Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૨ લખે છે તેની શું સૂત્રકા૨ને ખબર નહીં હોય? સૂત્રકા૨ મહર્ષિએ સૂત્રમાં કે સ્વોપજ્ઞ ભાષ્યમાં બેમાંથી કોઇપણ સ્થળે બધાં દ્રવ્યોમાં બંને ધકારના પરિણામોનું કથન કરેલ પણ નથી, સ્વીકારેલ પણ નથી. સૂત્રકાર મહર્ષિ માટે આવી કલ્પના કરવી અવાસ્તવિક છે. આવા સૂક્ષ્મદર્શી સંગ્રાહક ના ધ્યાન બહાર એ વાત જાય જ નહીં.અમે પોતેતો પૂ.ઉમાસ્વાતિજી મહારાજા પ્રત્યે દૃઢ પ્રધ્ધાવાન છીએ. તેમની રચનામાં સ્ખલના હોય તેવું માનતા જ નથી.આ પૂર્વે પણ આવા વિધાનો જયાં જોવા મળેલ છે.તેના અમે જવાબ પણ આપેલ છે.અને આગમ પાઠ પણ રજૂ કર્યો છે. અહીં પણ શ્રી ભગવતીજી નો એક પાઠ અમારી સમજણ મુજબ સંશોધન કરી રજૂ કરેલ છે. वीसाबंधे णं भंते .... सादीय अणादीय । अणादीय तिविहे...धम्मत्थिकाय अण्णमण्ण अणादीय,.....अधम्मत्थिकाय अण्णमणअणादीय... आगासत्थिकाय अण्णमण्ण अणादि । ધર્માત્યાય અળમા અબાય...અંતે ! જો ચિર હોર્ફ ? ગોયમા ! સબવું, एवं अधम्मत्थिकायं, एवं आगासत्थिकायं । साइय....कइविहे पण्णते ? गोयमा तिविहे पन्नते तं जहा बंध पच्चइए... । बंधपच्चइए जण्णं परमाणु पोग्गला दुपएसिया तिपपएसया...। भगवतीजी - शतक ८, उ. १०, सू. ૨૪-૨૪૬-૨૪૭ ૧૬૯ –આ જ સૂત્રપાઠમાં આગળ જીવના આદિ તથા અનાદિ બંને પરિણામ પણ કહ્યા છે. અર્થાત્ પૂ.ઉમાસ્વાતિજી મહારાજા એ રચેલ સૂત્ર યોગ્ય જ છે અને તત્સંબંધે આવી નિરર્થક શંકા રજૂ ક૨વી તે રજૂકરનારનું અજ્ઞાન પ્રગટ કરે છે. પંડિત સુખલાલજી એ આ વાતના સમાધાન માં બીજું પણ એક સુંદર સૂચન કરેલ છે. અનાદિઅને આદિમાન શબ્દના જે અર્થ અત્રે રજૂ થયેલ છે અને જે અર્થ વૃત્તિ કે ટીકાકારે ગ્રહણ કર્યા છે તે અર્થો શકય છે કે સૂત્રકારને ઇષ્ટ ન પણ હોય. કેટલીક વખત શબ્દના જૂદા જૂદા અર્થોમાં કોઇ એક અર્થઅતિ પ્રસિધ્ધ બની જાય અને કોઇ અર્થ બિલકુલ અપ્રસિધ્ધ બની જાય છે શકય છે કે ટીકાકારે નોંધેલ અર્થ કરતા જૂદો જ અર્થ સૂત્રકારના કાળમાં પ્રસિધ્ધ હોય અને તે અર્થમાં જ તેઓએ આવિ-અનાદ્દિ નું કથન કરેલ હોય. સુખલાલજી ના આ સુચનમાં અમને પણ તથ્ય જણાય છે કેમ કે સ્વોપજ્ઞ ભાષ્યમાં પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએ કયાંય આવિ- કે અનાદ્દિ નો ઉકત અર્થ કર્યો નથી. સ્વોપજ્ઞ ભાષ્યના મતે તો - અનાદિમાં ધર્મ-અધર્મ આકાશ અને જીવ નો ઉલ્લેખ છે, આદિમાં રૂપીનો ઉલ્લેખ છે અને જીવ વિષયક અપવાદે આદિ પરિણામનું કથન છે.] સુખલાલજી સૂચવે છે કે કદાચ નીચે મુજબ પરિભાષા, સૂત્રકાર ના મનમાં હોઇ શકે . જો તેમ હોય તો શંકાકારની શંકા નિર્મૂળ થઇ જશે અનાવિ :- શબ્દ નો અર્થ આગમ પ્રમાણ ગ્રાહ્ય કરવો आदि :- શબ્દ નો અર્થપ્રત્યક્ષ ગ્રાહ્ય કરવો આ રીતે ધર્મ-અધર્મ-આકાશ-જીવ એ અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194