SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાના ભેદ (૧) ભવનપતિ :- ૧૫ પરમાધામી ૧૦ અસુરકુમારાદિ (૨) વ્યંતર : ૮ વ્યંતર ૮ વાણવ્યંતર ૧૦ તિર્યર્જુભક ૨૬. (૩) જ્યોતિષ :- ૫ ચર ૫ અચર ૧0 (૪) વૈમાનિક :- ૨૪ કલ્પપપન્ન ૧૪ કલ્પાતીત ૩૮ પરમાધામી :-નરકના જીવોને દુઃખ આપનારા દેવો. નરકના જીવોને માત્ર પોતાની કુતુહલ વૃત્તિથી દુઃખ આપીને આનંદ માને છે. આમ તો આ દેવો અસુરનિકાયના છે, પણ તેમના કાર્યની પ્રધાનતાથી તેમની જુદી વિવક્ષા કરી છે. ભવનપતિ - આપણે વર્તમાનકાળે જે પૃથ્વીના પડ ઉપર છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું પડ ૧,૮૦,000 યોજન જાડુ છે. તેમાંથી ઉપર નીચે ૧૦૦૦ - ૧૦00 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે અને પૂર્વકૃત પુણ્યનો ઉપભોગ કરે છે. વ્યંતર :- રત્નપ્રભા પૃથ્વીના પ્રથમના 1000 યોજનના પડમાં ઉપર નીચે ૧00-100 યોજન છોડી વચ્ચેના ૮00 યોજનમાં વ્યંતર દેવોનાં રમણીય અને સુંદર નગરો આવેલા છે.
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy