________________
સિદ્ધના ૧૫ ભેદ
(૩) તીર્થસિદ્ધ - તીર્થ (શાસન) ચાલુ હોય ત્યારે મોક્ષે જાય તે જંબૂસ્વામી વગેરે.
(૪) અતીર્થસિદ્ધ - તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થના વિચ્છેદ પછી મોક્ષે જાય છે. દા.ત. મરુદેવી માતા.
(૫) સ્વલિંગસિદ્ધ :- સાધુ વેશમાં કેવળજ્ઞાન પામીને મોક્ષ જાય તે.
(૬) ગૃહિલિંગસિદ્ધ :- ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. ભરત ચક્રવર્તિ વગેરે.
(૦) અન્યલિંગસિદ્ધ :- તાપસાદિ અન્ય દર્શનીઓના વેષમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. દા.ત. વલ્કલચીરી વગેરે.
(૮) સ્ત્રીસિદ્ધ - સ્ત્રી મોક્ષે જાય છે. દા.ત. ચંદનબાળા વગેરે. (૯) પુરુષસિદ્ધ -પુરુષ મોક્ષે જાય છે. દા.ત. ગૌતમસ્વામી વગેરે. (૧૦) નપુંસકસિદ્ધ :- નપુંસક મોક્ષે જાય છે. દા.ત. ગાંગેય વગેરે.
(૧૧) સ્વયંબુદ્ધસિદ્ધ:- પોતાની જાતે નિમિત્ત વિના બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કપિલ વગેરે.
(૧૨) પ્રત્યેકબુદ્ધસિદ્ધ :- પોતાની જાતે નિમિત્તથી બોધ પામીને મોક્ષે જાય છે. દા.ત. કરકંડુ વગેરે.
(૧૩) બુદ્ધબોધિતસિદ્ધ - બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તે.
(૧૪) એકસિદ્ધ - એક સમયે એક જ મોક્ષે જાય છે. દા.ત. મહાવીર સ્વામી.
(૧૫) અનેકસિદ્ધ - એક સમયે અનેક મોક્ષે જાય છે. દા.ત. ઋષભદેવ સ્વામી.