગણધર ભગવંતો, પૂર્વધરો વગેરે દ્વારા રચિત આગમ શસ્ત્રોના હાર્દથી આપણે વંચિત રહી જઈએ.
જે સાધુ ભગવંતો આગમના અધ્યયનને કરી શકતા નથી તથા સાધ્વીજી' મહારાજો તથા ગૃહસ્થો આગમ વાંચનના અધિકારી નથી તેઓ પણ પ્રકરણ ગ્રંથોના અભ્યાસથી શાસ્ત્રીય પદાર્થોના સારા જ્ઞાની બની શકે છે. આના બોધથી જૈન શાસન ઉપર શ્રદ્ધા મજબૂત બને છે. આજના કાળમાં વિજ્ઞાનની અનેકવિધ ચમત્કારિક શોધોથી પણ પ્રકરણ ગ્રંથોનો જ્ઞાતા અંજાઈ જતો નથી કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થતો નથી. તેથી આત્મપરિણતિ પણ વિશુદ્ધ બનતી જાય છે. જીવનમાં વિનયગાંભીર્ય, સહનશીલતાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. આચારપાલનમાં પણ દઢતા આવે છે. વૈરગ્યનો વિકાસ થાય છે. પરિણામે સુંદર
૧. સાધ્વીજી મહારાજોને હાલમાં આચારાંગ સૂત્ર સુધીના જ યોગોહન હોઈ આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ સિવાય બીજા આગમોના વાંચનનો હાલમાં અધિકાર નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પદાર્થ પ્રકાશ ભાગ-૧
આત્મકલ્યાણને જીવ સાધી શકે છે. માટે જ આત્મકલ્યાણના માર્ગમાં પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ અત્યંત ઉપયોગી છે.
- પ.પૂ. સિદ્ધાંતમહોદધિ કર્મશાસ્ત્રવિશારદ સુવિશાલશ્રમણગચ્છાધિપતિ સ્વ. આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા એટલે ન્યાય-વ્યાકરણ આગમ વગેરે સાથે પ્રકરણ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, આગમાદિ શાસ્ત્રોના જ્ઞાનનો વિશાળ સાગર. જીવનભર શ્રુતનું પરિશીલન એ તેમનો મુખ્ય ખોરાક હતો. છેલ્લી અવસ્થામાં નૂતન કર્યસાહિત્યના ગ્રન્થનિર્માણના કાર્યોમાં પ્રેસ કોપીઓના લખાણનું વાંચન એકરસ થઈ કરતા અને જ્યારે એ પાના પૂરા થઈ જતા ત્યારે ‘ભાઈ મારો ખોરાક ખલાસ થઈ ગયો છે. નવો ખોરાક લાવો.” એ ઉદ્ગાર કાઢતા જે એમના શબ્દો હજી આજે પણ જાણે કાનમાં ગુંજી રહ્યા છે. વર્ષો સુધી દરરોજ મધ્યરાત્રે ઉઠીને કલાકો સુધી કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ વગેરેના પદાર્થોનું પૂજ્યશ્રી ચિંતન-મનન કરતા હતા. અનેક સાધુ ભગવતો તથા ગૃહસ્થોને પૂજ્યપાદશ્રીએ કર્મગ્રંથકર્મપ્રકૃતિ આદિનું અધ્યાપન કરાવેલ છે. તથા આગમોની વાચનાઓ આપેલ છે.
પૂજ્યપાદશ્રીની વિશિષ્ટતા એ હતી કે પ્રકરણ ગ્રંથો, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ આદિનું અધ્યાપન પુસ્તકના આધાર વિના લગભગ મૌખિક જ કરાવતા. પદાર્થો તેમને એટલા બધા રૂઢ થઈ ગયેલાં.
મારા પરમ સદ્ભાગ્યે સ્વ. પૂજ્યપાદશ્રીની પરમ કૃપાથી, પૂજ્યપાદ પ્રગુરુદેવ વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી (તે સમયે પૂજ્ય મુનિ શ્રીભાનવિજયજી) મહારાજાની વૈરાગ્યવાણીના સિંચનથી તેમજ પૂજ્યપાદ ગુરુદેવ સમતાસાગર પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવરશ્રી (તે સમયે પૂ. મુનિ શ્રીપદ્મવિજયજી મ.)ની પ્રેરણાથી સંયમ જીવનની સુભગ પ્રાપ્તિ થઈ. સંયમજીવનમાં ગ્રહણશિક્ષા તથા આસેવન શિક્ષાની પ્રાપ્તિ પણ
Page #15
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
૧૫
ત્રણે પૂજ્યો તરફથી યથાયોગ થઈ. અધ્યયનમાં પણ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રીપદ્મવિજયજી ગણિવર તરફથી સંસ્કૃતની બુકોનું, કાવ્યોનું જ્ઞાન સંપાદન થયું. પૂજ્યપાદ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંત શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસેથી કર્મગ્રંથની ભૂમિકાની તથા ન્યાયની ભૂમિકાદિની સમજણ મળી. સ્વ. પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ જીવવિચારથી લગાવીને કર્મપ્રકૃતિ સુધીના બધા જ પદાર્થો મૌખિક રીતે ભણાવ્યા. પૂજ્યપાદશ્રી પાસેથી પદાર્થોની વાચના મેળવી, ગ્રંથનું અવલોકન કરી તેની સંક્ષેપ નોંધ કરવી અને પછી એ પદાર્થોની ધારણા કરી રાત્રે પ્રતિક્રમણ પછી પહેલેથી બધા જ પદાર્થોનું પરાવર્તન (ગાથાના આલંબન વિના) કરવાનું. આ રીતે જીવવિચારાદિ પ્રકરણો, ૬ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના પદાર્થો બધા જ કંઠસ્થ થયા અને ગાઢ પરિચિત બન્યા.
પ્રકરણના અભ્યાસના રસવાળા પૂજ્ય શ્રમણ-શ્રમણીઓને તથા ગૃહસ્થોને પણ જીવવિચારાદિ બધા પદાર્થોની સંક્ષિપ્ત નોંધ અભ્યાસમાં અત્યંત ઉપયોગી બને તેમ હોવાથી તેને પુસ્તકાકારે આરૂઢ કરવાની ઘણા સમયની અનેક અભ્યાસીઓની માંગણી હતી. પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ પ્રગુરુદેવશ્રી આચાર્ય ભગવંતની સંમતિ અને આશીર્વાદ મેળવી પદાર્થોની આ નોંધને પૂજનીય શ્રીસંઘના ચરણે મુકવા પ્રયત્ન કર્યો છે, અને તેના પ્રથમ ભાગરૂપે જીવવિચાર-નવતત્ત્વના પદાર્થોની નોંધ આ પુસ્તકમાં પ્રગટ થાય છે. બીજા પણ પ્રકરણના પદાર્થોનો સંગ્રહ બને તેટલો જલ્દી પ્રગટ કરવાનો પ્રયત્ન ચાલુ છે. પદાર્થોની નોંધ પૂર્ણ થયા પછી અભ્યાસીઓની અનુકૂળતા માટે છેલ્લે ગાથા તથા શબ્દાર્થ પણ આમાં આપેલ છે. અભ્યાસીઓએ ગુરુગમ દ્વારા આ પદાર્થોને સમજી પછી તેને કંઠસ્થ જ કરવાના છે અને તેનું પુનરાવર્તન પણ વારંવાર કરવાનું છે. આમ થશે તો જ પદાર્થનો બોધ દૃઢ થશે.
વર્તમાનમાં જીવવિચારાદિ પ્રકરણો, કર્મગ્રંથ વગેરેના વિસ્તૃત
Page #16
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧ વિવેચનવાળા પુસ્તકો મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તથા બીજા કોઈ કોઈ તરફથી પણ પ્રગટ થયેલ છે. વિસ્તૃત બોધના અર્થીઓએ તે પુસ્તકો જોઈ જવા જરૂરી છે.
પ્રાન્ત આ પુસ્તિકા દ્વારા અનેક પુણ્યાત્માઓ પ્રકરણના પદાર્થોના બોધને પામે અને તે દ્વારા વીતરાગ પરમાત્માના શાસન પ્રત્યેની શ્રદ્ધા તથા જીવનમાં સંયમને મજબૂત બનાવે. એ જ એક માત્ર અભ્યર્થના...
પ્રેસદોષથી તથા છદ્મસ્થપણાના કારણે કંઈ પણ ક્ષતિઓ આ ગ્રંથમાં રહી ગયેલી હોય, જિનવચન વિરૂદ્ધ કાંઈ પણ આવેલ હોય તો તે બદલ ક્ષમા યાચું છું. સાથે સાથે વિદ્વાનોને તે અંગે સૂચન કરવા આગ્રહભરી વિનંતી કરું છું, જેથી પુનઃ નવી આવૃત્તિના પ્રસંગે તેનું સંમાર્જન થઈ શકે.
લિ... અક્ષય તૃતીયા,
પૂજ્યપાદ સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ ૨૦૩૪.
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના દેવકરણ મેન્શન,
પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ લુહાર ચાલ,
શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પ્રિન્સેસ સ્ટ્રીટ,
વિદ્વાન શિષ્યરત્ન સમતાસાગર સ્વ. મુંબઈ-૪૦૦ ૦૦૨. પંન્યાસજી શ્રીપદ્મવિજયજી ગણિવરશ્રીનો
ચરણોપાસક મુનિ હેમચંદ્રવિજય
Page #17
--------------------------------------------------------------------------
________________
| નમો નમઃ શ્રી-ગુરુ-પ્રેમ-ભુવનભાનુસૂરિ-પં. પદ્મવિજયેભ્યઃ II પ.પૂ. વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્
વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ
(૧) પદાર્થપ્રકાશ ભાગ-૧
(જીવવિચાર-નવતત્ત્વ પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨
(દંડક-લઘુ સંગ્રહણી પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩
(૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૪
(૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) મુક્તિનું મંગલદ્વાર
(ચતુઃશરણ સ્વીકાર, દુષ્કતગહ, સુકતાનુમોદનાનો સંગ્રહ)
શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (૭) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૮) વીશ વિહરમાન જિન સચિત્ર
વીશ વિહરમાન જિન પૂજા (૧૦) બંધનથી મુક્તિ તરફ
(બારવ્રત તથા ભવ આલોચના વિષયક સમજણ) (૧૧) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ (૧૨) પંચસૂત્ર (સૂત્ર ૧૭) સાનુવાદ (૧૩) તત્ત્વાર્થ ઉષા (પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૧૪) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું ચરિત્ર) (૧૫) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૧૬) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ)
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પદાર્થ પ્રકાશ ભાગ-૧
(૧૭) પ્રેમપ્રભા ભાગ-૩
(બ્રહ્મચર્ય સમધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૧૮) સાધુતાનો ઉજાસ
(લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪) (૧૯) પરમ પ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા
દ્વાર્નિંશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૨૦) ભક્તિમાં ભીંજાણા (પં. પદ્મવિજયજી ગણિવર્ય)
(વીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવચન) (૨૧) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજય શતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક
સાનુવાદ (પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૧) (૨૨) આદીશ્વર અલબેલો રે (પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી)
(શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૨૩) ઉપધાન તપવિધિ (૨૪) રત્નકુક્ષી માતા પાહિણી (૨૫) સતી-સોનલ (૨૬) નેમિ દેશના (૨૭) નરક દુઃખ વેદના ભારી (૨૮) પંચસૂત્રનું પરિશીલન (૨૯) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૩૦) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ). (૩૧) અધ્યાત્મયોગી (આ. કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૩૨) ચિત્કાર (૩૩) મનોનુશાસન (૩૪) ગુરુ દીવો, ગુરુ દેવતા. (પ્રેમપ્રભા ભાગ-૬) (૩૫) ભાવે ભજો અરિહંતને (૩૬) લક્ષ્મી સરસ્વતી સંવાદ (૩૭) પ્રભુ ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭)
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
પદાર્થ પ્રકાશ ભાગ-૧ (૩૮-૪૦) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૪૧) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૪૨-૪૪) રસથાળ ભાગ-૧, ૨, ૩ (૪૫) સમતાસાગર (પૂ.પં. પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૪૬) પ્રભુ દરિસણ સુખ સંપદા (૪૭) શુદ્ધિ (ભવ આલોચના) (૪૮) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૪૯) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૫૦) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૫૧-૫૨) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧-૨ (પ્રેમપ્રભા ભાગ
૧૧-૧૨) (૫૩) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા
શબ્દાર્થ)
(૫૪) મહાવિદેહના સંત ભારતમાં
અંગ્રેજી સાહિત્ય) (૧) A shining star of spirituality
(સાત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) (૨) Padartha Prakash Part-I (જીવવિચાર-નવતત્ત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષિ માતા પાહિણીનો અનુવાદ)
ન સંસ્કૃત સાહિત્યો (૧) સમતાસીરરિતમ્ () (પં. પદ્મવિજયજી મ.નુ જીવન ચરિત્ર)
ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો.
Page #20
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
અનુક્રમણિકા
વસંગ્રહ ................
વિષય
પાના નં. (A) જીવવિચાર પદાર્થસંગ્રહ
... ૧-૩૧ ૧. જીવવિચાર
....... ૧ ૨. સ્થાવરના ભેદો
......... ૨-૩ ૩. ૬ પર્યાપ્તિ .........
..... ૪ ૪. પર્યાપ્તિનો કાળ .. ... ૫. સ્થાવરના ભેદો...... ૬. વિકલેન્દ્રિયના ભેદો. ૭. નારકીના ભેદો..................................... . ૮. પંચેન્દ્રિય તિર્યંચના ભેદો ............................. ૯-૧૦
દ
m
૦
૧
૯. મનુષ્યલોક....
....... ૧૧
૧૨-૧૩
•....
............
૧૦. કર્મભૂમિ-અકર્મભૂમિ ૧૧. મનુષ્યના ભેદ . ૧૨. સંમૂચ્છિમ મનુષ્યોના વિરાધના-વિવેક ૧૩. તિષ્ણુલોકનું ચિત્ર......... ૧૪. મનુષ્યલોકનું ચિત્ર... ૧૫. જંબુદ્વીપનું ચિત્ર................... ૧૬. પ૬ અંતર્લીપનું ચિત્ર. ૧૭. દેવતાના ભેદ... ... ૧૮. જીવના કુલ પ૬૩ ભેદ.. ........ ૧૯. અવગાહના દ્વાર .......
૨૦-૨૨ ........................ ૨૩
૨૪-૨૬
Page #21
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
નં.
૨૦. આયુષ્યદ્વાર...
૨૧. કાયસ્થિનિકાર
વિષય
૨૨. પ્રાણ-પર્યાપ્તિ .
૨૩. યોનિદ્વાર..........
(B) જીવવિચાર ગાથા શબ્દાર્થ. (C) નવતત્ત્વ પદાર્થસંગ્રહ.........
૨૪. નવતત્ત્વ .....
૨૫. જીવતત્ત્વ
૨૬. જીવસિદ્ધિના હેતુઓ .........
૨૭. અજીવતત્ત્વ
૨૮. અજીવના ભેદો ....
૨૯. કાળનું કોષ્ઠક.........
૩૦. પુણ્યતત્ત્વ....
૩૧. પાપતત્ત્વ
૩૨.૮૨-પાપકૃતિ ........
૩૩. આશ્રવતત્ત્વ
૩૪. ૨૫ ક્રિયા ......... ૩૫. સંવરતત્ત્વ
૩૬. સમિતિ-ગુપ્તિ........ ૩૭. ૨૨ પરિષ ........
૩૮. ૧૦ યતિધર્મ
૩૯. ૧૨ ભાવના
૨૧
પાના નં.
૨૭-૨૮
........ ૨૯
૩૦
....... ૩૧
૩૨-૪૦
૪૧-૭૦
........ ૪૧
૪૨
૪૩
.....૪૪
૪૫
....૪૬
૪૭ ....૪૮
...... ૪૯
૫૦
૫૧
....પર
૫૩
૫૪-૫૫
૫૬
૫૭
Page #22
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ-૧
•.... ૬૦
*
*
*
5 *
= *
૪૦. પ ચારિત્ર
... ૫૮-૫૯ ૪૧. નિર્જરાતત્ત્વ ............... ૪૨. બાહ્ય-અત્યંતર તપ... ૪૩. અત્યંતર તપ ............. ૪૪. બંધતત્ત્વ................ ૪૫. ૪ પ્રકારનો બંધ.. ૪૬. પ્રકૃતિબંધ-સ્થિતિબંધ........................... ૪૭. મોક્ષતત્ત્વ ......... ૪૮. ૧૪ માર્ગણા............. ૪૯. ૯ અનુયોગદ્વાર. ૫૦. સિદ્ધના ૧૫ ભેદ ..................... ૫૧. નિરંતર કેટલા સિદ્ધ થાય ? ............... ..... ૭૦ (D) નવતત્ત્વ ગાથા-શબ્દાર્થ .........
૭૧-૮૧ (E) પ્રશસ્તિ , સમર્પણ..........
..... ૮૨
U *
*
*
* ઇ.
Page #23
--------------------------------------------------------------------------
________________
જીવવિચાર
// શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ | | | નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે ..
શ્રી શાંતિસૂરિરચિત
(જીવવિચાર (પદાર્થસંગ્રહ) )
વિશ્વ
જીવ
અજીવ જેનામાં ચેતના હોય તે જીવ. જીવને પ્રાણી પણ કહે છે. પ્રાણોને ધારણ કરે તે પ્રાણી.
પ્રાણ (બે પ્રકારના હોય છે)
દ્રવ્ય પ્રાણ
ભાવ પ્રાણ (૧૦)
દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ૫ ઈન્દ્રિય, ૩ બળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય.
પાંચ ઈન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય (ચામડી), રસનેન્દ્રિય (જીભ), ધ્રાણેન્દ્રિય (નાક), ચક્ષુરિન્દ્રિય (આંખ), શ્રોત્રેન્દ્રિય (કાન). ૩ બળ :- મન બળ, વચન બળ, કાય બળ.
જીવ (બે પ્રકારના હોય છે)
(૧) સંસારી (કર્મથી સહિત ચાર ગતિમાં ભટકતા.)
(૨) મોક્ષના (કર્મથી રહિત, મોક્ષમાં ગયેલા પરમાત્મા સ્વરૂપને પામેલા શુદ્ધ આત્માઓ.)
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્થાવરના ભેદો સંસારી જીવો (બે પ્રકારે છે)
|
ત્રસ
(સ્થિર)
સ્થાવર (હાલતાં ચાલતાં) ત્રસઃ તાપ આદિથી પીડિત થયે પોતાની ઈચ્છાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે તે ત્રસ.
સ્થાવર: તાપ આદિથી પીડિત થયે પોતાની ઈચ્છાપૂર્વક એક સ્થાનેથી બીજે સ્થાને જઈ ન શકે તે સ્થાવર.
સ્થાવર
પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય
-1 11 11 -11 -11 સૂમ બાદર સૂક્ષ્મ બાદર સૂક્ષ્મ બાદર સૂમ બાદર પ્રત્યેક સધારણ
બાદર સૂક્ષ્મ બાદર (પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય સૂક્ષ્મ ન હોય) આમ ૧૧ ભેદ થયા, દરેકના પર્યાપ્તા-અપર્યાપ્તા થઈ સ્થાવરના કુલ ૨૨ ભેદ જાણવાં. - સૂક્ષ્મ :- (અનંત જીવોના) અસંખ્ય શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ. (લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે.)
બાદર :- એક, બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીરો ભેગા થાય ત્યારે ચર્મચક્ષથી જોઈ શકાય તે બાદર. (બાદર વાયુકાય સિવાય.)
(૧) પૃથ્વીકાય :- પૃથ્વી એ જ જેનું શરીર છે તે પૃથ્વીકાયના જીવો. દા.ત. સ્ફટિકાદિ મણિ, પરવાળા, હીરા, માણેકાદિ રત્નો, હિંગલો, હરતાળ, મણશીલ, પારો, સોનું વગેરે ધાતુઓ, માટી, મીઠું, ખડી, પથ્થરની જાતિઓ, સુરમો, અબરખ, તેજંતુરી વગેરે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્થાવરના ભેદો
(૨) અકાય · પાણી એ જ જેનું શરીર છે તે અપ્લાયના જીવો દા.ત. ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકળ, બરફ, કરા, વનસ્પતિ ઉપર ફુટી નીકળતું પાણી, ધૂમ્મસ, ઘનોદધિ વગેરે. [ ઘનોદધિ :દેવોના વિમાનો તથા નારક પૃથ્વીની નીચે થીજેલા ઘી જેવું ઘન પાણી. (Solid water)]
૩
(૩) તેઉકાય :- અગ્નિ એ જ જેનું શરીર છે તે તેઉકાયના જીવો. દા.ત. અંગારા, ભડકો, તણખા, ઉલ્કા (આકાશમાં દેખાતાં અગ્નિના પટ્ટા), વિજળી, દિવાનો પ્રકાશ વગેરે. (ઈલેક્ટ્રીક લાઈટ-બલ્બ વગેરેનો પ્રકાશ પણ.)
(૪) વાયુકાય :- વાયુ (પવન) એ જ જેનું શરીર છે તે વાયુકાયના જીવો. દા.ત. ઉદ્ભામક (ઉંચે ફરતો) વાયુ, ઉત્કલિક (નીચે ભમતો) વાયુ, વંટોળીયો, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે. (ઘનવાત, તનવાત :- નારક પૃથ્વીઓની નીચે ઘનોદધિ છે તેની નીચે આ બે પ્રકારના વાયુના પડ આવેલા છે.)
(૫) વનસ્પતિકાય :- વનસ્પતિરૂપ શરીરવાળા જીવો તે વનસ્પતિકાયના જીવો. તેઓ બે પ્રકારના છે -
(૧) પ્રત્યેક વનસ્પતિકાય
(૨) સાધારણ વનસ્પતિકાય
પ્રત્યેક ઃ- એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય. સાધારણ :- એક શરીરમાં અનંતા જીવ હોય તે સાધારણ કહેવાય. પ્રત્યેક વનસ્પતિકાય ઃ- દા.ત. વૃક્ષ, ફળ, છાલ, થડ, મૂળ, પાંદડા
વગેરે.
