SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ચારિત્ર પ૯ ૪ નિર્વિશમાનક :- તપ કરનાર. ૪ અનુચારક :- સેવા કરનાર. ૧ વાચનાચાર્ય :- વાચના આપે. તપ જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગ્રીષ્મકાલ (ઉનાળો) | ચોથ | છઠ્ઠ | અટ્ટમ | શિશિર (શિયાળો) | છઠ્ઠ | અટ્ટમ | દશમ | વર્ષા (ચોમાસુ) | અટ્ટમ | દશમ | દ્વાદશ પારણે અભિગ્રહપૂર્વક આયંબિલ કરવાનું, અનુચારક રોજ આયંબિલ કરે. આ રીતે છ મહિના કરવાનું. પછી સેવા કરનાર તપ કરે, તપ કરનાર સેવા કરે, વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી છ મહીના કરવાનું. પછી વાચનાચાર્ય તપ કરે, એક જણ વાચનાચાર્ય થાય, બાકીના સેવા કરે. આમ અઢાર મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે. ત્યાર પછી પરિહારકલ્પ કરે અથવા જિનકલ્પી થાય અથવા ગચ્છમાં પ્રવેશ કરે. ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં આ ચારિત્ર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ન હોય. આ ચારિત્ર પ્રથમ સંઘયણી અને પૂર્વધર લબ્ધિવાળાને હોય છે. સ્ત્રીને આ ચારિત્ર ન હોય. (૪) સૂક્ષ્મસંપરાય :- અત્યંત સૂક્ષ્મ (કિષ્ટિરૂપ) લોભ કષાયનો જ ઉદય હોય છે જ્યાં તેવું ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય. અહીં ક્રોધ, માન, માયા આ ત્રણ કષાયનો ઉદય હોતો નથી. (૫) ચયાખ્યાત :- સંપૂર્ણ અતિચાર વિનાનું શુદ્ધ ચારિત્ર અથવા જ્યાં મોહનીય કર્મનો સહેજ પણ ઉદય નથી તેવું ચારિત્ર. અહીં સંપૂર્ણ વીતરાગભાવ હોય.
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy