________________
નિર્જરા તત્ત્વ
ચારિત્ર સામાયિક છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય યથાખ્યાત
ગુણઠાણા ૬,૭,૮,૯ ૬,૭,૮,૯
૬,૭
૧૦ ૧૧,૧૨,૧૩,૧૪
( (૮) નિર્જરા તત્ત્વ નિર્જરા - આત્મા ઉપરથી કર્મ છુટા પડવા તે નિર્જરા કહેવાય.
બાર પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય છે, માટે બાર પ્રકારનો તપ એ જ નિર્જરા છે.
( બાહ્ય તપ-૬ પ્રકારે ) (૧) અનશન :- સિદ્ધાંતની વિધિપૂર્વક આહારનો ત્યાગ. તે બે પ્રકારે છે –
(અ) ઈસ્વર :- અલ્પકાળ માટે આહારનો ત્યાગ. નવકારશી. પોરિસી, એકાસણું, ઉપવાસ વગેરે બધું ઈવર અનશન કહેવાય.
(બ) ચાવત્સરિક - જીવનના અંત સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે યાવત્રુથિક અનશન.
(૨) ઊણોદરી - ભૂખ કરતાં ન્યૂન આહાર કરવો, તેમજ સાધુને ઉપકરણ ઓછા કરવા - રાખવા તે પણ.
(૩) વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગોચરી વગેરેના અભિગ્રહ ધારણ કરવા તે. દ્રવ્યથી :- અમુક દ્રવ્યથી વધારે ન વાપરવા. ક્ષેત્રથી :- અમુક ઘરોથી વધારે ઘેર ન જવું.
કાળથી :- અમુક કાળે (બપોરે અથવા થોડા ટાઈમમાં) જે મળે તે વહોરવુ અને વાપરવુ.