સાધારણ વનસ્પતિકાય :- દા.ત. કાંદા, અંકુર, નીલ, ફૂગ, સેવાળ, બિલાડીનાં ટોપ, આદુ, લીલી હળદર, કચરો, મોથ, થોર, કુંવાર, બટાટા વગેરે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૬ પર્યાપ્તિ
સાધારણ વનસ્પતિકાયને ઓળખવાનાં લક્ષણો (૧) સાંધા, પર્વ, નસો ગુપ્ત હોય. (૨) કાપતા સરખા ભાગ થાય. (૩) કાપીને વાવીએ તો પણ ફરીથી ઉગે.
પર્યાપ્તા:- સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને જ મરવાના હોય તે પર્યાપ્તા.
અપર્યાપ્તા - સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય અથવા પૂર્ણ કર્યા વિના જ મરી જવાના હોય તે અપર્યાપ્તા.
પર્યાપ્તિ :- પુદ્ગલના સંચયથી ઉત્પન થયેલ પુદ્ગલને ગ્રહણ કરવાની તથા પરિણાવવાની શક્તિ.
પર્યાપ્તિ ૬ પ્રકારની છે. (૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી આહારના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે અને તેને ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ.
(૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસ રૂપે પરિણાવેલ પુદ્ગલોમાંથી સાત ધાતુ રૂપ શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ.
(૩) ઈન્દ્રિયપયપ્તિ - જે શક્તિથી જીવ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવે તે ઈન્દ્રિયપર્યાપ્તિ.
(૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે અને તેનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ.
(૫) ભાષાપતિ :- જે શક્તિથી જીવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ.
(૬) મન:પયતિ :- જે શક્તિથી જીવ મનો વર્ગણાના પગલોને
Page #27
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિનો કાળ
૫
ગ્રહણ કરે, તેને મન રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે મન:પર્યાપ્તિ.
પર્યાપ્તિનો કાળ
ઔદારિક શરીરમાં (મનુષ્ય તિર્યંચના સ્વાભાવિક શરીરમાં) ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂતૅ મન:પર્યાપ્તિ પૂર્ણ થાય.
વૈક્રિય તથા આહારક શરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનઃપર્યાપ્તિ પૂર્ણ થાય.
જીવોને વિષે પાંચ પ્રકારના શરીર સંસારમાં રહેલા જીવોના શરીર પાંચ પ્રકારના છે.
(૧) ઔદારિક શરીર :- ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. મનુષ્ય અને તિર્યંચોને હોય છે.
(૨) વૈક્રિય શરીર ઃ- વૈક્રિય વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. દેવતા, નારકી તથા લબ્ધિધારી મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ તથા પર્યાપ્તા બાદર વાયુકાયને હોય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૬
સ્થાવરના ભેદો (૩) આહારક શરીર :- આહારક વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. ચૌદપૂર્વધર મુનિ ભગવંતો તત્ત્વચિંતનમાં શંકા ઉભી થાય ત્યારે અથવા સમવસરણની રિદ્ધિ જોવા આ શરીર બનાવીને ભગવાન પાસે (મહાવિદેહ ક્ષેત્રમાં) જાય છે.
(૪) તેજસ શરીર - તેજસ વર્ગણાના પુલોનું બનેલું હોય તે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. ગ્રહણ કરેલા આહારને પચાવવામાં કારણભૂત છે.
(૫) કામણ શરીર:- આત્મા ઉપર લાગેલા કર્મોનો સમૂહ છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. ભવાંતરમાં જતો જીવ તૈજસ અને કાશ્મણ શરીર સાથે લઈ જાય છે.
સ્થાવરના ૨૨ ભેદો (૧) પર્યા. સૂક્ષ્મ પૃથ્વીકાય (૧૨) અપર્યા. સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) પર્યા. સૂક્ષ્મ અકાય (૧૩) અપર્યા. સૂક્ષ્મ અકાય (૩) પર્યા. સૂમ તેઉકાય (૧૪) અપર્યા. સૂક્ષ્મ તેઉકાય (૪) પર્યા. સૂક્ષ્મ વાયુકાય (૧૫) અપર્યા. સૂક્ષ્મ વાયુકાયા (૫) પર્યા. સૂક્ષ્મ સાધારણ (૧૬) અપર્યા. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયા
વનસ્પતિકાય (૬) પર્યા. બાદર પૃથ્વીકાય (૧૭) અપર્યા. બાદર પૃથ્વીકાય (૭) પર્યા. બાદર અપુકાય (૧૮) અપર્યા. બાદર અકાય (૮) પર્યા. બાદર તેઉકાય (૧૯) અપર્યા. બાદર તેઉકાય (૯) પર્યા. બાદર વાયુકાય (૨૦) અપર્યા. બાદર વાયુકાય (૧૦) પર્યા. બાદર પ્રત્યેક (૨૧) અપર્યા. બાદર પ્રત્યેક વનસ્પતિકાયા
વનસ્પતિકાય (૧૧) પર્યા. બાદર સાધારણ (૨૨) અપર્યા. બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય
વન
Page #29
--------------------------------------------------------------------------
________________
વિકલેન્દ્રિયના ભેદો આમ સૂક્ષ્મ-૧૦ પર્યાપ્તા-૧૧
બાદર-૧૨ અપર્યાપ્તા-૧૧ કુલ-૨૨
કુલ-૨૨ પૃથ્વીકાયના અકાયના -૪ સ્થાવર જીવો એકેન્દ્રિય જ હોય છે, તેઉકાયના -૪ કેમકે તેમને એક માત્ર સ્પર્શનેન્દ્રિય વાયુકાયના -૪ જ હોય છે. વનસ્પતિકાયના -૬
-૨૨
ત્રસકાય તેના મુખ્ય ૪ પ્રકાર છે.
(૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય
બેઈન્દ્રિય 1 તેઈન્દ્રિય મને વિકલેન્દ્રિય કહેવાય છે. ચઉરિન્દ્રિય
(૧) બેઈન્દ્રિય :-સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કરમીયા, કાષ્ઠનાં કીડા, શંખ, કોડા, વાસી ભોજનમાં થતાં લાળીયા જીવો વગેરે.
(૨) તેઈન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કીડી, ઈયળ, જૂ, માંકડ, કાનખજૂરા, કુતરાના શરીરમાં થતાં ગીંગોડા વગેરે.
(૩) ચઉરિન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. વીંછી, તીડ, ભમરા, માખી, મચ્છર વગેરે.
Page #30
--------------------------------------------------------------------------
________________
८
પર્યાપ્તા -૩
અપર્યાપ્તા -૩
કુલ
-§
(૪) પંચેન્દ્રિય :- પાંચે ઈન્દ્રિયવાળા જીવો.
તેના ૪ ભેદ છે.
નારકી
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૧૪
તિર્યંચ
૨૦
રત્નપ્રભા
શર્કરાપ્રભા
વાલુકાપ્રભા
પંકપ્રભા
ધૂમપ્રભા
તમઃપ્રભા
મહાતમઃપ્રભા
મનુષ્ય
૩૦૩
નારકી
સાત પ્રકારની પૃથ્વીના નામ ગોત્રના નામ
ધર્મા
વંશા
શૈલા
અંજના
રિષ્ટા
- ૭
પર્યાપ્તા અપર્યાપ્તા - ૭
નારકીના ભેદો
દેવ
૧૯૮
મઘા
માઘવતી
કુલ - ૧૪ ભેદ
આપણી પૃથ્વીની નીચે નરકો આવેલ છે. મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્ર પરિણામ, પંચેન્દ્રિય જીવોની હિંસા, માંસાહાર, રાત્રીભોજન વગેરેથી જીવો નરકનું આયુષ્ય બાંધી નરકમાં ઉપજે છે. ત્યાં ગરમી, ઠંડી, તરસ, રોગ, દાહ, શોક, ભય આદિના ઘોર દુઃખો ભોગવે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
પંચેન્દ્રિય તિર્યંચના ભેદો
જલચર
સ્થળચર
ખેંચર
ચતુષ્પદ
જલચર
સ્થળચર
ખેચર
કુલ
ગર્ભજ
જલચર
સંમૂચ્છિમ
પંચેન્દ્રિય તિર્યંચ તેના ત્રણ પ્રકાર છે.
સ્થળચર
ખેચર
ચતુષ્પદ
ઉર:પરિસર્પ ભુજપરિસર્પ
:- પાણીમાં રહેનાર જીવો. દા.ત. માછલા, મગર વગેરે.
:- જમીન ઉપર ફરનારા જીવો.
:- આકાશમાં ઉડનારા પંખીઓ. દા.ત. કબુતર, ચકલી, પોપટ, મેના વગેરે.
ઉર:પરિસર્પ :- પેટથી ચાલનાર જીવો. દા.ત. સાપ, અજગર વગેરે. ભુજપરિસર્પ :- હાથ વડે ચાલનારા જીવો. દા.ત. ઉંદર, ખીસકોલી, ગરોળી, ચંદનઘો, નોળીયો વગેરે.
:- ચાર પગવાળા જીવો. દા.ત. હાથી, ગાય, ઘોડો, બળદ વગેરે.
€
૧ ગર્ભજ ૫ પર્યાપ્તા
સંમૂચ્છિમ ૫
અપર્યાપ્તા
૧૦
૧૦
૧
૧૦
૨૦
૫ કુલ કુલ માતાપિતાના સંયોગથી ગર્ભ દ્વારા ઉત્પન્ન થનારા વો.
:- માતાપિતાના સંયોગ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થનારા જીવો.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૦
પંચેન્દ્રિય તિર્યંચના ભેદો
પંચેન્દ્રિય
૧. પર્યા. ગર્ભજ જળચર ૨. પર્યા. ગર્ભજ ચતુષ્પદ ૩. પર્યા. ગર્ભજ ઉર:પરિસર્પ ૪. પર્યા. ગર્ભજ ભુજપરિસર્પ ૫. પર્યા. ગર્ભજ ખેચર ૬. પર્યા. સંમૂચ્છિમ જળચર
૧૧. અપર્યા. ગર્ભજ જળચર ૧૨. અપર્યા. ગર્ભજ ચતુષ્પદ ૧૩. અપર્યા. ગર્ભજ ઉર:પરિસર્પ ૧૪. અપર્યા. ગર્ભજ ભુજપરિસર્પ ૧૫. અપર્યા. ગર્ભજ ખેચર ૧૬. અપર્યા. સંમૂચ્છિમ જળચર ૧૭. અપર્યા. સંમૂચ્છિમ ચતુષ્પદ
૭. પર્યા. સંમૂચ્છિમ ચતુષ્પદ
૮. પર્યા. સંસૂચ્છિમ ઉરઃપરિસર્પ ૧૮. અપર્યા. સંમૂચ્છિમઉરઃપરિસર્પ
૯. પર્યા. સંમૂચ્છિમ ભુજપરિસર્પ ૧૦. પર્યા. સંમૂચ્છિમ ખેચર
૧૯. અપર્યા. સંમૂચ્છિમ ભુજપરિસર્પ ૨૦. અપર્યા. સંસૂચ્છિમ ખેચર
તિર્યંચના ૨૦ ભેદ
ખેચરો બે પ્રકારના છે.
(૧) રૂંવાટાની પાંખવાળા ઃ- દા.ત. કબુતર, ચકલી, કાગડા, પોપટ, મેના, મોર વગેરે.
(૨) ચામડાની પાંખવાળા:- દા.ત. ચામાચીડીયા, વાગોળ, વડવાગોળ વગેરે.
અન્ય રીતે બે પ્રકારના પંખીઓ
(૧) વિસ્તરેલી પાંખવાળા ઃ- જેઓ ઉડે કે બેસે તો પણ પાંખ વિસ્તરેલી હોય તે.
(૨) બીડેલી પાંખવાળા ઃ- જેઓ ઉડે કે બેસે તો પણ પાંખ બીડેલી હોય તે.
છેલ્લા બે પ્રકારના પક્ષીઓ મનુષ્યલોકની બહાર હોય છે. ખેચરોના આ ભેદોની પંચે. તિર્યંચના મૂળ વીશ ભેદોમાં જુદા ભેદ તરીકે વિવક્ષા
કરી નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________
મનુષ્યલોક
(મનુષ્ય) ચૌદ રાજલોકમાં ઉપર ઊર્ધ્વલોક છે, નીચે અધોલોક છે, મધ્યમાં તિષ્ણુલોક છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે તિસ્કૃલોક છે.
તિષ્ણુલોકનું વર્ણન - તિથ્યલોકની મધ્યમાં ૧ લાખ યોજન લાંબો પહોળો વર્તુળાકારે જંબુદ્વીપ છે.
તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો ધાતકી ખંડ છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો કાળોદધિ સમુદ્ર છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ છે. તેની ચારે બાજુ ફરતો ડબલ વિસ્તારવાળો પુષ્કરવર સમુદ્ર છે.
આમ અસંખ્ય દ્વીપ-સમુદ્રો જાણવા. છેલ્લો દ્વિીપ સ્વયંભૂરમણ દ્વીપ છે. તેને ફરતો છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. (પૃ. ૧દનું ચિત્ર જુઓ.)
મનુષ્યલોક -પુષ્કરવરદીપની મધ્યમાં વર્તુળાકારે માનુષોત્તર પર્વત આવેલ છે. ત્યાં સુધીના ક્ષેત્રને મનુષ્યલોક કહેવાય છે. મનુષ્યલોકમાં અઢીદ્વીપ (જંબુદ્વીપ, ધાતકી ખંડ, પુષ્કરવર દ્વીપ અડધો) અને બે સમુદ્ર (લવણ સમુદ્ર, કાળોદધિ સમુદ્ર) આવેલ છે. (પૃ. ૧૭નું ચિત્ર જુઓ.)
મનુષ્યલોકનો વિસ્તાર (મધ્યમાં) | જંબુદ્વીપ
૧ લાખ યોજન બે બાજુ થઈને લવણ સમુદ્ર
૪ લાખ યોજન બે બાજુ થઈને ધાતકી ખંડ
૮ લાખ યોજન બે બાજુ થઈને કાળોદધિ સમુદ્ર ૧૬ લાખ યોજન બે બાજુ થઈને પુષ્કરવર દ્વીપ (અડધો) ૧૬ લાખ યોજન બે બાજુ થઈને
૪૫ લાખ યોજના
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૨
કર્મભૂમિ-અકર્મભૂમિ મનુષ્યલોકમાં જ મનુષ્યનો વાસ હોય છે. તેની બહાર લબ્ધિ અથવા દેવાદિની સહાયથી જઈ શકાય છે. ત્યાં કોઈપણ મનુષ્યનો જન્મ કે મરણ થાય નહિ.
જંબૂદ્વીપ જંબૂદ્વીપ છ પર્વત અને સાત ક્ષેત્રમાં વહેંચાયેલ છે. તેમાં દક્ષિણથી ઉત્તર જતાં ક્રમશઃ નીચે મુજબ ક્ષેત્રો અને પર્વતો આવેલા છે. (પૃ. ૧૮નું ચિત્ર જુઓ.) ક્ષેત્રો
પર્વતો (૧) ભરત ક્ષેત્ર | (૧) લઘુહિમવંત પર્વત (૨) હિમવંત ક્ષેત્ર | (૨) મહાહિમવંત પર્વત (૩) હરિવર્ષ ક્ષેત્ર | (૩) નિષધ પર્વત (૪) મહાવિદેહ ક્ષેત્ર | (૪) નીલવંત પર્વત (૫) રમ્ય ક્ષેત્ર | (૫) રુક્ષ્મી પર્વત
ણ્યવંત ક્ષેત્ર (૬) શિખરી પર્વત (૭) ઐરાવત ક્ષેત્ર જંબુદ્વીપમાં જેટલા ક્ષેત્રો અને પર્વતો આવેલા છે તેથી ડબલ ક્ષેત્રો અને પર્વતો ધાકકખંડમાં છે. તથા તેટલા જ (ધાતકીખંડ જેટલા) ક્ષેત્રો અને પર્વતો પુષ્કરવરાર્ધ દ્વીપમાં આવેલ છે.
કર્મભૂમિ - જે ક્ષેત્રોમાં અસિ (હથિયાર), મસિ (વ્યાપાર, વાણિજ્ય) અને કૃષિ (ખેતી)નો વ્યવહાર હોય છે તે કર્મભૂમિ કહેવાય અથવા જ્યાં મોક્ષમાર્ગ પ્રવર્તતો હોય તે ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય.
જંબૂદ્વીપમાં ૧) ભરતક્ષેત્ર, ૨) મહાવિદેહ ક્ષેત્ર, ૩) ઐરાવત ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિ છે.
અકર્મભૂમિ - જે ક્ષેત્રોમાં યુગલિકપણાનો વ્યવહાર હોય તે અકર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રોમાં પુરુષ-સ્ત્રી યુગલ સાથે જન્મે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૩
કર્મભૂમિ-અકર્મભૂમિ બાળપણ વીતી જતાં તે પતિ-પત્ની તરીકે થાય છે અને અંતે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે યુગલને જન્મ આપી છીંક-બગાસાદિ પૂર્વક પીડા વિના મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તેઓને વ્યાપાર, નોકરી આદિ વ્યવહાર કરવો પડતો નથી. તેઓના પુણ્ય પ્રભાવે તે ક્ષેત્રોમાં કલ્પવૃક્ષો હોય છે. તેની પાસેથી તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, વાજિંત્રો, રત્નો વગેરે સર્વે જોઈતી વસ્તુ વિના પ્રયત્ન મળી જાય છે. જંબૂદ્વીપમાં આવી ૬ અકર્મભૂમિ છે.
૧) હિમવંત ક્ષેત્ર, ૩) દેવકુરુક્ષેત્ર, ૫) રમ્ય ક્ષેત્ર, ૨) હરિવર્ષ ક્ષેત્ર, ૪) ઉત્તરકુરુક્ષેત્ર, ૬) હિરણ્યવંત ક્ષેત્ર.
મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત છે. મેરુ પર્વતની ઉત્તરે ઉત્તરકુરુ આવેલો છે અને દક્ષિણે દેવકુરુ આવેલ છે.
આમ જંબુદ્વીપમાં કુલ ૩ કર્મભૂમિ અને ૬ અકર્મભૂમિ છે. ધાતકીખંડમાં ડબલ ક્ષેત્ર અને પર્વતો હોવાને કારણે ૬ કર્મભૂમિ તથા ૧૨ અકર્મભૂમિ છે. તે જ રીતે પુષ્કરવરાર્ધદ્વીપમાં ૬ કર્મભૂમિ તથા ૧૨ અકર્મભૂમિ છે. તેથી અઢી દ્વીપમાં કુલ ૧૫ કર્મભૂમિ તથા ૩૦ અકર્મભૂમિ થાય.
પિંદર કર્મભૂમિના નામો) પાંચ ભરત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધદ્વીપમાં) પાંચ ઐરાવત ક્ષેત્ર (૧ જંબૂઢીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ મહાવિદેહ ક્ષેત્ર (૧ જંબુદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)
| ત્રિીસ અકર્મભૂમિના નામો) પાંચ દેવકુરુ (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ ઉત્તરકુરુ (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હરિવર્ષ ક્ષેત્ર (૧ જંબુદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૪
મનુષ્યના ભેદ પાંચ રમ્યક ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હિમવંત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં) પાંચ હિરણ્યવંત ક્ષેત્ર (૧ જંબૂદ્વીપમાં+ર ધાતકીખંડમાં+ર પુષ્કરવરાર્ધ દ્વીપમાં)
અંતદ્વપ પ૬ :- લઘુ હિમવંત અને શિખરી પર્વતમાંથી દાઢના આકારે જમીનના બે બે ટુકડા લવણ સમુદ્રમાં પૂર્વ પશ્ચિમમાં નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો આવેલા છે. કુલ પ૬ દ્વીપ છે. આને અંતર્દીપ કહેવાય છે. (પૃ. ૧૯નું ચિત્ર જુઓ.)
મનુષ્યના ભેદ ૧૫ કર્મભૂમિના મનુષ્ય ૩૦ અકર્મભૂમિના મનુષ્ય
પ૬ અંતર્લીપના મનુષ્ય
કુલ ૧૦૧ પ્રકાર થાય વળી મનુષ્યો પણ ગર્ભજ તથા સંમૂચ્છિમ બે પ્રકારે છે. તેથી ૧૦૧ ગર્ભજ તથા ૧૦૧ સંમૂચ્છિમ, કુલ ૨૦૨ થયા. વળી ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ બે પ્રકારે તથા સંમૂચ્છિમ મનુષ્યો માત્ર અપર્યાપ્તા હોય છે. તેથી કુલ મનુષ્યના ૩૦૩ ભેદ થાય.
૧૦૧ પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય ૧૦૧ અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય
૧૦૧ અપર્યાપ્તા સંમૂચ્છિમ મનુષ્ય
કુલ ૩૦૩ ભેદ થાય. પ્રશ્ન :- સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં હોય છે અને કેવા હોય છે?
ઉત્તર :- સંમૂચ્છિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યોના મળ-મૂત્ર, બળખો, નાસિકાનો મેલ, વમન, પરુ, લોહી, વીર્ય, પિત્ત, શ્લેષ્મ, થુંક, પરસેવો,
Page #37
--------------------------------------------------------------------------
________________
સંમૂચ્છિમ મનુષ્યોના વિરાધના-વિવેક
નગરની ખાળ વગેરે અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોના શરીરથી આ પદાર્થો છૂટા પડતાં મુહૂર્ત પછી તેમાં અસંખ્ય સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા હોય છે. સ્વયોગ્યપર્યાપ્તિ પૂર્ણ થતાં પૂર્વે જ મૃત્યુ પામે છે.
