________________
ઉપધાન વહેવાની આવશ્યકતા.
( ૩ )
ઉપધાન વહેવાની આવશ્યકતા.
ઉપધાન વહન કરવાની ફરજ સર્વ શ્રાવક-શ્રાવિકાઓની છે, છતાં તપશક્તિ વિગેરેના અભાવે અથવા મદલાવે સથી ઉપધાન વહન કરવાનું બની શકતું નથી; તે પણ જ્યારે તેવી શક્તિ પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય ઉપધાન વહન કરવા એવી ધારણા-શ્રદ્ધા અવશ્ય રાખવી. જેએ ઉપધાન વહન કરવાની શી જરૂર છે ? એમ કહેનારા છે, તે શ્રદ્ધા વિનાના છે એમ સમજવું.
ઉપધાન વહુન કરવાની પ્રવૃત્તિ હાલમાં કેટલેક દર વધતી જાય છે, પરંતુ તે વહન કરનારમાં માટા ભાગ સ્રીવગ ને હાય છે, અને તેમાં પણ મેટા ભાગ અજ્ઞાનીઓના હાય છે; પણ તેથી એમ સમજવાનું નથી કે એ કરણી અજ્ઞાનીની કે સ્ત્રીવર્ગની છે. તે કરણી તા યુદ્ધ સમકિતષ્ટિ સુજ્ઞ શ્રાવકશ્રાવિકાની છે અને શ્રાવકપણામાં પણ ખાસ કરીને ઉચ્ચ પ્રતિની એ કરણી છે. પરંતુ કાળાનુસાર શક્તિની મંદતાથી તેમજ શ્રદ્ધાની અલ્પતાથી અને સુખશીલપણાથી સુજ્ઞ ગણાતા પુરુષવર્ગ એ ક્રિયામાં છે। દાખલ થાય છે, પણ એમ કરવાથી મનુષ્ય જિંદગીમાં જ લઈ શકાય તેવા એક અત્યુત્તમ લાભથી તે એનસીબ રહે છે.
ઉપધાન વહન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. પ્રથમ તા શ્રી જિનેશ્વરની આજ્ઞાનું આરાધન થાય છે, તપસ્યાવડે કર્માનું શાષણ થાય છે, અસારભૂત શરીરમાંથી સાર ગ્રહણુ થાય છે, શ્રુતની અપૂર્વ ભક્તિ થાય છે, દરરાજ પાસહુ કરવાના હાવાથી મુનિપણાની તુલના થાય છે, ભાગ્યયેાગે મુનિપણું આગળ ઉપર પ્રાપ્ત થાય તે તેમાં સરલતા થઈ જાય છે,