Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સિધ્ધ પદને આશ્રી ને. સિધ્ધો પોતાની સિધ્ધાવસ્થા પૂર્વેની માનવ કાયાની ૨/૩ ભાગ જ જગ્યા સિધ્ધાવસ્થામાં રોકે છે. તે પણ એક બીજાને વ્યાઘાત પહોંચાડ્યા સિવાય.
બસ આ જ ધ્યેયથી મોક્ષની સાધના કરવામાં આવશે તો કદાપી આ શરીર ને તેના પુદ્ગલ પ્રદેશ કરતાં વધુ ક્ષેત્ર રોકવું પડશે નહીં
S S S S T U (અધ્યાય ૫-સૂત્રઃ૧૫) [1]સૂત્રહેતુ- જીવ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે.
0 [2]સૂત્ર મૂળ - મ ધ્યેયમાાતિવુ ગીવાનામ્ 0 [3]સૂત્રપૃથક-
મ ધ્યેય - મા!| - ગીવાનામ્ U [4] સૂત્રસારઃ- [લોકાકાશમાં અસંખ્યાત માં ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશમાં]જીવોની સ્થિતિ-અવગાહહોય છે.
[5] શબ્દશાનઃમધ્યેય- અસંખ્યાત
માgિ-ભાગમાં જીવાનામ્ - જીવોની
[6]અનુવૃત્તિ - (૧) રોશવાદ: (२) एकप्रदेशादिषु भाज्य: पुद्गलानाम् ५:१४ भाज्य:
[7]અભિનવટીકા - પૂર્વે સૂત્ર પૂરમાં સૂત્રકારે જણાવ્યુ કે ધર્માદિ દ્રવ્યોના લોકાકાશમાં અવગાહ હોય છે. પણ આ ધર્માદિ ચાર દ્રવ્યોમાંનું જે એક જીવાસ્તિકાય દ્રવ્ય તે સંપૂર્ણલોકાકાશમાં રહે છે કે લોકના અમુક ભાગમાં? આ પ્રશ્નો ઉત્તર ત્યાં જણાવેલ નથી.
સૂત્રકાર મહર્ષિ આ પ્રશ્નનો ઉત્તર પ્રસ્તુત સૂત્ર માં જણાવે છે “લોકાકાશ ના અસંખ્યાતમાં ભાગથી લઇને સંપૂર્ણ લોકાકાશ સુધીમાં જીવદવ્ય રહે છે''
જૈન દર્શન આત્માના પરિમાણને આકાશની માફક વ્યાપક નથી માનતું તેમ પરમાણુની માફક અણુ પરિમાણ પણ માનતું નથી પણ તે બંની મધ્યનું પરિમાણ માને છે.
જો કે બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસંખ્યાની દ્રષ્ટિએ તો સમાન જ છે. છતાં બધાનાં લંબાઈ-પહોડાઈ આદિ એક સરખાં પણ નથી આથી સ્વાભાવિક પ્રશ્ન થાય કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું કેટલું? અને અધિકમાં અધિક કેટલું?
આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટેજ સૂત્રકાર મહર્ષિએ જણાવ્યું છે કે એક જીવનું આધાર ક્ષેત્ર ઓછામાં ઓછું લોકાકાશનો અસંખ્યાતમો ભાગ છે અને વધુમાં વધુ આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ પણ હોઈ શકે છે.
જ સંકલિત અર્થ- મૂળ સૂત્રનું હાર્દતો ઉપરોકત બે પ્રશ્નોત્તરોમાં જ સમાવિષ્ટ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org