સંમૂચ્છિમ મનુષ્યની વિરાધના અને વિવેક
ભોજન એઠું મુકવામાં, ગટરાદિમાં ઝાડો-પેશાબ કરવામાં, રસ્તામાં ગમે ત્યાં બળખો વગેરે નાખવામાં-થૂંકવામાં, એંઠો ગ્લાસ મટકામાં નાખવામાં, તે તે વસ્તુમાં મુહૂર્ત પછી અસંખ્ય સંમૂચ્છિમ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. એમની ઉત્પત્તિ તથા મૃત્યુની પરંપરા ચાલુ રહે છે. માટે આ બધામાં પૂરો વિવેક રાખવાની જરૂર છે.
ભોજનની થાળી ધોઈ તે પાણી પીધા પછી કપડાના ટુકડાથી થાળી કોરી કરી નાંખી, ટુકડો પણ પાણીથી ધોઈને, પાણી છુટું છુટું રસ્તામાં નાંખવાથી, સંડાસ ગામ બહાર જવાથી, પેશાબ છૂટામાં બે ઘડીમાં સુકાઈ જાય તે રીતે કરવાથી, બળખો-થુંક વગેરે રેતીમાં ચોળી નાંખવાથી, એંઠો ગ્લાસ મટકામાં ન બોળતા ચોક્ખા ગ્લાસથી પાણી વગેરે લેવાથી તથા પાણી પીધા પછી ગ્લાસ લુછી નાંખવાથી, પરસેવાવાળા કપડા વગેરે સુકવી દેવાથી, આવા પ્રકારના વિવેકથી સંમૂચ્છિમ મનુષ્યની વિરાધનાથી આત્મા બચી જાય છે.
દેવતા
તેના મુખ્ય ૪ ભેદ છે
ભવનપતિ
(૨૫)
T
વ્યંતર
(૨૬)
જ્યોતિષ
(૧૦)
૧૫
વૈમાનિક
(૩૮)
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૬
તિર્થાંલોક
જંબૂ દ્વીપ
રાવણ સમય ચકી ખંડ ધિ સમ કરવર ટીપ પુષ્કરવર સમુદ્ર
સ્વયંભૂરમણ દ્વીપ સ્વયંભૂરમણ સમુદ્ર
તિર્ધ્વલોક
Page #39
--------------------------------------------------------------------------
________________
મનુષ્યલોક
મનુષ્યલોક
જંબૂઢીપ
મેરુ પર્વત
લવણ સમુદ્ર
ધાતકી ખંડ
કાળોદધિ સમુદ્ર
અર્ધપુષ્કરવર દ્વીપ
માનુષોત્તર પર્વત
૧૭
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૮
વૃત્ત વૈનાત્ય પર્વન
વૃત્ત વૈનાટ્ય પર્વન
મહાવિદેહ
હરિવલ્પ મંત્ર
હિમવંત ક્ષેત્ર
·
જંબુદ્વીપ
ઉત્તર ઐરવત ક્ષેત્ર
દીર્ઘ વૈતાઢ્ય પર્વત દક્ષિણ ઐરવત ક્ષેત્ર શિખરી પરંતુ
O
રુકમી પર્વત
નીલવંત પર્વત ઉત્તરકુરૂ
દેવકુ૩
નિષધ પર્વત
મહા હિમવંત પર્વત
લઘુહિમવંત પર્વત ઉત્તર ભરત ક્ષેત્ર દીર્ઘ વૈતાઢચ પર્વત દક્ષિણ ભારત ક્ષેત્ર
વિરપર્સન ક્ષેત્ર
રમ્યક ક્ષેત્ર
ક્ષેત્ર
વૃત્ત વૈતાઢ્ય પર્વત
વૃત્ત
વૈતાઢ્ય પર્વત
જંબુદ્રીપ
Page #41
--------------------------------------------------------------------------
________________
૫૬-અંતર્લીપ
૧૯
પદ-અંતર્લીપ
લવણ
ઐરાવત ક્ષેત્ર
આ શિખરી પર્વત
જંબૂ
પર્વ)
દ્વીપ
વંત પ્રવતXC: ભરત ક્ષેત્ર
000)
O)
સમુદ્ર
Page #42
--------------------------------------------------------------------------
________________
દેવતાના ભેદ
(૧) ભવનપતિ :-
૧૫ પરમાધામી ૧૦ અસુરકુમારાદિ
(૨)
વ્યંતર :
૮ વ્યંતર
૮ વાણવ્યંતર ૧૦ તિર્યર્જુભક
૨૬.
(૩) જ્યોતિષ :- ૫ ચર
૫ અચર
૧0 (૪) વૈમાનિક :- ૨૪ કલ્પપપન્ન
૧૪ કલ્પાતીત
૩૮ પરમાધામી :-નરકના જીવોને દુઃખ આપનારા દેવો. નરકના જીવોને માત્ર પોતાની કુતુહલ વૃત્તિથી દુઃખ આપીને આનંદ માને છે. આમ તો આ દેવો અસુરનિકાયના છે, પણ તેમના કાર્યની પ્રધાનતાથી તેમની જુદી વિવક્ષા કરી છે.
ભવનપતિ - આપણે વર્તમાનકાળે જે પૃથ્વીના પડ ઉપર છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું પડ ૧,૮૦,000 યોજન જાડુ છે. તેમાંથી ઉપર નીચે ૧૦૦૦ - ૧૦00 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે અને પૂર્વકૃત પુણ્યનો ઉપભોગ કરે છે.
વ્યંતર :- રત્નપ્રભા પૃથ્વીના પ્રથમના 1000 યોજનના પડમાં ઉપર નીચે ૧00-100 યોજન છોડી વચ્ચેના ૮00 યોજનમાં વ્યંતર દેવોનાં રમણીય અને સુંદર નગરો આવેલા છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
દેવતાના ભેદ
૨૧
વાણવ્યંતર :- આ વ્યંતરની જ પેટાજાતિ છે. રત્નપ્રભાના પ્રથમ ૧00 યોજનના પડમાં ઉપર નીચે ૧૦-૧૦ યોજન છોડી વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવોનાં રહેઠાણો છે.
તિર્યર્જુભક :- આ દેવો પણ વ્યંતરની જ જાતિના છે. તીર્થકર દેવોના જન્માદિ વખતે તેમના ઘરોમાં ધન્ય, ધાન્ય, હીરા, સુવર્ણ, રત્નાદિની વૃષ્ટિ કરે છે.
જ્યોતિષ - આપણી પૃથ્વીના સમભૂતલથી ઉપર ૭૯૦ યોજનથી ૯00 યોજન સુધીમાં જ્યોતિષ દેવોનાં વિમાનો આવેલા છે. તેઓ પાંચ પ્રકારના છે. (૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર, (૫) તારા. ચન્દ્રાદિ આપણે જે જોઈએ છીએ તે વિમાનો છે તેની અંદર દેવો રહે છે અને પોતાના પુણ્યાનુસાર સુખને ભોગવે છે.
ચર :- અઢી દ્વીપમાં રહેલા ચન્દ્ર આદિના જ્યોતિષ વિમાનો મેરુ પર્વતની ચારે બાજુ પરિભ્રમણ કરે છે. તેને ચર કહેવાય છે.
અચર:-અઢી દ્વીપની બહાર રહેલા ચન્દ્ર આદિના જ્યોતિષ વિમાનો સ્થિર હોય છે. તેને અચર કહેવાય છે.
ચન્દ્રાદિના સ્થાન :- સમભૂતલથી ઉપર ૭૯૦ યોજને તારાના વિમાનો, પછી ૧0 યોજન ઉપર સૂર્યના વિમાન, પછી 60 યોજન ઉપર ચન્દ્રના વિમાન, પછી ૪ યોજન ઉપર નક્ષત્રોના વિમાન, પછી ૧૬ યોજન ઉપર ગ્રહોના વિમાન છે.
વૈમાનિક :- જ્યોતિષના વિમાનથી અસંખ્ય યોજન ઉપર જતાં જ્યાં સમભૂતલથી ૧ રાજ પૂર્ણ થાય છે, ત્યાંથી વૈમાનિક દેવોના વિમાન શરૂ થાય છે.
કલ્પોપપન્ન - જ્યાં ઈન્દ્ર, સામાનિક, સેનાપતિ, સૈન્ય, સભા વગેરે પ્રકારની વ્યવસ્થા હોય છે તે કલ્પોપપન.
Page #44
--------------------------------------------------------------------------
________________
દેવતાના ભેદ
૧૨ દેવલોક ૯ લોકાંતિક
૩ કિલ્બિષિયા કુલ ૨૪ ભેદ થાય.
બાર દેવલોકના નામ ૧ સૌધર્મ ૫ બ્રહ્મલોક
આનત ૨ ઈશાન ૬ લાંતક ૧૦ પ્રાણત ૩ સનકુમાર ૭ મહાશુક્ર ૧૧ આરણ ૪ માહેન્દ્ર ૮ સહસ્રાર ૧૨ અશ્રુત
નવ લોકાંતિક - તેઓ પાંચમાં દેવલોકમાં હોય છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષે જનાર છે, તેથી લોક એટલે કે સંસારના અંતે રહેલા છે, માટે લોકાંતિક કહેવાય છે. તીર્થકર ભગવંતોને પ્રવજ્યા ગ્રહણ કરતી વખતે (એક વર્ષ પૂર્વે) દિક્ષા ગ્રહણ કરવાના અવસરની યાદ અપાવવા આવે છે. ભગવાન સ્વયં જાણે છે. પણ તેઓનો આ પ્રમાણે વ્યવહાર છે. તેઓ ૯ પ્રકારના છે.
કિલ્બિષિયા :- ભંગી જેવા હલકા દેવો. તે ત્રણ પ્રકારના છે. તેઓ પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને છટ્ટા દેવલોકની નીચે હોય છે.
કપાતીત - જ્યાં ઈન્દ્ર, સામાનિક, સૈન્ય વગેરે પ્રકારની વ્યવસ્થા ન હોય તે કલ્પાતીત.
૯ રૈવેયક
૫ અનુત્તર કુલ ૧૪ ભેદ થાય. બાર દેવલોકની ઉપર નવ રૈવેયક દેવલોકના વિમાનો છે. તેની ઉપર એક જ સપાટીએ વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશાએ એક-એક એમ કુલ પાંચ અનુત્તરવાસી દેવોના વિમાન છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
જીવના કુલ ૫૬૩ ભેદ
ભવનપતિ
વ્યંતર
જ્યોતિષ
વૈમાનિક
૨૫
૨૬
૧૦
૩૮
૯૯
દેવોના કુલ ભેદ
સ્થાવર (એકેન્દ્રિય)
વિકલેન્દ્રિય -
22
પંચે. તિર્યંચ -
સંસારી જીવોના કુલ ભેદ
૨૨
૬
નારકી - ૧૪
૨૦
મનુષ્ય - ૩૦૩
દેવતા - ૧૯૮
કુલ - ૫૬૩
સંસારી જીવોના કુલ ૫૬૩ ભેદ છે.
મોક્ષના જીવો ઃ- તેમના ૧૫ ભેદ છે. તે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ વગેરે ભેદો નવતત્ત્વમાંથી જાણી લેવા.
પર્યાપ્તા
અપર્યાપ્તા
કુલ ૧૯૮ ભેદ થાય
(૧) શરીરની અવગાહના (૩) કાયસ્થિતિ
જીવોને વિષે પાંચ દ્વાર
(૪) પ્રાણ
૨૩
(૨) આયુષ્ય (૫) યોનિ
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૪
દ્વાર-૧ : શરીરની અવગાહના
અવગાહના એટલે ઊંચાઈ
જઘન્ય = ઓછામાં ઓછી, ઉત્કૃષ્ટ = વધારેમાં વધારે. જઘન્ય અવગાહના ઃ- ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે.
ઉત્કૃષ્ટ અવગાહના :- બાદર પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦૦૦ યોજનથી વધુ. બાકીના સર્વ સ્થાવર અને અપર્યા. સંમૂ. મનુષ્યની અંગુલનો અસંખ્યાતમો ભાગ.
બેઈન્દ્રિય તેઈન્દ્રિય ૩ ગાઉ
ચઉરિન્દ્રિય - ૧ યોજન
નારકી
ધનુષ્ય
-
નરક
થી
૨ જી
૩ જી
૪ થી
૫ મી
૬ ટી
૭ મી
૧૨ યોજન
三の
૧૫૫૫
૩૧૦
કા
૧૨૫
૨૫૦
૫૦૦
અવગાહના દ્વાર
૧ યોજન = ૪ ગાઉ
અંગુલ
૬
૧૨
Page #47
--------------------------------------------------------------------------
________________
અવગાહના દ્વાર
ગર્ભજ જળચર
ગર્ભજ ઉરઃપરિસર્પ
ગર્ભજ ભુજપરિસર્પ
ગર્ભજ ચતુષ્પદ
ગર્ભજ ખેચર
પંચેન્દ્રિય તિર્યંચ
સંમૂચ્છિમ જળચર સંમૂચ્છિમ ઉરઃપરિસર્પ
સંમૂચ્છિમ ભુજપરિસર્પ
સંમૂચ્છિમ ચતુષ્પદ સંમૂર્ચ્છિમ ખેચર
અવસર્પિણી
૧ લો આરો
૨ જો આરો
૩ જો આરો
૪ થો આરો
૫ મો આરો
૬ ઢો આરો
મનુષ્ય
૧૦૦૦
૧૦૦૦
૨ થી ૯
ઉત્સર્પિણી
૬ ઢો આરો
૫ મો આરો
૪ થો આરો
૩ જો આરો
૨ જો આરો
૧ લો આરો
૨ થી ૯
૧૦૦૦
૨ થી ૯
૨ થી ૯
૨ થી ૯
૨ થી ૯
ધનુષ્ય
ઉત્કૃષ્ટ શરીરવાળા માછલા વગેરે સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે, સર્પ, ગરોળી વગેરે અઢી દ્વીપની બહાર હોય છે, હાથી વગેરે દેવગુરુ અને ઉત્તરકુરુમાં હોય છે.
યોજન
યોજન
ગાઉ
ગાઉ
ધનુષ્ય
યોજન
યોજન
ધનુષ્ય
ગાઉ
૨૫
ઉત્કૃષ્ટ અવગાહના
૩ ગાઉ
૨ ગાઉ
૧ ગાઉ
૫૦૦ ધનુષ્ય
૭ હાથ
૨ હાથ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૬
ભવનપતિ
વ્યંતર
જ્યોતિષ
૧લો-૨જો દેવલોક
૩જો-૪થો દેવલોક
પમો-૬ટ્ટો દેવલોક
૭મો-૮મો દેવલોક ૯ થી ૧૨ દેવલોક નવ પ્રૈવેયક પાંચ અનુત્તર
૮ જવ
૧૨ અંગુલ ૨ વેંત
૪ હાથ
૨૦૦૦ ધનુષ્ય ૪ ગાઉ
દેવતા
ઉત્તર વૈક્રિય શરીર ઃ- કારણ પ્રસંગે દેવતા, નારકી તથા લબ્ધિધારી મનુષ્ય-તિર્યંચ પોતાના મૂળ શરીરથી જુદુ બીજુ વૈક્રિય શરીર બનાવે તે.
(૧) નારકીને મૂળ શરીરથી બમણું હોય.
(૨) તિર્યંચને ૨૦૦ થી ૯૦૦ યોજન હોય.
(૩) મનુષ્યને ૧ લાખ યોજનથી અધિક હોય. (ચાર આંગળ અધિક) (૪) દેવતાને ૧ લાખ યોજન હોય.
= ૧ અંગુલ
= ૧ વેંત
=
=
=
૭ હાથ
૭ હાથ
૭ હાથ
૭ હાથ
૬ હાથ
૫ હાથ
૪ હાથ
૩ હાથ
૨ હાથ
૧ હાથ
અવગાહના દ્વાર
= ૧ યોજન
૧ હાથ = ૨૪ અંકુલ = ૧/૪ ધનુષ્ય
૧ ધનુષ્ય = ૯૬ અંગુલ
૧ ગાઉ = ૧,૯૨,૦૦૦ અંગુલ
Page #49
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય દ્વાર
(દ્વાર ૨ - આયુષ્ય) આયુષ્ય : જીવને શરીરમાં રહેવાનો કાળ. જઘન્ય દેવતા નારકીને ૧૦,૦૦૦ વર્ષ. શેષ જીવોને અંતર્મુહૂર્ત.
(ઉત્કૃષ્ટ સૂક્ષ્મ જીવો
અંતર્મુહૂર્ત સાધારણ વનસ્પતિકાય
અંતર્મુહૂર્ત સંમૂચ્છિમ મનુષ્યો
અંતર્મુહૂર્ત અપર્યાપ્તા સર્વે જીવો
અંતર્મુહૂર્ત પર્યાપ્તા બાદર પૃથ્વીકાય ૨૨,૦૦૦ વર્ષ પર્યાપ્તા બાદર અકાય ૭,૦૦૦ વર્ષ પર્યાપ્યા બાદ તેઉકાય
૩ અહોરાત્ર પર્યાપ્તા બાદર વાયુકાય
૩,000 વર્ષ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય |૧૦,000 વર્ષ
બેઈન્દ્રિય | ૧૨ વર્ષ તેઈન્દ્રિય | ૪૯ દિવસ ચઉરિન્દ્રિય ૬ માસ
( નારકી) નરક | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય
૧૦,000 વર્ષ | ૧ સાગરોપમ ૧ સાગરોપમ | ૩ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૦ સાગરોપમ | ૧૭ સાગરોપમ
૧૭ સાગરોપમ | ૨૨ સાગરોપમ ૭ મી | ૨૨ સાગરોપમ | ૩૩ સાગરોપમ
૦.
જ
૦
છે
0
=
8 3
દ
m
% 3
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૮
જીવો
ગર્ભજ જળચર ગર્ભજ ઉર:પરિસર્પ
ગર્ભજ ભુજપરિસર્પ
ગર્ભજ ચતુષ્પદ ગર્ભજ ખેચર
પંચેન્દ્રિય તિર્યંચ
સંમૂચ્છિમ જળચર સંમૂચ્છિમ ઉરઃપરિસર્પ સંમૂચ્છિમ ભુજપરિસર્પ સંમૂચ્છિમ ચતુષ્પદ સંમૂચ્છિમ ખેચર
=
અવસર્પિણી
૧ લો આરો
૨ જો આરો
૩ જો આરો
૪ થો આરો
૫ મો આરો
૬ ઢો આરો
આયુષ્ય
૧ ક્રોડ પૂર્વ
૧ ક્રોડ પૂર્વ
૧ ક્રોડ પૂર્વ
૩ પલ્યોપમ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ
૧ ક્રોડ પૂર્વ
૫૩,૦૦૦ વર્ષ
૪૨,૦૦૦ વર્ષ
૮૪,૦૦૦ વર્ષ ૭૨,૦૦૦ વર્ષ
મનુષ્ય
આયુષ્ય
૩ પલ્યોપમ
૨ પલ્યોપમ
આયુષ્ય દ્વાર
૧ પલ્યોપમ
૧ ક્રોડ પૂર્વ૧ ૧૨૦ વર્ષ
૨૦ વર્ષ
ઉત્સર્પિણીમાં આથી વિપરીતપણે જાણવુ.
દેવકુરુ અને ઉત્તરકુરુમાં હંમેશા ૧લો આરો હોય છે. હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક્ ક્ષેત્રમાં હંમેશા ૨ જો આરો હોય છે. હિમવંત ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્રમાં હંમેશા ૩ જો આરો હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ૪ થો આરો હોય છે.
૧. ૧ પૂર્વ
૭૦,૫૬૦ અબજ વર્ષ
Page #51
--------------------------------------------------------------------------
________________
કાયસ્થિતિદ્વાર
૨૯
| દેવતા) દિવ | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય | ભવનપતિ | ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમથી અધિક વ્યંતર | ૧૦,૦૦૦ વર્ષ | ૧ પલ્યોપમ
જ્યોતિષ | ૧/૮ પલ્યોપમ | ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ વૈમાનિક | ૧ પલ્યોપમ | ૩૩ સાગરોપમ
પલ્યોપમ :- ૧ યોજન ઊંડા, ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા વર્તુળાકાર કૂવાને યુગલિયાના એક વાળના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્ય ટુકડા કરીને ઠાંસી ઠાંસીને ભરવો, તેમાંથી દર સો વર્ષે એક વાળનો ટુકડો કાઢતા આખો કૂવો ખાલી થતાં જે સમય લાગે તે ૧ પલ્યોપમ કહેવાય. ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ
કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર
= ૧ પુદ્ગલ પરાવર્ત ( દ્વાર ૩ - કાયસ્થિતિ ] કાયસ્થિતિ : મરીને ફરી તેવાને તેવા જ ભવમાં જન્મવું તે કાયસ્થિતિ.
પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાય | અસંખ્ય કાળચક્ર સાધારણ વનસ્પતિકાય અસંખ્ય કાળચક્ર વિકલેન્દ્રિય
સંખ્યાતા વર્ષ મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ ૭-૮ ભવ દેવ-નારકી
૧ ભવ દેવ-નારકી મરીને ફરી તરત દેવ કે નારકી ન થાય.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રાણ-પર્યાપ્તિ
દ્વાર ૪ - પ્રાણ ] પ્રાણની વ્યાખ્યા શરૂઆતમાં કરી છે.
એકેન્દ્રિય (૪ પ્રાણ) - (૧) સ્પર્શનેન્દ્રિય (૨) કાયબળ (૩) શ્વાસોચ્છવાસ (૪) આયુષ્ય.
બેઈન્દ્રિય (૬ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) કાયદળ (૪) વચનબળ (૫) શ્વાસોચ્છવાસ (૬) આયુષ્ય.
તેઈન્દ્રિય (૭ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) કાયબળ (૫) વચનબળ (૬) શ્વાસોચ્છવાસ (૭) આયુષ્ય.
ચઉરિન્દ્રિય (૮ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) કાયદળ (૬) વચનબળ (૭) શ્વાસોચ્છવાસ (૮) આયુષ્ય.
અસંજ્ઞી પંચેન્દ્રિય (પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોત્રેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) શ્વાસોચ્છવાસ (૯) આયુષ્ય.
(અસંજ્ઞી - મન વગરના, સંજ્ઞી - મનવાળા)
સંજ્ઞી પંચેન્દ્રિય (૧૦ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોત્રેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) મનબળ (૯) શ્વાસોચ્છવાસ (૧૦) આયુષ્ય.
પ્રાણો સાથેનો જીવોનો વિયોગ તે મરણ.
પર્યાપ્તિ એકેન્દ્રિય (૪ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ
વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય (પ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૧
યોનિ
યોનિદ્વાર
સંજ્ઞી પંચેન્દ્રિય (૬ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા (૬) મન
( દ્વાર ૫ - યોનિ | યોનિ - જીવને ઉત્પન્ન થવાનું સ્થાન.
જીવને ઉત્પત્તિના અસંખ્ય સ્થાનો છે. પણ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોનો એક યોનિમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેથી કુલ યોનિ ૮૪ લાખ છે.
જીવો પૃથ્વીકાય
૭ લાખ અકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાઉકાય
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ બેઈન્દ્રિય
૨ લાખ તેઈન્દ્રિય
૨ લાખ ચઉરિન્દ્રિય
૨ લાખ દેવતા
૪ લાખ
૪ લાખ પંચેન્દ્રિય તિર્યંચ
૪ લાખ મનુષ્ય
૧૪ લાખ
૮૪ લાખ મોક્ષના જીવો - તેમને શરીર, આયુષ્યકર્મ, પ્રાણ અને યોનિ ન હોય. તેમની સ્થિતિ સાદિ-અનંત છે.
જીવવિચાર પદાર્થ સંપૂર્ણ
નારકી
Page #54
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
જીવવિચાર
(મૂળ ગાથા તથા શબ્દાર્થ) ભુવણ-પઈવ વીરં, નમિઊણ ભણામિ અબુહ-બોહત્ય T જીવ-સરવે કિંચિ વિ, જહ ભણિયં પુ-સૂરિહિં Ill
ભુવનમાં દીપક સમાન શ્રી વિરપ્રભુને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોના બોધ માટે જીવોનું ટૂંકુ સ્વરૂપ પૂર્વાચાર્યોએ જે પ્રકારે કહ્યું છે તે રીતે હું કહીશ. (૧) જીવા મુત્તા સંસારિણો ય, તસ થાવરા ચ સંસારી | પૂઢવિ જલ જલણ વાઊ, વણસઈ થાવરા નેયા lી
જીવો મુક્ત અને સંસારી છે. સંસારી જીવો ત્રસ અને સ્થાવર બે પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિને સ્થાવર જાણવા.
ફલિહ મણિ રયણ વિદ૬મ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા | કણગાઈ ધાઉ સેઢી, વન્દ્રિય અરણેટ્ટય પલેવા llall અભય તૂરી ઊર્સ, મટ્ટી-પાહાણ-જાઈઓ ભેગા | સોવીરંજણ લૂણાઈ, પુઢવિ-ભેઆઈ ઈચ્ચાઈ III
ફટિક, મણિ, રત્ન, પરવાળા, હિંગળોક, હડતાળ, મણશીલ, પારો, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટો, પારેવો, અબરખ, તેજંતૂરી, ખારો, માટી અને પત્થરોની અનેક જાતિઓ, સુરમો, મીઠું વગેરે પૃથ્વીકાયના ભેદો છે. (૩, ૪) ભોયંતરિફખ-મુદાં, ઓસા હિમ કરગ હરિતણૂ મહિઆ 1 હંતિ ઘણોદહિમાઈ, ભેસાણેગા ચ આઉટ્સ III
ભૂમિનું અને આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપર ફુટી નિકળતું પાણી, ધુમ્મસ, ઘનોદધિ વગેરે અનેક અપકાયના ભેદો છે. (૫)
Page #55
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
ઈંગાલ જાલ મુમ્મર, ઉક્કાસણિ કણગવિજ્જુમાઈઆ 1 અગણિ-જિયાણં ભેયા, નાયવ્વા નિઉણ-બુદ્ધીએ Isl
અંગારા, જ્વાળા, તણખા, ઉલ્કા (આકાશમાં દેખાતા અગ્નિના પટ્ટા), આકાશી તણખા, કણીયા, વિજળી વગેરે અગ્નિકાયના ભેદો સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા. (૬)
ઉભામગ ઉક્કલિયા, મંડલિ મહ સુદ્ધ ગુંજવાયા ય । ઘણ-તણુ-વાયાઈઆ, ભેયા ખલુ વાઉકાયસ્સ III
ઉદ્ધામક (ઉંચે ભમતો) વાયુ, ઉત્કલિક (નીચે ભમતો) વાયુ, વંટોળિયો, મોટો વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે વાયુકાયના ભેદ જાણવા. (૭)
૩૩
સાહારણ પત્તેઆ, વણસ્યઈજીવા દુહા સુએ ભણિયા 1 જેસિમણંતાણં તણૂ, એગા સાહારણા તે ઉ તા
સાધારણ અને પ્રત્યેક એમ વનસ્પતિ જીવો શાસ્ત્રોમાં બે પ્રકારે કહ્યાં છે. જે અનંતા (જીવો)નું એક શરીર તે સાધારણ કહેવાય. (૮) કંદા અંકુર કિસલય, પણગા સેવાલ ભૂમિફોડા ય | અલ્લયતિય ગજ્જર મોત્થ વદ્યુલા થેગ પલંકા IIII કોમલફલં ચ સર્વાં, ગૂઢસિરાઈં સિણાઈ-પત્તાઈં થોહરિ કુંઆરિ ગુન્ગુલિ, ગલોય પમુહાઈ છિન્નરુહા ||૧૦||
કંદો, ફણગા, કિસલય (કુંપળો), નીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આર્દ્રક-ત્રણ (આદું, હળદર, કચરો), ગાજર, મોથ, વત્થલા, થેગ, પાલખું, સર્વ પ્રકારના કુણાં ફળ, ગુપ્ત નસોવાળા શણ વગેરેના પાંદડા, થોર, કુંવાર, ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિકાય છે. તેમને કાપવા છતાં ફરી ઉગે. (૯, ૧૦)
ઈચ્ચાઈણો અણેગે, હવંતિ ભેયા અણંતકાયાણં |
તેસિં પરિજાણણથં, લક્ષ્મણ-મેયં સુએ ભણિઅં ||૧૧||
Page #56
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
ઉપરોક્ત અનંતકાય જીવોના અનેક ભેદો છે. તેઓને જાણવા માટે શાસ્ત્રમાં આ પ્રમાણે લક્ષણ બતાવેલ છે. (૧૧)
ગૂઢસિર-સંધિ-પર્વ્ય, સમભંગ-મહીરગં ચ છિન્નરુહ । સાહારણે સરીરં, તવિવરીઅં ચ પત્તેયં ||૧૨॥ ગુપ્ત નસો-સાંધા-પર્વવાળું, ભાંગતા સરખા ભાગ થાય તેવું, તાંતણા વગરનું, કાપ્યા છતાં ફરી ઉગનારું, સાધારણ વનસ્પતિકાયનું શરીર છે. તેથી વિપરીત પ્રત્યેક વનસ્પતિકાય છે. (૧૨)
૩૪
એગસરીરે એગો, જીવો જેસિં તું તે ય પત્તેયા । ફલ ફૂલ છલ્લિ કટ્ટા, મૂલગ પત્તાણિ બીયાણિ ||૧૩|| જેઓના એક શરીરમાં એક જીવ હોય છે તે પ્રત્યેક વનસ્પતિ છે.
તે ફળ, ફુલ, છાલ, લાકડું, મૂળ, પાંદડા, બીજ વગેરે છે. (૧૩)
પત્તેયતરું મુત્તું, પંચ વિ પુઢવાઈણો સયલ લોએ 1 સુહુમા હવંતિ નિયમા, અંતમુહુત્તાઉ અસ્સિા ||૧૪|| પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પાંચે પૃથ્વી આદિ સૂક્ષ્મ જીવો સકલ લોકમાં નિયમા હોય છે. તે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા તથા અદેશ્ય હોય છે. (૧૪)
સંખ કવડ્ડય ગંડુલ, જલો ચ ચંદણગ અલસ લહગાઈ ।
મેહરિ કિમિ પૂઅરગા, બેઈંદિય માઈવાહાઈ ||૧૫|| શંખ, કોડા, ગંડોળા, જળો, અક્ષ, અળસીયા, લાળીયા વગેરે, માંમણમુંડા, કરમીયા, પોરા, ચૂડેલ વગેરે બેઈન્દ્રિય જીવો છે. (૧૫)
ગોમી મંકણ જૂઆ, પિપીલિ ઉત્તેહિયા ય મક્કોડા । ઈલ્લિય ઘયમિલ્લીઓ, સાવય ગોકીડ જાઈઓ ||૧૬॥ ગહય ચોરકીડા, ગોમયકીડા ય ધનકીડા ય ।
કુંથુ ગોવાલિય ઈલિયા તેઈંદિય ઈંદગોવાઈ ||૧|| કાનખજુરા, માંકડ, જુ, કીડી, ઉધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા, શિંગોડાની જાતિઓ, ગદ્વૈયા, વિષ્ટાના જીવડા, છાણના જીવડા, ધાન્યના
Page #57
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
૩૫
કીડા, કંથવા, ગોપાલિકા, ઈયળ, ગોકળગાય વગેરે તેઈન્દ્રિય જીવો છે. (૧૬, ૧૭)
ચઉરિદિયા ય વિæ, ઢિંકુણ ભમરા ય ભમરિયા તિા ।
મસ્ફિય ડંસા મસગા, કંસારી કવિલ ડોલાઈ ||૧૮॥ વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિય જીવો છે. (૧૮)
પંચિંદિયા ય ચઉહા, નારય તિરિયા મણુસ્સ દેવા ય ।
નેરઈયા સત્તવિહા, નાયવ્વા પુઢવિ-ભેએણં ||૧૯|| પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે :- નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ. તેમાં પૃથ્વીના ભેદોની અપેક્ષાએ નારકી સાત પ્રકારની જાણવી. (૧૯)
જલચર થલયર ખયરા, તિવિહા પંચિંદિયા તિરિા ય । સુસુમાર મચ્છ કચ્છવ, ગાહા મગરા ય જલચારી ||૨|ા જળચર (પાણીમાં રહેનાર), સ્થળચર (જમીન ઉપર રહેનારા) તથા ખેચર (આકાશમાં ઉડનારા) આમ ત્રણ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચો છે. તેમાં સુસુમાર (મોટા મગરમચ્છ) માછલાં, કાચબા, ગ્રાહ, મગર વગેરે જળચર જીવો છે. (૨૦)
ચઉપય ઉરપરિસપ્પા, ભુયપરિસપ્પા ય થલચરા તિવિહા । ગો-સપ્પ-નઉલ-પમુહા બોધવ્વા તે સમાસેણં ||૨૧||
ચતુષ્પદ, પેટે ચાલનારા, તથા હાથથી ચાલનારા એમ સ્થળચર ત્રણ પ્રકારે છે. તે સંક્ષેપમાં ગાય, સર્પ, નોળિયા વગેરે જાણવા. (૨૧) ખયરા રોમયપક્ખી, ચમ્મયપક્ષી ય પાયડા યેવ । નરલોગાઓ બાહિં, સમુગ્ણપક્ખી વિયયપક્ષી ॥૨૨॥ પક્ષીઓ રૂંવાટાની પાંખવાળા (કાગડા, પોપટ, કબુતર વગેરે) તથા ચામડાની પાંખવાળા (ચામાચીડિયા, વાગોળ વગેરે) જાણીતા છે. મનુષ્યલોકની બહાર સંકુચિત પાંખવાળા તથા વિસ્તૃત પાંખવાળા પક્ષીઓ હોય છે. (૨૨)
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૬
ગાથા-શબ્દાર્થ સવ્વ જલ-થલ-ખયરા, સમુચ્છિમાં ગભચા દુહા હૂંતિ |
કમ્મા-કમ્મગભૂમિ-અંતરદીવા મણુસા ચ ||૨૩ll જળચર, સ્થળચર અને ખેચર બધા સંમૂચ્છિમ અને ગર્ભજ બે પ્રકારે છે. મનુષ્યો કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતદ્વપોના એમ ત્રણ પ્રકારે છે. (૨૩)
દસહા ભવસાહિવઈ, અટ્ટવિહા વાણમંતરા હૃતિ |
જોઈસિયા પંચવિહા, દુવિહા વેમાણિયા દેવા ૨૪IL ભવનપતિ દશ પ્રકારે, વ્યંતરો આઠ પ્રકારે, જ્યોતિષ પાંચ પ્રકારે અને વૈમાનિક દેવો બે પ્રકારે હોય છે. (૨૪) સિદ્ધા પનરસ-ભેયા, તિત્કા-તિત્યાઇ સિદ્ધ-ભેએણું |
એએ સંખેવેણ, જીવ-વિગપ્પા સમખાયા રિપIl તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ વગેરે ભેદોની અપેક્ષાએ સિદ્ધો પંદર ભેટવાળા છે. આ પ્રમાણે સંક્ષેપથી જીવોના ભેદો કહ્યા. (૨૫)
એએસિં જીવાણું, સરીરમાઊ ઠિઈ સકાયંમિ ! પાણા-જોણિ-૫માણે, જેસિં જે અસ્થિ તે ભણિમો ૨MI
આ (ઉપરોક્ત ભેદોવાળા) જીવોના શરીર, આયુષ્ય, સ્વકાસ્થિતિ પ્રાણ તથા યોનીઓનું પ્રમાણ જેઓનું જે છે તે કહીએ છીએ. (૨૬)
અંગુલ-અસંખ-ભાગો, સરીર-મેચિંદિયાણ સવૅસિં ! જોયણ-સહસ્સ-મહિય, નવરં પdય-રુફખાણું IlRoll સર્વ એકેન્દ્રિય જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર કાંઈક અધિક હજાર યોજન છે. (૨૭) બારસ જોયણ તિન્નેવ, ગાઉઆ જોરણં ચ અણુકકમસો ! - બેઇંદિય તેઇંદિય, ચઉરિદિય દેહ-મચ્ચત્ત IIરવા
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરની ઊંચાઇ ક્રમશઃ બાર યોજન, ત્રણ ગાઉ અને એક યોજન છે. (૨૮)
Page #59
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
ધણુસરપંચ-પમાણા, નેરઇયા સત્તામાઇ પુઢવીએ !
તત્તો અદ્ધધૂણા, નેયા રયાપહા જાય ll૨૯ll સાતમી નરકના નારકીઓ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા હોય છે. ત્યાંથી ઉપર દરેક નરકમાં અડધા અડધા પ્રમાણવાળા યાવત્ રત્નપ્રભા નારકી સુધી જાણવા. (૨૯)
જોયણ સહસ્સમાણા, મચ્છા ઉરગા ય ગભચા હૃતિ
ધણુહ-પુહુર્તા પખીસુ, ભયચારી ગાઉઅ-પુહુd Il3oll માછલા તથા ગર્ભજ ઉર:પરિસર્પ જીવો હજાર યોજનના પ્રમાણવાળા છે. પક્ષીઓ ધનુષ્ય પૃથકત્વ તથા ભુજપરિસર્પો ગાઉ પૃથકત્વ પ્રમાણવાળા છે. (૩૦)
ખયરા ધણુહપુહd, ભયગા ઉરગા ય જોયણપુહd T. ગાઉઅપુહત્તમિત્તા, સમુચ્છિમાં ચઉLયા ભણિયા Il૩૧II
સંમૂચ્છિમ ખેચર તથા ભુજપરિસર્પ ધનુષ્ય પૃથકત્વ તથા ઉર:પરિસર્પ યોજન પૃથકત્વ અને ચતુષ્પદ ગાઉ પૃથકત્વ માપના કહ્યાં છે. (૩૧)
છચ્ચેવ ગાઉઆઇ, ચઉધ્ધયા ગભયા મુખેચવ્વા | કોસતિગં ચ મણુસ્સા, ઉફકોસસરીર-માણેણં Il૩શા. ગર્ભજ ચતુષ્પદો છ ગાઉના જાણવા, મનુષ્યો ઉત્કૃષ્ટ શરીરના માપે ત્રણ ગાઉના હોય છે. (૩૨)
ઈસાણંતસુરાણ, રાયણીઓ સત્ત હુંતિ ઉચ્ચત્ત ! દુગ જુગ જુગ ચઉ ગેલિજ્જડમુત્તરે ઇફિકફક-પરિહાણી llsall
ઇશાન દેવલોકના અંત સુધી દેવોની ઊંચાઇ સાત હાથ હોય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર (દેવલોકો), રૈવેયકો અને અનુત્તરમાં ક્રમશઃ એક એક હાથ ઘટાડો જાણવો. (૩૩)
બાવીસા પુટવીએ, સત્ત ચ આઉમ્સ તિનિ વાઉસ્સા વાસસહસ્સા દસ તરુ-ગણાણ તેઊ તિરરાઊ ll૩૪ પૃથ્વીકાયનું બાવીશ હજાર વર્ષ, અપકાયનું સાત હજાર વર્ષ,
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૮
ગાથા-શબ્દાર્થ વાઉકાયનું ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાયનું ત્રણ અહોરાત્રિનું આયુષ્ય હોય છે. (૩૪)
વાસાણિ બારસા, બેઇંદિયાણ તેઇંદિયાણં તુ ! અઉણાપન્ન દિશાઇ, ચઉરિદીણં તુ છમ્માસા Il૩પIિ બેઇન્દ્રિયનું બાર વર્ષ, તે ઇન્દ્રિયનું ઓગણપચાસ દિવસ અને ચઉરિન્દ્રિયનું છ માસ આયુષ્ય હોય છે. (૩૫)
સુર-નેરઇયાણ ઠિઈ, ઉફકોસા સાગરાણિ તિત્તીસ ! ચઉપ્પયતિરિયમણસા, તિનિ ય પલિઓવમાં હંતિ 13ળા
દેવ-નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ હોય છે. ચતુષ્પદ, તિર્યો અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ હોય છે. (૩૬)
જલયર-ઉર-ભુયગાણ, પરમાઊ હોઇ પુત્ર કોડીઓ ! પફખીણું પુણ ભણિઓ, અસંખભાગો ય પલિયમ્સ ll3oll
જળચર, ઉર:પરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોટિ વર્ષનું છે. પક્ષીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યું છે. (૩૭)
સર્વે સુહમા સાહારણા ય સમુચ્છિમાં મણુસ્સા ય T
ઉફકોસજહન્નેણ, અંતમુહર્ત ચિચ જિયંતિ ll૩૮|| દરેક સૂક્ષ્મ જીવો, સાધારણ વનસ્પતિકાય, સંમૂચ્છિમ મનુષ્યો ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત જ જીવે છે. (૩૮)
ઓગાહણાપડઉ-માણે, એવું સંખેઓ સમકખાય T જે પુણ ઇત્ય વિસેસા, વિસેસ-સુત્તાઉ તે નેયા ll૩લા
આ પ્રકારે અવગાહના અને આયુષ્યનું ટૂંકું સ્વરૂપ કહ્યું. એમાં જે વિશેષ હકીકત છે તે વિશેષ સુત્રોથી જાણી લેવી. (૩૯)
એબિંદિયા ચ સવ્વ, અસંખ-સિટિપ્પણી સકાયંમિ T. ઉવવર્ષાતિ જયંતિ ય, અસંતકાયા અસંતાઓ II૪૦ના સર્વે એકેન્દ્રિય જીવો પોતાની જ કાયમાં અસંખ્ય ઉત્સર્પિણી સુધી
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૯
ગાથા-શબ્દાર્થ ઉત્પન્ન થાય છે અને મારે છે. તેવી જ રીતે અનંતકાય અનંતી ઉત્સર્પિણી સુધી જન્મે છે અને મરે છે. (૪૦)
સંખિજ સમા વિગલા, સત્તકુભવા પશિંદિતિનિમણુઆ I
ઉવવર્જતિ સકાએ, નારય દેવા ચ નો ચેવ II૪૧|| વિકસેન્દ્રિય જીવો સંખ્યાતા વર્ષો સુધી, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો સાત-આઠ ભવ સુધી પોતાની કાર્યમાં ઉપજે છે. નારકી તથા દેવો નહીં. (પોતાની કાયમાં ફરી ન ઉપજે) (૪૧) દસહા જિયાણ પાણા, ઇંદિય ઊસાસ આઉ બલરૂવા !
એગિંદિએસુ ચઉરો, વિગલેસુ છ સત્ત અહેવ I૪રા.
જીવોને ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બળ રૂપ દશ પ્રકારે પ્રાણો હોય છે. એકેન્દ્રિયને ચાર, વિકસેન્દ્રિયને છે, સાત, આઠ હોય છે. (૪૨)
અસન્નિ સન્નિ પંચિંદિએસુ નવ દસ કમેણ બોધવા |
તેહિં સહ વિધ્ધઓગો, જીવાણું ભન્નએ મરણ ૪૩
અસંજ્ઞી, સંજ્ઞી પંચેન્દ્રિયોને નવ, દશ, જાણવા. તેની (પ્રાણોની) સાથે વિયોગ એ જ જીવોનું મરણ કહેવાય છે. (૪૩)
એવું અણોરપારે, સંસારે સાયરંમિ ભીમંમિ પત્તો અસંતખુત્તો, જીવહિં અપત્ત-ધમૅહિં ૪૪. અનાદિ અનંત સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ ન પામેલા જીવો આ પ્રમાણે અનંતવાર (પ્રાણોના વિયોગરૂપ મરણને) પામ્યા છે. (૪૪) તહ ચીરાસી લકખા, સંખા જોણીણ હોઇ જીવાણું !
પુટવાઈણ ચહિં, પયં સત્ત સત્તેવ l૪પ તથા જીવોની યોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારની દરેકની સાત સાત લાખ યોની છે. (૪૫)
દસ પત્તેય - તરૂણ, ચઉદસ લખા હવંતિ ઇયરેસ I વિગલિંદિએસ દો દો, ચઉરો પંચિંદિતિરિયાણં II૪ઘા
Page #62
--------------------------------------------------------------------------
________________
४०
ગાથા-શબ્દાર્થ પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, ઈતર (સાધારણ વનસ્પતિકાય) ની ચૌદ લાખ, વિકસેન્દ્રિયની બે-બે લાખ અને પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ યોની છે. (૪૬)
ચઉરો ચઉરો નાય-સુરેસ મણુઆણ ચઉદસ હવંતિ | સંપિડિયા ચ સવ્વ, ચુલસી લકખા ઉ જણીë II૪ll. નારકો અને દેવોને ચાર ચાર લાખ, મનુષ્યોને ચૌદ લાખ યોનિ હોય છે. સર્વે એકઠી થવાથી ચોર્યાસી લાખ યોનિઓ થાય છે. (૪૭) સિદ્ધાણં નત્યિ દેહો, ન આઉ કર્મ ન પાણ-જોણીઓ !
સાઇ અણતા તેસિં, કિઈ જિણિંદાગમે ભણિઆ II૪૮ સિદ્ધોને શરીર નથી, આયુષ્ય અને કર્મ નથી, પ્રાણો અને યોનિઓ પણ નથી. તેઓની સ્થિતિ શ્રી જિનાગમોમાં સાદિ અનંત કહી છે. (૪૮)
કાલે અણાઇ-નિહણે, જોણી-ગહણંમિ ભીસણે ઇત્ય T ભમિયા મિહિતિ ચિરં, જીવા જિણ-વણ-મલહંતા Il૪૯તી. જિનવચનને નહીં પામેલાં જીવો અનાદિ અનંતકાળ સુધી આ ભીષણ અને યોનિથી ગહન સંસારમાં ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે. (૪૯)
તા સંપઇ સંપત્ત, મણુઅરે દુલ્લાહ વિ સમ્મત્તે ! સિરિ-સંતિ-સૂરિ-સિક્કે, કરેહ ભો ઉજ્જર્મ ધમે II૫ગી
માટે હવે દુર્લભ એવું મનુષ્યપણું અને સમ્યકત્વ મળ્યા છે. તો લક્ષ્મી અને શાંતિયુક્ત પૂજ્ય પુરુષોએ (શ્રી શાંતિસૂરિ મહારાજે) બતાવેલા ધર્મમાં ઉદ્યમ કરો. (૫૦)
એસો જીવવિચારો, સંખેવ-ઈણ જાણણા-હે ! સંખિત્તો ઉદ્ધરિઓ, રુદ્દાઓ સુય-સમુદ્દાઓ આપવી આ જીવ-વિચાર પ્રકરણ ગંભીર એવા શ્રુતસમુદ્રમાંથી સંક્ષેપરૂચિ જીવોના જ્ઞાનની માટે સંક્ષેપમાં ઉદ્ધર્યુ છે. (૫૧)
Page #63
--------------------------------------------------------------------------
________________
નવતત્ત્વ
( નવ-તત્વ (પદાર્થ-સંગ્રહ) ]
નવતત્ત્વ વ્યાખ્યા ના નામ
જીવ જેનામાં ચેતના હોય તે જીવ. | અજીવ જેનામાં ચેતના ન હોય તે અજીવ. પુણ્ય જે કર્મથી સંસારી જીવો સુખનો અનુભવ કરે તે પુણ્ય. | પાપ જે કર્મથી સંસારી જીવો દુઃખનો અનુભવ કરે તે પાપ. | ૮૨ | આશ્રવ જેનાથી આત્મામાં કર્મોનું આગમન થાય તે આશ્રવ. | ૪૨ | સંવર જેનાથી આત્મામાં કર્મોનું આગમન થતું અટકે તે સંવર. | પ૭ | બંધ આત્મામાં કર્મ પુદ્ગલોની થતી એકમેકતા તે બંધ. | ૪ નિર્જરા આત્મામાંથી કર્મ પુદ્ગલોનું છુટા પડવું તે નિર્જરા. | ૧૨ મોક્ષ સર્વ કર્મ પુદ્ગલોથી મુક્ત બનેલ આત્માનું શુદ્ધ | ૯ | સ્વરૂપ તે મોક્ષ.
ભેદ - ૨૭૬ શેય = જાણવા યોગ્ય :- જીવ, અજીવ. હેય = છોડવા યોગ્ય :- પાપ, આશ્રવ, બંધ. ઉપાદેય = આદરવા યોગ્ય :- પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ.
નવ તત્ત્વની સરોવરની ઉપમાથી સમજણ ૧. જીવ : જ્ઞાનાદિ ગુણરૂપી પાણીવાળું સરોવર. ૨. અજીવ : જીવ સરોવરમાં ભરાયેલો કર્મરૂપી કચરો. ૩. પુણ્ય : શુભ કર્મોનો કચરો. ૪. પાપ : અશુભ કર્મોનો કચરો. ૫. આશ્રવ : કર્મ કચરાને જીવ સરોવરમાં પેસવાના રસ્તા. ૬. સંવર : કર્મ કચરાને જીવ સરોવરમાં પેસતા અટકાવવાના ઢાંકણા.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૨
૭. બંધ ઃ જીવ સરોવરમાં કર્મ કચરાની થયેલી એકમેકતા.
૮. નિર્જરા : કર્મ કચરાને બાળનારુ યંત્ર.
:
૯. મોક્ષ
જીવતત્ત્વ
: સર્વ કર્મ નાશ પામી ગયાથી તદ્દન નિર્મળ બનેલું જીવ સરોવર.
(૧) જીવ તત્ત્વ
જીવ – જેનામાં ચેતના હોય તે જીવ. જ્ઞાનાદિ ગુણોનો આધાર જીવ છે. સુખ-દુઃખનો ભોક્તા જીવ છે. શુદ્ધ જીવ અનંત જ્ઞાન-દર્શનમય છે. સંસારી જીવ કર્મથી મિશ્રિત થયેલ છે. તેથી તેના જ્ઞાન-દર્શન વગેરે ગુણો ઢંકાઈ ગયા છે.
જીવ અને અજીવ બેમાં સમસ્ત વિશ્વનો સમાવેશ થઈ જાય છે. તેમ છતાં પુણ્ય-પાપ વગેરે મહત્ત્વના હોવાથી જુદા તત્ત્વો તરીકે બતાવ્યા છે. જીવ પદાર્થની સિદ્ધિ
નાસ્તિક જીવને માનતો નથી. જીવનો નિષેધ કરે છે. તેથી જ જીવતત્ત્વની સિદ્ધિ થાય છે, કેમકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેનો જ નિષેધ થઈ શકે છે. હું ચોર નથી એમ કહેવાથી ચોર જેવી વસ્તુ જગતમાં હોવાનું સિદ્ધ થાય છે. તેવી રીતે નાસ્તિકના વચનથી તથા માણસના મૃત્યુ પછી મડદામાં જીવ નથી, એમ જે કહેવાય છે તેનાથી જીવ નામની વસ્તુ જગતમાં છે એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- જીવ વસ્તુ ભલે જગતમાં હોય પણ તેને જડ પુદ્ગલથી જુદી શા માટે માનવી ? પુદ્ગલના પરિણામને જ જીવ શા માટે ન માનવો ? પાણીમાં જેમ પરપોટો ઊભો થાય છે અને તેમાં જ તેનો નાશ થાય છે, તેમ પંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)માંથી જીવતત્ત્વ ઉત્પન્ન થાય છે અને તેમાં વિલીન થઈ જાય છે, તેમ માનવામાં શું વાંધો ?
Page #65
--------------------------------------------------------------------------
________________
જીવસિદ્ધિના હેતુઓ
૪૩ જવાબ :- જીવ પંચભૂત રૂપ પુદ્ગલ દ્રવ્યથી જુદો સ્વતંત્ર દ્રવ્ય રૂપ છે. કેમકે પુગલના અને જીવના બન્નેના ગુણ જુદા છે. પાણી અને પરપોટો બન્નેના શીતળતા વગેરે ગુણો સરખા છે. તેથી પરપોટાને પાણીનું પરિણામ મનાય છે. જીવના ગુણ જ્ઞાન, સુખ-દુઃખ, સમતા વગેરે છે. પુદ્ગલના ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે છે.
( જીવ-સિદ્ધિના કેટલાક હેતુઓ ) (૧) જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, વગેરેનો આધાર જીવ છે. (૨) મકાન રચનાર મિસ્ત્રી છે, તેમ શરીરને રચનાર જીવ છે. (૩) અનાજમાંથી રસ, રુધિર, કેશ, નખ, હાડકાં વગેરે બનાવનાર
જીવ છે. (૪) શરીર કારખાનું છે. મગજ ઓફીસ છે. ત્યાંથી સંદેશો બધે જાય
છે. ગળામાં વાજીંત્ર છે. હૃદય મશીન છે. પેટ કોઠાર છે. તેની નીચે પાયખાનું છે. તેની નીચે બે થાંભલા છે. આનું સંચાલન કરનાર મેનેજર તે જીવ. જીવ છે કે નહિ તેની મડદામાં માણસને શંકા પડે છે. અથવા નાસ્તિકને પણ જીવની શંકા છે. તેથી જીવની સિદ્ધિ થાય છે. કેમકે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેની શંકા પડે છે. ટર્ની શંકા પડતી નથી.
જીવના ભેદ જીવવિચારમાં જીવના પ૬૩ ભેદ વિસ્તારથી બતાવેલ છે. અહીં સંક્ષેપમાં કુલ ૧૪ ભેદ બતાવાય છે. પરંતુ આ ચૌદ ભેદમાં પ૬૩ ભેદનો સમાવેશ થઈ જાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
४४
અજીવ તત્ત્વ
પી
જીવના ભેદ અંતર્ગત જીવના ભેદ
અંતર્ગત ભેદ
ભેદ (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય
(૮) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા
પર્યાપ્તા (૨) બાદર એકેન્દ્રિય
(૯) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા
પર્યાપ્તા (૩) બેઈન્દ્રિય અપર્યાપ્તા ૧(૧૦) બેઈન્દ્રિય પર્યાપ્તા (૪) તેઈન્દ્રિય અપર્યાપ્તા ૧(૧૧) તેઈન્દ્રિય પર્યાપ્તા (૫) ચઉરિન્દ્રિય
(૧૨) ચઉરિન્દ્રિય અપર્યાપ્તા
૧, પર્યાપ્તા (૬) અસંશી પંચેન્દ્રિય
(૧૩) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા | ૧૦૬"| પર્યાપ્તા (૭) સંજ્ઞી પંચેન્દ્રિય
(૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા ૨૧ ૨૨ | | પર્યાપ્તા
૨ ૧ ૨ ૩૩૨
૨૩૧ કુલ - પ૬૩
૨ અજીવ તત્ત્વ) અજીવ - જેનામાં ચેતના ન હોય તે અજીવ.
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય કાળ પુલાસ્તિકાય | | | | | | | | | | | | | સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ ૧. ૧૦૧ સંમ્. મનુષ્ય + ૫ સમૂ. તિર્યચ. ૨. ૧૦૧ ગર્ભજ મનુષ્ય + ૯૯ દેવ + ૭ નારકી + ૫ પંચેન્દ્રિય તિર્યંચ = ૨૧ ૨.
Page #67
--------------------------------------------------------------------------
________________
અજીવના ભેદ
૪૫ ધમસ્તિકાય - ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુગલને ગતિમાં સહાયક છે.
અધમસ્તિકાય :- ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક છે.
આકાશાસ્તિકાય :- જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે. કાળ - જુનાને નવું કરે, નવાને જુનું કરે. પુદ્ગલાસ્તિકાય - જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુગલ કહેવાય.
સ્કંધ :- આખું દ્રવ્ય. દેશ - સ્કંધનો અમુક ભાગ. પ્રદેશ :- સ્કંધનો ઝીણામાં ઝીણો અંશ, જેના એકથી બે વિભાગ ન
થાય તે.
પરમાણુ -પુદ્ગલના સ્કંધમાંથી છુટો પડેલો પ્રદેશ તે.
ધર્માસ્તિકાય આદિમાંથી પ્રદેશ છૂટો પડી શકતો નથી, તેથી તેનો પરમાણુ નામનો ચોથો ભેદ નથી; પુદ્ગલાસ્તિકાયમાંથી પ્રદેશ છૂટો પડી શકે છે. તેથી તેનો પરમાણુ નામનો ભેદ છે.
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકો વગેરે બધા પુગલના પરિણામો છે.
અસ્તિ = પ્રદેશ; કાય = સમૂહ; કાળમાં પ્રદેશોનો સમૂહ નથી, તેથી કાળાસ્તિકાય કહેવાય નહિ.
કાળ વર્તમાન સમય રૂપ છે, ભૂતકાળ નાશ પામ્યો છે, ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો નથી. માટે કાળ વર્તમાન સમય રૂપ છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૬
કાળનું કોષ્ઠક
કાળનું કોઠક અસંખ્ય સમય = ૧ આવલિકા
૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ = ૧ મુહૂર્ત ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ
૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વરસ
૫ વરસ = ૧ યુગ ૮૪ લાખ વરસ = ૧ પૂર્વાગ
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ
અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોડા કોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૨૦ કોડા કોડી સાગરોપમ = ૧ કાળચક્ર
અનંતા કાળચક્ર = ૧ પુગલ પરાવર્ત છ દ્રવ્યમાં પરિણામીપણા વગેરેની વિચારણા) ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવ તથા જીવ એ છ દ્રવ્ય કહેવાય છે.
(૧) પરિણામી - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ. જીવ અને પુદ્ગલ એ બે પરિણામી-બાકીના ચાર અપરિણામી.
Page #69
--------------------------------------------------------------------------
________________
પુણ્યતત્ત્વ
૪૭
(૨) જીવ - જીવ દ્રવ્ય જીવ છે. બાકીના પાંચ અજીવ છે.
(૩) રૂપી :- જેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે. પુદ્ગલ રૂપી છે. બાકીના પાંચ અરૂપી છે.
(૪) સપ્રદેશી :- (પ્રદેશવાળા) કાળ અપ્રદેશી છે. બાકીના પાંચ સપ્રદેશ છે.
(૫) એક - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એક છે. બાકીના ત્રણ દ્રવ્ય અનેક છે.
(૬) ક્ષેત્ર :- આકાશ ક્ષેત્ર છે. બાકીના પાંચ દ્રવ્ય ક્ષેત્રી (ક્ષેત્રમાં રહેનાર) છે. ક્ષેત્ર = રાખનાર, ક્ષેત્રી = રહેનાર.
(૭) ક્રિયાવંત - જીવ અને પુગલ ક્રિયાવંત છે. બાકીના અક્રિય છે. ક્રિયાવંત = ગમન આદિ ક્રિયા કરનાર, અક્રિયાવંત = સ્થિર.
(૮) નિત્ય - જીવ અને પુગલ એ અનિત્ય છે. બાકીના ચાર નિત્ય છે. નિત્ય = જેમાં ફેરફાર થાય નહિ તે. અનિત્ય = જેમાં ફેરફાર થાય તે.
(૯) કારણ - જીવદ્રવ્ય અકારણ છે. બાકીના પાંચ દ્રવ્ય કારણ છે. જે દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં નિમિત્ત થાય છે કારણ.
(૧૦) કત :- જીવદ્રવ્ય કર્તા છે. બાકીના પાંચ અકર્તા છે. (૧૧) સર્વવ્યાપી :- આકાશ સર્વવ્યાપી છે. બાકીના પાંચ દેશવ્યાપી
(૧૨) અપ્રવેશી :- કોઈ દ્રવ્ય બીજા રૂપે થતું નથી. માટે બધા દ્રવ્યો અપ્રવેશી છે.
(૩) પુણ્ય તત્ત્વ) પુણ્ય :- જે શુભ કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
४८
પાપતત્ત્વ
| પુણ્યબંધના કારણો (૧) પાત્રને અન્ન આપવાથી (૨) પાત્રને પાણી આપવાથી (૩) પાત્રને સ્થાન આપવાથી (૪) પાત્રને શયન આપવાથી (૫) પાત્રને વસ્ત્ર આપવાથી (૬) મનના શુભ વ્યાપારથી (૭) વચનના શુભ વ્યાપારથી (૮) કાયાના શુભ વ્યાપારથી (૯) દેવગુરુને નમસ્કાર કરવાથી
પુણ્યની પ્રકૃતિ :- ૪૨ શાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, દેવાયુષ્ય, મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ૩ અંગોપાંગ, ૧લુ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, પરાઘાત, શ્વાસોચ્છવાસ, જિન, નિર્માણ, અગુરુલઘુ, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ.
(૪) પાપ તત્ત્વ) પાપ :- જે કર્મના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે.
પાપ બાંધવાના કારણો ૧. પ્રાણાતિપાત (હિંસા) ૨. મૃષાવાદ (જૂઠ)
અદત્તાદાન (ચોરી). ૪. મૈથુન (અબ્રહ્મ) ૫. પરિગ્રહ (ધનાદિની મૂચ્છ) ૬. ક્રોધ ( ૭. માન
૮, માયા
Page #71
--------------------------------------------------------------------------
________________
૮૨-પાપપ્રકૃતિઓ
૪૯
૯. લોભ
૧૦. રાગ ૧૧. દ્વેષ
૧૨. કલહ ૧૩. અભ્યાખ્યાન (આળ મુકવું) ૧૪. પૈશુન્ય (ચાડી) ૧૫. રતિ-અરતિ (હર્ષ-શોક) ૧૬. પર-પરિવાદ (નિંદા) ૧૭. માયા-મૃષાવાદ (માયાપૂર્વક જૂઠ) ૧૮. મિથ્યાત્વશલ્ય
( પાપ પ્રકૃતિ :- ૮૨]. જ્ઞાનાવરણ | ૫ | અશાતા વેદનીય ૧ દર્શનાવરણ ૯ નીચ ગોત્ર અંતરાય ૫ | નરક આયુષ્ય મોહનીય | ૨૬ | નામ કર્મની ૪૫ | +
૩૭ = ૮૨ નામ કર્મની - (૩૪) :- નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિય જાતિ, પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, અશુભ વર્ણાદિ-૪, અશુભ વિહાયોગતિ, નારકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ.
પુણ્ય-પાપ પ્રકૃતિઓની વ્યાખ્યા, વિશેષાર્થ વગેરે સમજણ પ્રથમ કર્મગ્રંથમાંથી જાણી લેવી.
( પુણ્ય-પાપની ચઉભંગી) ૧. પુણ્યાનુબંધી પુણ્ય :- જે પુણ્યના ઉદય વખતે નવું પુણ્ય બંધાય છે. ૨. પાપાનુબંધી પુણ્ય :- જે પુણ્યના ઉદય વખતે નવું પાપ બંધાય તે. ૩. પુણ્યાનુબંધી પાપ:- જે પાપના ઉદય વખતે નવું પુણ્ય બંધાય તે. ૪. પાપાનુબંધી પાપ :- જે પાપના ઉદય વખતે નવું પાપ બંધાય તે.
Page #72
--------------------------------------------------------------------------
________________
આશ્રવતત્ત્વ
. (૫) આશ્રવ તત્ત્વ) આશ્રવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે.
આશ્રવ-૪૨ ઈન્દ્રિય - ૫-પાંચ ઈન્દ્રિયનું પરવશપણું, ઈન્દ્રિયના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ થાય તે.
કષાય - ૪-ક્રોધ-માન-માયા-લોભ. અત - ૫ - પ્રાણાતિપાત - હિંસા
મૃષાવાદ - અસત્ય અદત્તાદાન - ચોરી મૈથુન - અબ્રહ્મ
પરિગ્રહ - ધન-ધાન્ય વગેરે ઉપર મૂચ્છ યોગ - ૩-મન-વચન-કાયાની પ્રવૃત્તિ.
ક્રિયા-૨૫ (૧) કાચિકી - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે. દા.ત. જોયા વિના ચાલે, દોડે, કુદે, પુંજ્યા વગર પડખું ફેરવે છે.
(૨) અધિકરણિકી :-નવા શસ્ત્રો બનાવવા, અથવા જૂના શસ્ત્રોને પરસ્પર જોડવા.
(૩) પ્રાàપિકી - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી :- પોતાને કે બીજાને પીડા ઉપજાવવી. (૫) પ્રાણાતિપાતિકી :- પોતાનો કે બીજાનો વધ કરવો. (૬) આરંભિકી :- જેમાં જીવ કે અજીવનો આરંભ થાય.
(૯) પારિગ્રહિકી :- જેમાં ધન્ય-ધાન્ય આદિનો સંગ્રહ અને મમત્વ થાય.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૧
૨૫ ક્રિયા
(૮) માયાપ્રત્યચિકી -અંદરનો ભાવ છુપાવી બહાર બીજું બતાવવું અથવા જૂઠા સાક્ષી-લેખ કરવા. (૯) મિચ્ચાદર્શનપ્રત્યચિકી - મિથ્યાત્વને કારણે થતી ક્રિયા. (૧૦) અપ્રત્યાખ્યાનિકી - પચ્ચખાણના અભાવે થતી ક્રિયા. (૧૧) દૃષ્ટિકી - જીવ કે અજીવને રાગથી જોવા. (૧૨) સ્પષ્ટિકી :- જીવ કે અજીવને રાગથી સ્પર્શ કરવો.
(૧૩) પ્રાહિત્યકી - બીજાના હાથી, ઘોડા જોઈને રાગ-દ્વેષ થાય અથવા બીજાના આભૂષણો, ઘરેણાં જોઈ રાગ દ્વેષ થાય.
(૧૪) સામંતોપનિપાતિકી પોતાના હાથી, ઘોડા, રથ, આભૂષણો, વગેરે જોઈને બીજા પ્રશંસા કરે કે નિંદા કરે તો રાગ-દ્વેષ થાય, અથવા નાટક સિનેમા-તમાશા-ખેલ વગેરે દેખાડવા, ઘી-તેલ વગેરેના ભજન ઉઘાડા મુકવા.
(૧૫) નૈસૃષ્ટિકી - બીજા પાસે શસ્ત્ર વગેરે ઘડાવવા અથવા યંત્રાદિથી કુવા-સરોવર વગેરે ખાલી કરાવવા અથવા યોગ્ય શિષ્યને કાઢી મુકવો અથવા શુદ્ધ આહાર-પાણી વિના કારણે પરઠવે.
(૧) સ્વહસ્તિકી :- પોતાના હાથે જીવ કે અજીવનો વધ કરે.
(૧૦) આજ્ઞાપનિકી - કોઈની પાસે આજ્ઞા દ્વારા સાવદ્ય કામ કરાવવું.
(૧૮) વૈદારણિકી - જીવ કે અજીવને ફાડી નાખવા અથવા ઠગાઈ કરવી.
(૧૯) અનાભોગિકી :- ઉપયોગ વિના કાંઈપણ લેવું-મુકવું.
(૨૦) અનવકાંક્ષા પ્રત્યચિકી - સ્વપર હિતને અવગણીને આલોક કે પરલોક વિરુદ્ધ આચરણ, ચોરી, પરદા રાગમન વગેરે કરવું.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૨
સંવર તત્ત્વ
(૨૧) પ્રાયોગિકી :- ગૃહસ્થના મન-વચન અને કાયાના શુભઅશુભ યોગરૂપ ક્રિયા.
(૨૨) સામુદાયિકી :- જે ઈન્દ્રિયોના વેપારથી કર્મનો સંગ્રહ થાય તેવી પ્રવૃત્તિ અથવા લોક સમુદાય ભેગા થઈ જે ક્રિયા કરે તે.
(૨૩) પ્રેમિકી - પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજાવે તેવી ક્રિયા કરવી.
(૨૪) કૅપિકી :- પોતે દ્વેષ કરવો અથવા બીજાને દ્વેષ ઉપજાવે તેવી ક્રિયા કરવી.
(૨૫) ઈપથિકી :- માત્ર યોગરૂપ હેતુવાળી ક્રિયા (મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિનાની.) ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે હોય.
( (૬) સંવર તત્વ) સંવર :- જેનાથી નવા કર્મ આત્મામાં આવતા અટકે તે.
સંવરના પ૦ ભેદ સમિતિ
યતિધર્મ
ભાવના પરિષહ ૨૨ | ચારિત્ર
| ૩૦ | + | ૨૭ ] = ૫૭
સમિતિ-૫ સમિતિ એટલે સમ્યગુ પ્રવૃત્તિ. તેના ૫ પ્રકાર છે.
(૧) ઈયસમિતિ :- સાડા ત્રણ હાથ ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે.
(૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્ય વચન બોલવું તે.
ગુપ્તિ
Page #75
--------------------------------------------------------------------------
________________
સમિતિ-ગુપ્તિ
૫૩ સાવધ વચન :- જેમાં હિંસાદિ પાપો લાગે તેવા વચન. જેવા કે આદેશના વચનો, આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, ચોક્કસ જકારપૂર્વકના વચનો.
માટે સાધુએ આદેશના વચનો તેમજ નિશ્ચયાત્મક વચનો ન બોલવા. પ્રાયઃ, વર્તમાન-જોગ, ક્ષેત્ર-સ્પર્શના વગેરે વચનો કહેવા.
(૩) એષણાસમિતિ:- શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ ૪૨ દોષોથી રહિત આહાર ગ્રહણ કરવો તે.
(૪) આદાનભાંડમાત્રનિક્ષેપણા સમિતિ - વસ્ત્ર-પાત્રાદિ કાંઈ વસ્તુ લેતાં મૂકતા જોવું તથા પ્રમાર્જવું. તેવી જ રીતે આસન, સંથારો વગેરે પાથરતાં જમીન પર જોવું અને રજોહરણથી પ્રમાર્જવું (પુંજવું).
(૫) પારિષ્ઠાપનિકા સમિતિ :- મળ-મૂત્ર, કફ, બળવો, થુંક, અશુદ્ધ, આહાર, નિરુપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવ રહિત જગ્યાએ પરઠવવું.
ગુપ્તિ :- ૩ (૧) મનોગુપ્તિ - મનને અશુભ વિચારથી અટકાવવું અને શુભ વિચારમાં પ્રવર્તાવવું.
(૨) વચનગુપ્તિ - સાવદ્ય વચનથી અટકવું અને નિરવદ્ય વચનમાં મુહપત્તિના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે.
(૩) કાયગુપ્તિ - કાયાને સાવદ્યથી રોકવી અને નિરવદ્યમાં પ્રવર્તાવવી.
સમિતિ પ્રવૃત્તિ રૂપ છે અને ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રૂપ છે. તેથી સમિતિમાં ગુપ્તિ નિયમા હોય, જ્યારે ગુપ્તિમાં સમિતિ વિકલ્પ હોય.
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૪
૨૨ પરિષહ
પરિષહ ૨૨
કર્મની નિર્જરા માટે સંયમ માર્ગનો ત્યાગ કર્યા વિના સમતાપૂર્વક સહન કરવા યોગ્ય તે પરિષહ કહેવાય છે. તેવા બાવીશ પરિષહો છે. પરિષહને સાંભળી, જાણી અને અભ્યાસથી જીતી લેવા જોઈએ, પણ સંયમનો નાશ થવા ન દેવો.
(૧) ક્ષુધા :- ભૂખને સહન કરવી, પણ દોષિત આહારને ગ્રહણ કરવો નહિ. તથા મનમાં આર્તધ્યાન ન કરવું.
(૨) તૃષા તરસને સહન કરવી, પણ સચિત્ત પાણી કે મિશ્ર પાણીનો ઉપયોગ કરવો નહીં.
(૩) શીત :- ઠંડી સહન કરવી, પણ અકલ્પ્ય વસ્ત્રાદિ કે અગ્નિની ઈચ્છા કરવી નહીં.
(૪) ઉષ્ણ :- ઉનાળામાં ગરમીમાં ચાલવા છતાં છત્રીની, સ્નાન વિલેપનની કે શરીર ઉપર પાણીના ટીપા નાંખવાની ઈચ્છા ન કરવી.
(૫) દેશ ઃ- મચ્છર, જુ, માંકડ, ડાંસ વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરવી. તેમને મારવા નહીં, તેમજ દ્વેષ ન કરવો.
(૬) અચેલ :- વસ્ત્ર ન મળે, અથવા જીર્ણ મળે તો પણ દીનતા ન કરે. તેમજ બહુ મૂલ્યવાન વસ્ત્રોની ઈચ્છા ન કરવી, પણ જીર્ણ વસ્ર ધારણ કરવા.
(૭) અરતિ :- સંયમમાં પ્રતિકૂળતાદિ આવે ત્યારે કંટાળો ન કરવો. પણ શુભ ભાવના ભાવવી તેમજ સંયમ છોડવા ઈચ્છા ન કરવી.
(c) zail :- સ્ત્રી સંયમમાર્ગમાં વિઘ્નકર્તા છે. તેથી તેના ઉપર રાગપૂર્વક દૃષ્ટિ પણ કરવી નહિ. તથા તેના અંગોપાંગ જોવા નહીં. તેનું ધ્યાન કરવું નહીં અને સ્ત્રીને આધીન થવું નહીં.
Page #77
--------------------------------------------------------------------------
________________
૨૨ પરિષદ
૫૫ (૯) ચય - એક સ્થાને સદાકાળ ન રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો. વિહારમાં કંટાળવું નહીં.
(૧૦) નૈષેલિકી સ્થાન :- શૂન્યગૃહ, શ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું, અથવા સ્ત્રી, નપુંસક, પશુ, આદિ રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા છતાં ઉદ્વેગ ન કરવો.
(૧૧) શય્યા - ઊંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા (સંથારાની જગ્યા) મળવાથી ઉગ ન કરવો. અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરવો.
(૧૨) આક્રોશ :- કોઈ તિરસ્કાર કરે તો તેના ઉપર દ્વેષ ન કરવો. પણ તેને ઉપકારી માનવો.
(૧૩) વધઃ- કોઈ હણી નાંખે, મારી નાખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, તેમજ મનમાં ખરાબ વિચાર ન કરવા.
(૧૪) યાચના :- ગોચરી, પાણી, વસ્ત્રાદિની યાચનામાં લજ્જા ન
રાખવી.
(૧૫) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે એમ વિચારી ઉગ ન કરવો.
(૧૬) રોગ - રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ શાસ્ત્રવિધિ મુજબ નિર્દોષ ઉપચારો કરે અને રોગ દૂર ન થાય તો પણ ધીરજ રાખી પોતાના કર્મના ઉદયને વિચારે.
(૧૦) તૃણ :- તૃણ, ડાભનો સંથારો હોય અને તેની અણીઓ શરીરમાં વાગે અથવા વસ્ત્રનો સંથારો કર્કશ હોવાને કારણે ખેંચે તો પણ ઉગ ન કરતાં સહન કરવું.
(૧૮) મલ - શરીર, કપડાં વગેરે મલિન હોય તો પણ દુર્ગચ્છા ન કરે અને તે દૂર કરવાનો પ્રયત્ન ન કરે. ' (૧૯) સત્કાર :- લોકમાં માન, સત્કાર મળે તેથી આનંદ ન પામવું તથા ન મળે તો ઉદ્વેગ ન કરવો.
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૬
૧૦ યતિધર્મ (૨૦) પ્રજ્ઞા :- બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોય તેથી લોકો પ્રશંસા બહુ કરે તે સાંભળી ગર્વ કે અભિમાન ન કરે. પણ એમ વિચારે કે પૂર્વે મારાથી અનેકગણા બુદ્ધિશાળી અને જ્ઞાની થયેલા છે તો હું કોણ?
(૨૧) અજ્ઞાન - અલ્પબુદ્ધિ અને અજ્ઞાન હોવાથી ઉગ ન કરે, કંટાળો ન લાવે. પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વિચારી સંયમ ભાવમાં લીન બને.
(૨૨) સમ્યક્ત્વ પરિષહ - કષ્ટ કે ઉપસર્ગ આવે અથવા શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ ન સમજાય કે પરદર્શનમાં ચમત્કાર દેખાય તો પણ સર્વજ્ઞભાષિત જિનધર્મથી ચલાયમાન ન થવું.
યતિ ધર્મ - ૧૦ (૧) ક્ષમા - ક્રોધનો અભાવ. (૨) મૃદુતા :- નમ્રતા, અભિમાનનો અભાવ. (૩) આર્જવ - સરળતા, કપટનો અભાવ. (૪) મુક્તિ -નિર્લોભીપણું, લોભનો અભાવ. (૫) તપ :- ઈચ્છાનો નિરોધ કરવો તે તપ.
(૬) સંયમ:- પ-મહાવ્રત, પ-ઈન્દ્રિયનો નિગ્રહ, ૪-કષાયનો જય, ૩-દંડની નિવૃત્તિ.
(૭) સત્ય - પ્રિય, પથ્ય (હિતકારી), તથ્ય (સત્ય) વચન બોલવું. (૮) શૌચ - મન, વચન, કાયાની પવિત્રતા. (૯) અકિંચનતા :- કોઈપણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું. (૧૦) બ્રહ્મચર્ય : મૈથુનનો મન-વચન અને કાયાથી ત્યાગ.
િભાવના - ૧૨ ) (૧) અનિત્ય ભાવના - લક્ષ્મી, કુટુંબ, શરીર વગેરે જગતના તમામ પદાર્થો અનિત્ય છે, નાશ પામનાર છે, એમ ભાવવું તે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૨ ભાવના
૫૭
(૨) અશરણ ભાવના
રોગ, મરણ આદિ પીડાઓ વખતે જીવને સંસારમાં કોઈનું શરણ નથી, એમ ભાવવું તે.
(૩) સંસાર ભાવના :- ૮૪ લાખ યોનિમાં જીવની રખડપટ્ટી ચાલુ છે અને સંસારમાં દરેક જીવો જોડે વિવિધ પ્રકારના સંબંધો થયા છે અને થાય છે, એમ ચિંતવવું-ભાવવું તે.
(૪) એકત્વ ભાવના :- જીવ એકલો જન્મે છે અને એકલો મરે છે અને એકલો કર્મને ભોગવે છે, એમ ભાવવું તે.
(૫) અન્યત્વ ભાવના :- કુટુંબ, પરિવાર, ધન, મકાન, યાવત્ શરીર આ બધું મારું નથી, પારકું છે, એમ ભાવવું તે.
(૬) અશુચિ ભાવના :- આ શરીર રસી, લોહી, માંસ, હાડકાં વગેરે અશુચિ પદાર્થનું બનેલું છે, મળ-મૂત્ર વગેરેથી ભરેલું છે, આવું ચિંતવવુ તે.
--
(૭) આશ્રવ ભાવના :- ૪૨ પ્રકારના આશ્રવોથી આત્મામાં કર્મો પ્રતિસમય આવે છે અને આત્મા તેનાથી (કર્મથી) ભારે થાય છે. એમ ચિંતવવુ તે.
(૮) સંવર ભાવના :- સમિતિ, ગુપ્તિ વગેરે ૫૭ ભેદોનું વારંવાર ચિંતવન કરવું તે.
(૯) નિર્જરા ભાવના :- નિર્જરાના ૧૨ ભેદનું ચિંતવન કરવું તે. (૧૦) લોકસ્વભાવ ભાવના :- ચૌદરાજલોક તથા તેમાં રહેલા છ દ્રવ્યો, દેવતા-નારકો વગેરેના સ્થાનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો વગેરેનો વિચાર કરવો તે.
(૧૧) બોધિદુર્લભ ભાવના :- અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને ચક્રવર્તીપણું, દેવતાપણું, રાજા-મહારાજાપણું વગેરે મળવું સુલભ છે, પરંતુ સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત થવું દુર્લભ છે, એમ ભાવવું. (તેથી સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત કરવા મહેનત કરવી અને પ્રાપ્ત થયું હોય તો તેનું યત્નપૂર્વક રક્ષણ કરવું.)
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૮
૫ ચારિત્ર (૧૨) ધર્મભાવના :- ધર્મથી જ આ સંસારમાં સુખ મળે છે. સૂર્ય, ચન્દ્ર વગેરે પણ ધર્મના પ્રભાવથી જ પ્રકારે છે. અનંત અલોકમાં પણ ચૌદ રાજલોક ધર્મના પ્રભાવથી અદ્ધર ટકી રહ્યો છે, એમ ચિંતવવુંમાનવું તે.
ચારિત્ર - ૫ (૧) સામાયિક :- સમ = જ્ઞાન, દર્શન, ચારિત્ર. આય = લાભ.
જેનાથી જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય તે સામાયિક. સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ આ સામાયિકમાં છે. શ્રાવકને બે ઘડીનું સામાયિક, પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને નાની દીક્ષાથી વડી દીક્ષા સુધીનું ચારિત્ર ઈવરકથિક સામાયિક ચારિત્ર” કહેવાય અને બાવીશ ભગવાનના સાધુઓને દીક્ષાથી જીંદગીના અંત સુધીનું કાવત્રુથિક સામાયિક ચારિત્ર' કહેવાય છે.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર - પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ જેમાં કરવામાં આવે છે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય.
(૧) નાની દીક્ષાવાળાને વડી દીક્ષા અપાય ત્યારથી, અર્થાત્ પહેલા અને છેલ્લા ભગવાનના સાધુને વડી દીક્ષાથી આ ચારિત્ર હોય.
(૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ ચાર મહાવ્રતવાળું શાસન છોડી, પાંચ મહાવ્રતવાળા મહાવીર ભગવાનના શાસનને સ્વીકારે ત્યારે તેમને આ ચારિત્ર હોય છે.
(૩) મુનિને મૂળગુણનો ઘાત થતા પ્રાયશ્ચિત રૂપે પૂર્વ પર્યાયનો છેદ કરી ફરી વ્રત આરોપણ કરાય ત્યારે.
(૩) પરિહારવિશુદ્ધિ - તપ વિશેષ, તેનાથી વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય તે પરિહાર વિશુદ્ધિ. એમાં એક સાથે નવનો સમુદાય હોય.
Page #81
--------------------------------------------------------------------------
________________
૫ ચારિત્ર
પ૯
૪ નિર્વિશમાનક :- તપ કરનાર. ૪ અનુચારક :- સેવા કરનાર. ૧ વાચનાચાર્ય :- વાચના આપે.
તપ
જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગ્રીષ્મકાલ (ઉનાળો) | ચોથ | છઠ્ઠ | અટ્ટમ | શિશિર (શિયાળો) | છઠ્ઠ | અટ્ટમ | દશમ | વર્ષા (ચોમાસુ) | અટ્ટમ | દશમ | દ્વાદશ પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરવાનું, અનુચારક રોજ આયંબિલ કરે.
આ રીતે છ મહિના કરવાનું. પછી સેવા કરનાર તપ કરે, તપ કરનાર સેવા કરે, વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી છ મહીના કરવાનું. પછી વાચનાચાર્ય તપ કરે, એક જણ વાચનાચાર્ય થાય, બાકીના સેવા કરે. આમ અઢાર મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે. ત્યાર પછી પરિહારકલ્પ કરે અથવા જિનકલ્પી થાય અથવા ગચ્છમાં પ્રવેશ કરે.
ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં આ ચારિત્ર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ન હોય. આ ચારિત્ર પ્રથમ સંઘયણી અને પૂર્વધર લબ્ધિવાળાને હોય છે. સ્ત્રીને આ ચારિત્ર ન હોય.
(૪) સૂક્ષ્મસંપરાય :- અત્યંત સૂક્ષ્મ (કિષ્ટિરૂપ) લોભ કષાયનો જ ઉદય હોય છે જ્યાં તેવું ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય. અહીં ક્રોધ, માન, માયા આ ત્રણ કષાયનો ઉદય હોતો નથી.
(૫) ચયાખ્યાત :- સંપૂર્ણ અતિચાર વિનાનું શુદ્ધ ચારિત્ર અથવા જ્યાં મોહનીય કર્મનો સહેજ પણ ઉદય નથી તેવું ચારિત્ર. અહીં સંપૂર્ણ વીતરાગભાવ હોય.
Page #82
--------------------------------------------------------------------------
________________
નિર્જરા તત્ત્વ
ચારિત્ર સામાયિક છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય યથાખ્યાત
ગુણઠાણા ૬,૭,૮,૯ ૬,૭,૮,૯
૬,૭
૧૦ ૧૧,૧૨,૧૩,૧૪
( (૮) નિર્જરા તત્ત્વ નિર્જરા - આત્મા ઉપરથી કર્મ છુટા પડવા તે નિર્જરા કહેવાય.
બાર પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય છે, માટે બાર પ્રકારનો તપ એ જ નિર્જરા છે.
( બાહ્ય તપ-૬ પ્રકારે ) (૧) અનશન :- સિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ. તે બે પ્રકારે છે –
(અ) ઈસ્વર :- અલ્પકાળ માટે આહારનો ત્યાગ. નવકારશી. પોરિસી, એકાસણું, ઉપવાસ વગેરે બધું ઈવર અનશન કહેવાય.
(બ) ચાવત્સરિક - જીવનના અંત સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે યાવત્રુથિક અનશન.
(૨) ઊણોદરી - ભૂખ કરતાં ન્યૂન આહાર કરવો, તેમજ સાધુને ઉપકરણ ઓછા કરવા - રાખવા તે પણ.
(૩) વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગોચરી વગેરેના અભિગ્રહ ધારણ કરવા તે. દ્રવ્યથી :- અમુક દ્રવ્યથી વધારે ન વાપરવા. ક્ષેત્રથી :- અમુક ઘરોથી વધારે ઘેર ન જવું.
કાળથી :- અમુક કાળે (બપોરે અથવા થોડા ટાઈમમાં) જે મળે તે વહોરવુ અને વાપરવુ.
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૧
બાહ્ય-અત્યંતર તપ
ભાવથી -રડતુ બાળક, ગુસ્સે થયેલો માણસ, દીક્ષાર્થિ વગેરે વહોરાવે તો વહોરવું અને વાપરવું.
(૪) રસત્યાગ:- વિગઈઓનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઈ (તળેલું) આ છ વિગઈ કહેવાય છે, અને મધ, માંસ, માખણ, મદિરા (દારૂ) આ ચાર મહાવિગઈ કહેવાય છે. મહાવિગઈઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને બાકીની છ વિગઈઓનો શક્ય તેટલો ત્યાગ કરવો જોઈએ.
(૫) કાયફલેશ :- શરીરને વિવેકપૂર્વક કષ્ટ આપવું, લોચ કરવો, વિહાર કરવો, આતાપના લેવી વગેરે.
(૬) સંલીનતા - ઈન્દ્રિયોને અશુભ માર્ગથી રોકવી, કષાયો તથા મન-વચન-કાયાના અશુભ યોગોને રોકવા, ખરાબ સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું.
આ તપ લોકો જાણી શકે તેવો તપ છે. તથા બાહ્ય શરીર, ઈન્દ્રિયોને અસર કરે છે. તેથી બાહ્ય તપ કહેવાય.
અત્યંતર તપ : ૬ પ્રકારે | (૧) પ્રાયશ્ચિત - જે અતિચાર કે દોષો લાગી ગયા હોય તે ગુરુ પાસે પ્રગટ કરી તેનો દંડ લેવો અને તે વહન કરી આપવો.
(૨) વિનય :- જ્ઞાન-જ્ઞાની, દર્શન-દર્શની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, રત્નાધિક વગેરેની ભક્તિ, બહુમાન, સત્કાર, સન્માન તથા અનાશાતના કરવી.
(૩) વૈયાવચ્ચ :- આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, તપસ્વી, સાધર્મિક, કુલ, ગણ (સમુદાય), સંઘ, શૈક્ષક (નવ દીક્ષિત)ની આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરેથી ભક્તિ કરવી.
(૪) સ્વાધ્યાય :- પાંચ પ્રકારે વાચના - ભણવું-ભણાવવું.
Page #84
--------------------------------------------------------------------------
________________
અત્યંતર તપ
પૃચ્છના - શંકા પડે તો પુછવું. પરાવર્તના - પાઠ કરવો, આવૃત્તિ કરવી. અનુપ્રેક્ષા - અર્થનું ચિંતન કરવું. ધર્મકથા - ધર્મનો ઉપદેશ આપવો.
(૫) ધ્યાન :- યોગની એકાગ્રતા તથા યોગ નિરોધ. ધ્યાન ચાર પ્રકારના છે :
(૧) આર્તધ્યાન. (૨) રૌદ્રધ્યાન.
(૩) ધર્મધ્યાન. (૪) શુકલધ્યાન. (૧) આર્તધ્યાન ચાર પ્રકારે છે :
(૧) ઈષ્ટ વિયોગની ચિંતા (૨) અનિષ્ટ સંયોગની ચિંતા
(૩) રોગની ચિંતા (૪) તપના ફળનું નિયાળું કરવું (૨) રૌદ્રધ્યાન ચાર પ્રકારે છે :
(૧) જીવોની હિંસાનું તીવ્ર ચિંતન. (૨) ગાઢ અસત્યની વિચારણા. (૩) ચોરીનું તીવ્ર ચિંતન. (૪) પરિગ્રહના રક્ષણની તીવ્ર ચિંતા.
(આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસાર વધારનાર છે. તેથી નિર્જરાતત્ત્વમાં એનો સમાવેશ નથી. માત્ર તેના સ્વરૂપને જાણવા અત્રે બતાવેલ છે.) (૩) ધર્મધ્યાન ચાર પ્રકારે :
(૧) ભગવાનની આજ્ઞાની વિચારણા તે આજ્ઞાવિચય. (૨) કર્મના ફળની વિચારણા તે વિપાકવિચય. (૩) વિષયો, કષાયો વગેરેના નુકસાનની વિચારણા તે અપાયરિચય.
(૪) ચૌદ રાજલોકના સ્વરૂપની વિચારણા તે સંસ્થાનવિચય. (૪) શુકલધ્યાન ચાર પ્રકારે :
(૧) પૂર્વધર મહર્ષિને પૂર્વશ્રુતના આધારે જુદા જુદા દ્રવ્ય-પર્યાયોનું
Page #85
--------------------------------------------------------------------------
________________
બંધતત્ત્વ
અર્થ, વ્યંજન (શબ્દ) અને યોગની પરાવૃત્તિવાળું ધ્યાન તે પૃથવિતર્ક સવિચાર.
(૨) પૂર્વધર મહર્ષિને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું અર્થ, વ્યંજન અને યોગની પરાવૃત્તિ વિનાનું અભેદપ્રધાન ચિંતન તે એકત્વ વિતર્ક અવિચાર.
(૩) કેવળજ્ઞાની ભગવંતને મન, વચનના યોગનો તથા શ્વાસોચ્છ્વાસનો નિરોધ થયા પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર કાયયોગનો નિરોધ કરતા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન હોય.
(૪) મન, વચન, કાયાના યોગથી રહિત કેવળજ્ઞાની ભગવંતને શૈલેશી અવસ્થામાં વ્યુપરતક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય.
આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે. રૌદ્રધ્યાનથી નરકગતિ મળે.
ધર્મધ્યાનથી દેવગતિ મળે. શુક્લધ્યાનથી મોક્ષ મળે.
૬૩
(૬) કાયોત્સર્ગ :- કાયા વગેરેના વ્યાપારનો ત્યાગ કરીને અમુક નિશ્ચિત પ્રમાણના ધ્યાનમાં રહેવું તે.
(૮) બંધ તત્ત્વ
બંધ :- પ્રતિસમય દરેક સંસારી જીવ મિથ્યાત્વાદિ હેતુઓ વડે જે અવગાહનામાં પોતે રહેલો છે ત્યાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્મા સાથે ક્ષીરનીરવત્ અથવા લોહઅગ્નિવત્ એકમેક કરે છે. આ ક્રિયાને કર્મબંધ કહેવાય છે. આત્માની સાથે એકમેક થયેલા કાર્પણ પુદ્ગલોને કર્મ કહેવાય છે.
કર્મબંધના ચાર પ્રકાર છે.
(૧) પ્રકૃતિબંધ
-
કર્મબંધ વખતે કોઈ કર્મ જ્ઞાન ગુણને ઢાંકે,
Page #86
--------------------------------------------------------------------------
________________
६४
૪ પ્રકારનો બંધ કોઈ સુખ આપે, કોઈ ઊંચા કુળમાં જન્મ આપે વગેરે કર્મનો જે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ.
(૨) સ્થિતિબંધ :- કર્મ બાંધતી વખતે તે કર્મને આત્માની જોડે રહેવાનો જે કાળ નક્કી થાય તે સ્થિતિબંધ.
(૩) રસબંધ - કર્મ બાંધતી વખતે તેની તીવ્ર કે મંદ ફળ આપવાની જે શક્તિ નક્કી થાય છે તે રસબંધ.
(૪) પ્રદેશબંધ :- કર્મના દળની સંખ્યા તે પ્રદેશ. કર્મ બાંધતી વખતે જેટલા પ્રમાણમાં કર્મના દળિયા (પ્રદેશો) ગ્રહણ થાય છે તે પ્રદેશબંધ.
મોદકનું દષ્ટાંત જેમ કોઈ મોદકનો વાયુ દૂર કરવાનો, કોઈનો પિત્ત દૂર કરવાનો વગેરે સ્વભાવ હોય, તેવી રીતે કર્મ બાંધતી વખતે તેનામાં જ્ઞાન ગુણ ઢાંકવાનો, સુખ ઉપજાવવાનો વગેરે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ.
કોઈ લાડવો દશ દિવસ ટકે, કોઈ પંદર દિવસ રહે, તેમ કર્મ બાંધતી વખતે તે કર્મ અમુક કાળ સુધી આત્મા જોડે રહેશે તેવું નક્કી થવું તે સ્થિતિબંધ.
કોઈ મોદક અત્યંત ગળપણવાળો હોય, કોઈ અલ્પ ગળપણવાળો હોય, તેમ કોઈ કર્મ અત્યંત તીવ્ર ફળ આપે, કોઈ કર્મ મંદ ફળ આપે, તેવું કર્મ બાંધતી વખતે નક્કી થવું તે રસબંધ.
કોઈ મોદક અલ્પ દળવાળો હોય, કોઈ વધારે દળવાળો હોય, તેમ કર્મ બાંધતી વખતે કર્મના દળનો સમૂહ જે ગ્રહણ થાય છે તે પ્રદેશબંધ.
પ્રિકૃતિબંધ) કર્મની મૂળ ૮ પ્રકૃતિ છે. તથા તેના ઉત્તરભેદ ૧૫૮ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિબંધ-સ્થિતિબંધ
૬૫
વ્યાખ્યા
નામ
જેવું
કયા ગુણને ઉત્તર દષ્ટાંત
ઢાંકે? | | ભેદ ૧ | જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ બોધ અનંતજ્ઞાન | ૫ | આંખે પાટા રૂપ જ્ઞાનને ઢાંકે તે |
બાંધવા જેવું ૨ દર્શનાવરણ વસ્તુના સામાન્ય બોધ અનંતદર્શન | ૯ |દ્વારપાળ
રૂપ દર્શનને ઢાંકે તે વેદનીય |સખ-દ:ખનો અનય
સુખ-દુઃખનો અનુભવ અવ્યાબાધ સુખ ૨ | મધથી લેપાયેલી કરાવે તે
તલવાર જેવું ૪ | મોહનીય જીવને સાચા અનંતચારિત્ર | ૨૮ દારૂપાન જેવું
ખોટાના વિવેકથી
રહિત કરે તે. ૫ | આયુષ્ય ભવમાં પકડી રાખે તે અક્ષયસ્થિતિ | ૪ |બેડી જેવું ૬ | નામ જીવને ગતિ આદિ |અરૂપીપણું ૧૦૩ ચિતારા જેવું
પર્યાયોનો અનુભવ
કરાવે તે. || ગોત્ર ઊંચા નીચા કુળનો અગુરુલઘુપણું ૨ કુંભાર જેવું
અનુભવ કરાવે તે. ૮ | અંતરાય જીવને દાન, લાભ, અનંતશક્તિ | પ ખજાનચી જેવું
ભોગ વગેરેથી અટકાવે તે
સ્થિતિબંધ નિં. કર્મ | ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ | (૧) જ્ઞાનાવરણ | ૩૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત | (૨) દર્શનાવરણ ૩૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત | (૩) વેદનીય | ૩૦ કોડા કોડી સાગરોપમ | ૧૨ મુહૂર્ત (૪) મોહનીય | ૭૦ કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત
Page #88
--------------------------------------------------------------------------
________________
મોક્ષતત્ત્વ
આયુષ્ય ૩૩ સાગરોપમ | અંતર્મુહૂર્ત નામ ૨૦ કોડા કોડી સાગરોપમ | ૮ મુહૂર્ત ગોત્ર ૨૦ કોડા કોડી સાગરોપમ | ૮ મુહૂર્ત અંતરાય
૩) કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત
(૯) મોક્ષ તત્ત્વ) મોક્ષ - સઘળા ય કર્મનો ક્ષય થવાથી પ્રગટ થયેલ આત્માનું શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ.
સંપૂર્ણપણે કર્મના બંધનથી મુક્ત થયેલ જીવ ઊર્ધ્વગતિએ એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર લોકના અંતે પહોંચી જાય છે. ત્યાં બીજા અનંતા સિદ્ધના જીવો હોય છે. સિદ્ધ થયેલ જીવોને પાછું સંસારમાં આવવાનું રહેતું નથી. ત્યાં રહેલો જીવ પ્રતિસમય જગતના સર્વ પદાર્થોના ત્રણે કાળના પદાર્થોને જુવે છે અને જાણે છે અને અનંત સુખમાં મહાલે છે. જન્મ, જરા, મરણ, ભૂખ, તૃષા, રોગ, ચિંતા, દરિદ્રતા, શોક, ફ્લેશ વગેરે સંસારના કોઈપણ દુ:ખો આ જીવોને કદિ પણ હવે ભોગવવાના નથી. જન્મનું કારણ કર્મ હતું તેનો સંપૂર્ણ નાશ થવાથી હવે ક્યારે પણ મોક્ષમાં ગયેલ જીવને જન્મ લેવો પડતો નથી. ત્રણે લોકના સર્વ જીવોના ત્રણે કાળના એકત્રિત સુખથી સિદ્ધના એક જીવનું સુખ અનંતગણું છે.
મોક્ષ તત્ત્વની નવ અનુયોગદ્વારથી વિચારણા કરવાની છે. સત્પદ, દ્રવ્ય, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ, અલ્પબદુત્વ.
૧) સત્પદ - અસ્તિત્વ પ્રશ્ન :- મોક્ષ છે કે નહિ ? તે વિચારણા ઉત્તર:- “મોક્ષ' એ શુદ્ધપદવાણ્ય શબ્દ હોવાથી મોક્ષ છે. શુદ્ધ = અવર્થવાળું એક પદ. કઈ કઈ માર્ગણામાંથી મોક્ષ થાય છે?
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૪ માર્ગણા
મૂળ માર્ગણા ૧૪, ઉત્તર માર્ગણા ૬૨ છે. (૧) ગતિ : ૪ - નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ.
(૨) ઈન્દ્રિય : ૫:- એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
(૩) કાય : ૬:- પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય.
(૪) યોગ : ૩:- મનયોગ, વચનયોગ, કાયયોગ. (૫) વેદઃ ૩:- પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. (૬) કપાય ઃ ૪:- ક્રોધ, માન, માયા, લોભ.
() જ્ઞાનઃ ૮:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન.
(૮) સંયમઃ ૭ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ.
(૯) દર્શન : ૪ :- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન.
(૧૦) લેશ્યા : ૬ :- કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પાલેશ્યા, શુલલેશ્યા.
(૧૧) ભવ્ય : ૨ - ભવ્ય, અભવ્ય.
(૧૨) સમ્યકત્વ : ૬:- ક્ષયોપથમિક સમ્યકત્વ, ઔપથમિક સમ્યકત્વ, ક્ષાયિક સમ્યત્વ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર.
(૧૩) સંજ્ઞી : ૨ - સંજ્ઞી, અસંશી. (૧૪) આહારી : ૨ :- આહારી, અણાહારી.
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૮
૯ અનુયોગદ્વાર મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવળજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવળદર્શન, ભવ્ય, સંજ્ઞી, અણાહારી, ક્ષાયિક સમ્યકત્વ, આ દશ માર્ગણામાંથી મોક્ષ થાય છે.
(૨) દ્રવ્ય - સંખ્યા. પ્રશ્ન :- મોક્ષમાં જીવોની સંખ્યા કેટલી ? ઉત્તર :- મોક્ષમાં જીવો અનંતા છે. (૩) ક્ષેત્ર - પ્રશ્ન :- મોક્ષના જીવો કેટલા ક્ષેત્રમાં છે?
ઉત્તર :- એક જીવ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. સર્વ જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
(૪) સ્પર્શના - ક્ષેત્રથી કંઈક અધિક છે.
(૫) કાળ - એક જીવ આશ્રયી સાદિ અનંત અને સર્વ જીવોને આશ્રયી અનાદિ અનંત.
(૬) અંતર:- નથી. (મોક્ષમાંથી પાછા સંસારમાં આવી અને ફરી મોક્ષમાં જવાનું હોતું નથી માટે.)
() ભાગ - સર્વ જીવોના અનંતમા ભાગે મોક્ષના જીવો છે.
(૮) ભાવ :- જ્ઞાન, દર્શન ક્ષાયિક ભાવે હોય છે. જીવપણું પારિણામિક ભાવે હોય છે.
(૯) અલ્પબદુત્વ - નપુંસકસિદ્ધ-થોડા, સ્ત્રીસિદ્ધ-સંખ્યાતગુણા, પુરુષસિદ્ધ-સંખ્યાતગુણા.
( સિદ્ધના પંદર ભેદ) (૧) જિનસિદ્ધ - તીર્થકર થઈને મોક્ષે જાય છે. દા.ત. ઋષભદેવ આદિ તીર્થકર ભગવંતો.
(૨) અજિનસિદ્ધ - તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય છે. દા.ત. ગણધર ભગવંતો વગેરે.
Page #91
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના ૧૫ ભેદ
(૩) તીર્થસિદ્ધ - તીર્થ (શાસન) ચાલુ હોય ત્યારે મોક્ષે જાય તે જંબૂસ્વામી વગેરે.
(૪) અતીર્થસિદ્ધ - તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થના વિચ્છેદ પછી મોક્ષે જાય છે. દા.ત. મરુદેવી માતા.
(૫) સ્વલિંગસિદ્ધ :- સાધુ વેશમાં કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય તે.
(૬) ગૃહિલિંગસિદ્ધ :- ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. ભરત ચક્રવર્તિ વગેરે.
(૦) અન્યલિંગસિદ્ધ :- તાપસાદિ અન્ય દર્શનીઓના વેષમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. વલ્કલચીરી વગેરે.
(૮) સ્ત્રીસિદ્ધ - સ્ત્રી મોક્ષે જાય છે. દા.ત. ચંદનબાળા વગેરે. (૯) પુરુષસિદ્ધ -પુરુષ મોક્ષે જાય છે. દા.ત. ગૌતમસ્વામી વગેરે. (૧૦) નપુંસકસિદ્ધ :- નપુંસક મોક્ષે જાય છે. દા.ત. ગાંગેય વગેરે.
(૧૧) સ્વયંબુદ્ધસિદ્ધ:- પોતાની જાતે નિમિત્ત વિના બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કપિલ વગેરે.
(૧૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ :- પોતાની જાતે નિમિત્તથી બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કરકંડુ વગેરે.
(૧૩) બુદ્ધબોધિતસિદ્ધ - બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તે.
(૧૪) એકસિદ્ધ - એક સમયે એક જ મોક્ષે જાય છે. દા.ત. મહાવીર સ્વામી.
(૧૫) અનેકસિદ્ધ - એક સમયે અનેક મોક્ષે જાય છે. દા.ત. ઋષભદેવ સ્વામી.
Page #92
--------------------------------------------------------------------------
________________
નિરંતર કેટલા સિદ્ધ થાય?
| | એક સમયે વધુમાં વધુ ૧૦૮ જીવો મોક્ષે જાય | ૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી સતત મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. પ્રશ્ન :- અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષમાં ગયા છે?
ઉત્તર :- અત્યાર સુધીમાં એક નિગોદમાં જેટલા જીવો છે તેના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષમાં ગયા છે. ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે કેવળજ્ઞાની ભગવંતોને કોઈ પુછશે કે કેટલા જીવો મોક્ષમાં ગયા છે? ત્યારે કેવળજ્ઞાની ભગવંતોનો એ જ ઉત્તર હશે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો છે.
જીવાદિ નવતત્ત્વોને જાણે તેનામાં સમ્યકત્વ હોય છે, ન જાણે છતાં જેને નવતત્ત્વમાં શ્રદ્ધા હોય તેનામાં પણ સમ્યકત્વ અવશ્ય હોય છે.
જિનેશ્વર ભગવંતોએ કહેલા કોઈપણ વચનો ક્યારે પણ અસત્ય હોય જ નહિ એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેનું સમકિત નિશ્ચલ (દઢ) જાણવું.
અંતમુહૂર્ત માત્ર પણ સભ્યત્વ જે જીવને પ્રાપ્ત થાય છે, તે અર્ધપુગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. અર્થાત્ તેટલા કાળમાં અવશ્ય મોક્ષે જાય.
નવતત્ત્વના પદાર્થ સંપૂર્ણ આ આખા ગ્રંથમાં છદ્મસ્થપણાદિના કારણે શ્રી જિનવચન વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ “મિચ્છામિ દુક્કડમ્' દઉં છું.
Page #93
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
નવતત્વ
મૂળ ગાથા તથા શબ્દાર્થ
જીવા-જીવા પુર્ણ, પાવા-સવ સંવરો ય નિજરણા | બંધો મુકખો ય તહા, નવતત્તા હંતિ નાયબ્બા ||૧||
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જાણવા યોગ્ય છે. (૧) ચઉદાસ ચઉદસ બાયાલીસા, બાસી ય હૃતિ બાપાલા I
સત્તાવન્ને બારસ, ચઉ નવ ભેયા કમેણેસિં પરણી એના (નવતત્ત્વના) ભેદો ક્રમશઃ ચૌદ, ચૌદ, બેતાલીશ, વ્યાશી, બેતાલીશ, સત્તાવન, બાર, ચાર, નવ છે. (૨)
જીવતત્ત્વ એગવિહ વિહ તિવિહા, ચઉવિહા પંચ છવિહા જીવા |
ચેયસ તસ ઇયરહિં, વેચ-ગઈ-કરણ-કાએહિં II3II ચેતન, ત્ર-સ્થાવર, વેદ, ગતિ, ઇન્દ્રિય અને કાયની અપેક્ષાએ જીવો એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે છે. (૩) એબિંદિય સુહમિયરા, સન્સિયર પશ્ચિંદિયા ચ સબિતિચક |
અપજત્તા પwત્તા, કમેણ ચઉદસ જિયટ્ટાણા ll૪ો. સુક્ષ્મ અને બાદર એકેન્દ્રિય, સંજ્ઞી અને અંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (આમ કુલ ૭) અપર્યાપ્તા અને પર્યાપ્તા થઈ કુલ ચૌદ જીવસ્થાનક છે. (૪)
નાણં ચ દંસણં ચેવ, ચરિત્ત ચ તવો તહા વીરિય ઉવઓગો ય, એ જીવસ્ય લકખણં પી
Page #94
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ
છે. (૫)
૭૨
આહાર સરીરિંદિય, પજ્જત્તી આણપાણ-ભાસ-મણે । ચઉ પંચ પંચ છપ્પિય, ઇગ-વિગલાડસન્નિ-સન્નીણું ||૬|I આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન - આ છ પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયને ક્રમશઃ ૪, ૫, ૫ અને ૬ પર્યાપ્તિઓ હોય છે. (૬)
પણિંદિઅ તિબલૂસાસાઊ, દસ પાણ ચઉ છ સગ અટ્ટ | ઇગ-દુ-તિ-ચઉરિંદીણં, અસન્નિ-સન્નીણ નવ દસ ય llll પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો છે, તેમાંથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને ચાર, છ, સાત, આઠ ક્રમશઃ હોય છે અને અસંશી (પંચેન્દ્રિય) અને સંશીને નવ અને દશ હોય છે. (૭)
અજીવતત્ત્વ
ધમ્મા-ધમ્માડડગાસા, તિય તિય ભેયા તહેવ અદ્ધા ય 1 ખંધા દેસ પએસા, પરમાણુ અજીવ ચઉદસહા IIII ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદ છે. તથા કાળ (૧ ભેદ) તેમજ (પુદ્ગલાસ્તિકાયના) સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (૪ ભેદ), એમ કુલ ચૌદ ભેદ અજીવતત્ત્વના છે. (૮)
ધમ્મા-ધમ્મા પુગ્ગલ, નહ કાલો પંચ કુંતિ અજીવા ચલણસહાવો ધમ્મો, થિરસંઠાણો અહમ્મો ય IIIા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાળ આ પાંચ અજીવ છે. જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયક ધર્માસ્તિકાય છે. તથા સ્થિર રહેવામાં સહાયક અધર્માસ્તિકાય છે. (૯)
Page #95
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
અવગાહો આગાસ, પુગ્ગલ-જીવાણ પુગ્ગલા ચઉહા । ખંધા દેસ પએસા, પરમાણુ ચેવ નાયવ્વા ॥૧૦॥ આકાશ (જીવ અને પુદ્ગલને) અવકાશ (જગ્યા) આપવાના સ્વભાવવાળું છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ ચાર પ્રકારે પુદ્ગલો જાણવા. (૧૦)
૭૩
સધયાર ઉજ્જોઅ, પભા છાયાતવેહિ અ ।
વર્ણી ગંધ રસા ફાસા, પુગ્ગલાણં તુ લક્ષ્મણું ||૧૧|| શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ પુદ્ગલો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ વળી પુદ્ગલોનું લક્ષણ છે.
એગા કોડિ સત્તસટ્ટી, લક્ષ્ા સતહત્તરી સહસ્સા ય। દો ય સયા સોલહિઆ, આવલિઆ ઇગમુહુત્તમ્મિ ૧૨॥ એક મુહૂર્તમાં એક ક્રોડ, સડસઠ લાખ, સિત્તોતેર હજાર, બસો ને સોળ આવલિકા હોય છે. (૧૨)
સમયાવલી મુહુવા, દીહા પક્ષ્ા ય માસ રિસા ય I ભણિઓ પલિઆ સાગર, ઉસ્સપ્પિણિ-સર્પિણી કાલો ||૧૩|| સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી એ કાળ છે. (૧૩)
પરિણામિ જીવ મુર્ત્ત, સપએસા એગ ખિત્ત કિરિઆ ય ।
ણિચ્ચું કારણ કત્તા, સવ્વગય ઇયર અપ્પવેસે ॥૧૪॥ પરિણામી, જીવ, મૂર્ત, સપ્રદેશી, એક ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા, સર્વવ્યાપી, ઇતર અપ્રવેશી (વગેરે છ દ્રવ્ય વિષે વિચારવું). (૧૪)
પુણ્યતત્ત્વ
સા ઉચ્ચગોઅ મણુદુગ, સુરદુગ પંચિંદિજાઇ પણદેહા । આઇતિતણુવંગા, આઇમ-સંઘયણ-સંઠાણા ॥૧૫॥
Page #96
--------------------------------------------------------------------------
________________
७४
ગાથા-શબ્દાર્થ વન ચઉકા-ગુરુલહુ પરઘા ઉસ્સાસ આયવુજ્જોએ I સુભખગઈ નિમિણ તસદસ, સુરનરતિરિઆઉ તિવૈયર II૧ળા.
શાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્રિક, દેવદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, આદ્ય ત્રણ શરીરના ઉપાંગ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભવિહાયોગતિ, નિર્માણ, ત્રસદશક, દેવ-મનુષ્ય-તિર્યંચાયુષ્ય, તીર્થકર નામકર્મ (એ ૪૨ પુણ્યતત્ત્વના ભેદ છે.) (૧૫, ૧૬)
તસ બાયર પwત્ત, પત્તે વિરે સુભ ચ સુભગ ચ | સુસર આઇજ જર્સ, તમાઇ-દસગં ઇમં હોઈ I/૧ળી
ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ એ ત્રસદશક છે. (૧૭)
પાપતત્ત્વ નાણું-તરાય દસગં, નવ બીએ નીઆ સાચ મિચ્છd I થાવર દસ નિયતિગ, કસાય પણવીસ તિરિયદુર્ગ II૧૮ll ઇગ બિ સિ ચઉ જાઈઓ, કુખગઇ ઉવઘાય હૃતિ પાવર્સી I
અપસત્યં વન-ચઊ, અપટમ-સંઘયણ-સંડાણા ll૧૯ll જ્ઞાનાવરણ-અંતરાય દશક, નવ બીજા કર્મ (દર્શનાવરણ)ના, નીચગોત્ર, આશાતા-વેદનીય, મિથ્યાત્વ, સ્થાવરદશક, નરકત્રિક, પચીશ કષાય, તિર્યચદ્રિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અશુભવર્ણાદિ ચાર, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન (એ ૮૨ પાપતત્ત્વના ભેદો છે) (૧૮, ૧૯) થાવર સુહમ અપર્જ, સાહારણ-મથિયર-મસુભ દુભગાણિ | દુસ્સર-હાઇજ્જ-જર્સ, થાવરદસગં વિવજ્જત્યં |૨૦માં
સ્થાવર, સૂમ, અપર્યાપ્તા, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અપયશ, એ સ્થાવર દશક (ત્રણ દશકથી) વિપરીત અર્થવાળું છે. (૨૦)
Page #97
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
૭૫
આશ્રવતત્વ ઇંદિઆ કસાય અવ્વય જોગા, પંચ ચઉ પંચ મિનિ કમા I કિરિયાઓ પણવીસ, ઇમા ઉ તાઓ અણુકકમસો ll૨૧||
ઇન્દ્રિય, કષાય, અવ્રત, યોગ ક્રમશઃ પાંચ, ચાર, પાંચ, ત્રણ છે. ક્રિયાઓ પચીશ છે, તે અનુક્રમે આ પ્રમાણે છે. (૨૧)
કાઇઅ અહિગરણીઆ, પાઉસિયા પારિતાવણી કિરિયા
પાણાઇવાયરંભિઅ, પરિગ્દહિયા માયવત્તી ય ll૨૨શી મિચ્છા-દંસણ-વત્તી, અપચ્ચખાણા ય દિઠિ પુઠી આ I
પાષ્યિઅ સામંતો-વણીઆ નેસલ્વેિ સાહ–ી Il૨all આણવણિ વિઆરણિઆ, અણભોગા અણવતંખપચ્ચઇઆ I અના પઓગ સમુદાણ, પિન્જ દોસેરિયાવહિઆ ૨૪TI
કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી, સ્મૃષ્ટિકી, પ્રાતિયકી, સામન્તોપનિપાતિકી, નૈસૃષ્ટિકી, સ્વસ્તિકી, આજ્ઞાપનિકી, વૈદારણિકી, અનાભોગિકી, અનવકાંક્ષાપત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, પ્રેમિકા, કેષિકી, ઇર્યાપથિકી. (૨૨, ૨૩, ૨૪)
સંવરતત્ત્વ સમિઈ ગુત્તી પરિસહ, જઇધમ્મો ભાવણા ચરિત્તાસિ | પણ તિ દુવીસ દસ બાર, પંચ ભેએહિં સગવના ll૨૫ll
સમિતિ, ગુપ્તિ, પરિષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્રના ક્રમશઃ પાંચ, ત્રણ, બાવીશ, દશ, બાર અને પાંચ ભેદો વડે સંવરના સત્તાવન પ્રકાર છે. (૨૫)
ઇરિયા-ભાસે-સણા-દાણે, ઉચ્ચારે સમિઈસુ અT મણગુની વયગુરી, કાયગુરી તહેવ ચ ા૨શા
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૬
ગાથા-શબ્દાર્થ
સમિતિઓમાં ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર (પારિષ્ઠાપનિકા) સમિતિ છે. તેવી જ રીતે ગુપ્તિમાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ છે. (૨૬) ખુહા પિવાસા સી ઉલ્ટું, દંસા ચેલારઇન્થિઓ । ચરિઆ નિસીહિયા સિજ્જા, અલ્કોસ વહ જાયણા ॥૨૭॥
અલાભ રોગ તણફાસા, મલ સકાર પરિસહા । પન્ના અનાણ સમ્માં, ઇઅ બાવીસ પરિસહા ||૨૮॥ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષધિકી (સ્થાન), શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યક્ત્વ એમ બાવીશ પરિષહો છે. (૨૭, ૨૮)
ખંતી મદ્દવ અજ્જવ, મુત્તી તવ સંજમે અ બોધવે ।
સચ્ચ સોઅં આકિંચણં ચ બંબં ચ જઇધમ્મો ॥૨૯॥
ક્ષમા, મૃદુતા, આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય શૌચ (પવિત્રતા), અકિંચનપણું અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારે યતિધર્મ છે. (૨૯)
પઢમ-મણિચ્ચ-મસરણું, સંસારો એગયા ય અન્નત્ત 1 અસુઇત્તે આસવ, સંવરો ય તહ નિજ્જરા નવમી ||૩૦|| લોગસહાવો બોહી-દુલ્લહા ધમ્મસ સાહગા અરિહા । એઆઓ ભાવણાઓ, ભાવેઅવ્વા પયત્તેણં ||૩૧|| પ્રથમ અનિત્ય (પછી) અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર તથા નવમી નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ, ધર્મના સાધક અરિહંતો (ધર્મભાવના) આ (બાર) ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી જોઈએ. (૩૦, ૩૧)
સામાઇઅત્ય પઢમં, છેઓવઢાવણ ભવે બીયં 1 પરિહારવિસુદ્ધીઅં, સુહુમં તહ સંપરાય ચ ||૩||
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૭
ગાથા-શબ્દાર્થ
તત્તો આ અહફખાય, ખાય સવૅમિ જીવલોગમિ | જં ચરિઊણ સુવિહિઆ, વઐતિ અયરામ ઠાણ II3all
પહેલુ સામાયિક, બીજુ છેદોપસ્થાપનીય, ત્રીજુ પરિહાર વિશુદ્ધિ, ચોથુ સૂક્ષ્મ સંપરાય, ત્યાર પછી યથાખ્યાત ચારિત્ર છે, જે સર્વ જીવલોકમાં પ્રખ્યાત છે, જેને આચરીને સુવિહિત જીવો અજરામર (મોક્ષ) સ્થાન તરફ જાય છે. (૩૨-૩૩)
(નિર્જરા તત્ત્વ) અણસણ-મૂણોઅરિયા, વિત્તીસંખેવાં રસચ્ચાઓ ! કાયકિ°સો સંભીણયા ચ, બન્ઝો તવો હોઇ l૩૪ll અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. (૩૪)
પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સજ્જાઓ ! ઝાણ ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઇ LI3પII
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ તથા સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ એ અત્યંતર તપ છે. (૩૫)
બારસવિહં તવો નિર્જરા ય બંધો ચઉવિગપ્પો આ I પચઇ-ઠિઇ-અણુભાગ-પએસ-ભેએહિં નાયબ્બો II3ાા
બાર પ્રકારનો તપ એ નિર્જરા છે અને પ્રકૃતિ. સ્થિતિ. રસ અને પ્રદેશના ભેદથી બંધ ચાર પ્રકારે જાણવો. (૩૬)
પચઈ સહાવો લુત્તો, ઠિઈ કાલાવહારણ I અણુભાગો રસો હેઓ, પએસો દલ-સંચઓ III પ્રકૃતિ સ્વભાવને કહેલ છે, સ્થિતિ એટલે કાળનો નિશ્ચય, અનુભાગ એટલે રસ જાણવો અને દલનો સંચય તે પ્રદેશ છે. (૩૭)
પડ-પડિહાર-ડસિ-મજ્જ, હડ-ચિત્ત-કુલાલ-ભંડગારીÍT જહ એએસિં ભાવા, કમ્માણ વિ જાણ તહ ભાવા ll૩૮I
Page #100
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
પાટો, પ્રતિહારી, તલવાર, મદિરા, બેડી, ચિતારો, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવ છે તેવા ક્રમશઃ આઠે કર્મોના પણ સ્વભાવો જાણવા. (૩૮)
૭૮
ઇહ નાણ-દંસણા-વરણ, વેય-મોહાઉ-નામ-ગોઆણિ । વિઝ્વં ચ પણ નવ દુ અઢવીસ ચઉ તિસય દુ પણવિહં II3II
અહિં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્યાવીશ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારના છે. (૩૯)
નાણે અ દંસણાવરણે, વેઅણિએ ચેવ અંતરાએ અ 1 તીસં કોડાકોડી, અયરાણં ઠિઈ અ ઉફ્ફોસા ||૪૦ના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે. (૪૦)
સિત્તરિ કોડાકોડી, મોહણિએ વીસ નામ ગોએસુ
તિત્તીસં અયરાઇ, આઉટ્ઠિઇ બંધ ઉફ્ફોસા ||૪૧|| મોહનીયનો સીત્તેર કોડાકોડી સાગરોપમ, નામ ગોત્રનો વીશ કોડાકોડી સાગરોપમ, આયુષ્ય કર્મનો તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. (૪૧)
બારસ મુહુર્ત્ત જહન્ના, વેયણિએ અટ્ઠ નામ ગોએસુ । સેસાણંતમુહુર્ત્ત, એયં બંધ-ટ્ઠિઈ-માણું ॥૪૨॥ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને બાકીના કર્મની અંતર્મુહૂર્ત છે. આ સ્થિતિબંધનું પ્રમાણ છે. (૪૨)
મોક્ષતત્ત્વ
સંત-પચ-પરૂવણયા, દવ-પમાણં ચ ખિત્ત-કુસણા ય।
કાલો અ અંતર ભાગ, ભાવે અપ્પાબહું ચેવ [૪૩] સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર,
Page #101
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ ભાગ, ભાવ અને અલ્પબદુત્વ. (આ દ્વારોથી મોક્ષની વિચારણા કરવાની છે.) (૪૩)
સંત સુદ્ધપયત્તા, વિર્જત ખકુસુમબ્ધ ન અસંતૂ I મુકુખત્તિ પચં તસ્સ ઉ, પરૂવણા મખ્ખણાઈહિં II૪૪ll શુદ્ધપદ હોવાથી મોક્ષ સત્-વિદ્યમાન છે. આકાશકુસુમની જેમ અસત્ નથી. “મોક્ષ' એ પદ . તેની માર્ગણાદિ દ્વારોથી પ્રરૂપણા કરાય છે. (૪૪)
ગઈ ઇંદિએ આ કાએ, જોએ વેએ કસાય નાણે ચ | સંજમ દંસણ લેસા, ભવ સમે સન્નિ આહારે ||૪પી. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞી, આહારી (આ ચૌદ માર્ગણા છે.) (૪૫) નરગઇ પબિંદિ તસ ભવ, સનિ અહફખાય ખઇઅસમ્મત્તે !
મુફખોડણાહાર કેવલ-દંસણનાણે ન એસેસુ l૪રણા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિકસમ્યકત્વ, અણાહારી, કેવળદર્શન અને કેવળજ્ઞાન, માર્ગણાઓમાં મોક્ષ છે, બાકીનામાં નથી.
દ_પમાણે સિદ્ધાણં જીવ-દવ્વાણિ હુંતિડણંતાસિ | લોગસ્સ અસંખિજે, ભાગે ઇકો ચ સવ્વ વિ II૪oll દ્રવ્ય પ્રમાણમાં સિદ્ધોના જીવદ્રવ્યો અનંતા છે. લોકના અસંખ્યાતમાં ભાગમાં એક સિદ્ધ અને સર્વ સિદ્ધો પણ હોય છે. (૪૭) કુસણા અહિયા કાલો, ઇગ સિદ્ધ-પડુચ્ચ સાઇઓસંતો
પડિવાયાડભાવાઓ, સિદ્ધાણં અંતરં નત્યિ II૪૮II સ્પર્શના અધિક ક્ષેત્રથી) છે. એક સિદ્ધને આશ્રયી કાળ અનાદિ અનંત છે. પ્રતિપાતનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. (૪૮)
સલ્વજિયાણમહંતે, ભાગે તે તેસિં દંસણું નાણું ખઇએ ભાવે પારિણામિએ, આ પુણ હોઇ જીવત્ત ૪૯II
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૦
ગાથા-શબ્દાર્થ તેઓ (સિદ્ધો) સર્વ જીવોના અનંતમા ભાગે છે. તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે અને જીવત્વ પારિણામિક ભાવે છે. (૪૯)
જોવા નપુંસ સિદ્ધા, થી નર સિદ્ધા કમેણ સંખગુણા | ઇઆ મુફખતત્તમેએ, નવતત્તા લેસઓ ભણિઆ II૫oll નપુંસકસિદ્ધ થોડા છે. સ્ત્રીસિદ્ધ અને પુરુષસિદ્ધ ક્રમશઃ સંખ્યાતગુણા છે. આ મોક્ષતત્ત્વ છે. આમ નવતત્ત્વ ટુંકમાં કહ્યાં. (૫૦)
જીવાઇ નવ પયત્વે, જે જાણઇ તસ્સ હોઇ સમ્મત્ત
ભાવેણ સહંતો, અયાણમાણોવિ સમ્મત્ત /પ૧પ જીવાદિ નવ પદાર્થને જે જાણે છે તેનામાં સમ્યકત્વ હોય છે. ભાવથી શ્રદ્ધાવાળાને ન જાણવા છતા પણ સમ્યકત્વ હોય છે. (૫૧)
સવ્વાઇં જિસેસરભાસિઆઇ, વણાઇ નનહા હુંતિ | ઇઅ બુદ્ધી જસ્સ મણે, સમ્મત્ત નિચ્ચલ તસ્સ પરના જિનેશ્વર ભગવંતોએ કહેલ સર્વ વચનો અન્યથા હોતા નથી, એવી બુદ્ધિ જેના મનમાં હોય છે તેનું સમ્યકત્વ નિશ્ચલ છે. (૫૨)
અંતમુહુર-મિત્તપિ ફાસિ હુજ્જ જેહિં સમ્મત્ત I
તેસિં અવક-યુગલ-પરિઅટ્ટો ચેવ સંસારો પ૩માં અંતર્મુહૂર્ત માત્ર પણ જેમને સમ્યકત્વ સ્પર્યુ હોય છે તેઓનો અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ (ઉત્કૃષ્ટ) સંસાર હોય છે. (૫૩)
ઉસ્સપિણી અહંતા, પુગ્ગલ-પરિઅટ્ટઓ મુણેઅવ્વો !
તેડર્ણતા-તીઅદ્ધા, અણાગરદ્ધા અસંતગુણા ll૫૪ll અનંતી ઉત્સર્પિણીનો પુગલ પરાવર્ત જાણવો. આવા અનંત (પુદ્ગલ પરાવત) અતિતકાળમાં થયાં. તેથી અનંતગુણો અનાગત (ભવિષ્ય) કાળ જાણવો. (૫૪). જિણઅજિણ તિ–ડતિત્યા, ગિહિ અન્ન સલિંગ વીનર નપુંસા
પત્તેય સયંબુદ્ધા, બુદ્ધબોહિય ઇફકણિકા ય પિપી.
Page #103
--------------------------------------------------------------------------
________________
ગાથા-શબ્દાર્થ
૮૧ - જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહિલિંગ, અન્યલિંગ, સ્વલિંગ, સ્ત્રી, પુરુષ, નપુંસક, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, એક, અનેક (આમ સિદ્ધના પંદર ભેદ જાણવા.) (૫૫)
જિણસિદ્ધા અરિહંતા, અજિણસિદ્ધા ય પુંડરિઅપમુહા | ગણહારિ તિ–સિદ્ધા, અતિ–સિદ્ધા ય મરુદેવી પદની જિનસિદ્ધો અરિહંતો, અજિનસિદ્ધો પુંડરિકાદિ, ગણધરો વગેરે તીર્થસિદ્ધો, મરુદેવી અતીર્થસિદ્ધ જાણવાં. (૧૬) ગિહિલિંગસિદ્ધ ભરહો, વફકલચીરી ય અનલિંગમિ |
સાહૂ સલિંગસિદ્ધા થી-સિદ્ધા ચંદણા-પમુહા Iપoll. ગૃહસ્થલિંગસિદ્ધ ભરત ચક્રવર્તી, અન્ય લિંગે વલ્કલગીરી, સ્વલિંગસિદ્ધ સાધુ અને સ્ત્રીલિંગસિદ્ધ ચંદનબાળા જાણવા. (૫૭)
પંસિદ્ધા ગોયમાઈ, ગાંગેયાઈ નપુંસયા સિદ્ધાT પત્તેય-સચંબુદ્ધા, ભણિયા કરકંડુ-કવિલાઈ પટll પુરુષસિદ્ધ ગૌતમગણધરાદિ, ગાંગેયાદિ નપુંસકસિદ્ધ, કરકંડુ અને કપિલાદિ પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ કહેલા છે. (૫૮) તહ બુદ્ધબોહિ ગુરુબોહિયા, ઇગસમએ એગ સિદ્ધા ચT ઇગ સમયે વિ અખેગા, સિદ્ધા તેણેગ સિદ્ધા ચ ||પના.
તથા ગુરુથી બોધ પામેલા બુદ્ધબોધિત, એક સમયે એક સિદ્ધ થયેલા તે એક સિદ્ધ, એક સમયે અનેક સિદ્ધ થયેલા તે અનેક સિદ્ધ. (૫૯)
જઇઆઇ હોઇ પુચ્છા, જિણાણ મમ્નેમિ ઉત્તર તઇયા | ઇકકમ્સ નિગોયમ્સ, અસંતભાગો ય સિદ્ધિગઓ II૬૦ના
જ્યારે જ્યારે જિનેશ્વર ભગવંતોના માર્ગમાં પુછવામાં આવે છે ત્યારે એ જ ઉત્તર હોય છે કે અત્યાર સુધી એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. (૬૦)
Page #104
--------------------------------------------------------------------------
________________ પ્રશસ્તિ, સમર્પણ ( પ્રશસ્તિ ] પરમ પૂજ્ય સિદ્ધાન્તમહોદધિ, ચારિત્ર ચૂડામણિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમતાસાગર, ગુરુકૃપાપાત્રા, પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ, સીમધરજિનોપાસક, આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ જીવવિચારનવતત્ત્વના આ પદાર્થસંગ્રહ અને ગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું. | સમર્પણ ] શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે આ ગ્રન્થપુષ્પ ભવોદધિતારક પૂજ્ય પ્રગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ કરું છું. - આ. હેમચન્દ્રસૂરિ મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ ફોન : 079-22134176, મો : 9925020106