Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા —દ્રવ્યના અનેક પર્યાય પલટવાછતાં પણ જે દ્રવ્ય થી કદી પૃથક્ન થાય, નિરંતરદ્રવ્યની સાથે સહભાવી ૨હે તે ગુણ કહેવાય છે.
-દ્રવ્યના પૂરા ભાગમાં તથા બધી અવસ્થામાં જે સાથે રહે તેને ગુણ કહેવામાં આવે છે. -દ્રવ્યમાં શકિતની અપેક્ષાએ કરાતો ભેદ તે ‘ગુણ’ કહેવાય છે
૧૫૦
—ગુણ અન્વયી અર્થાત્ નિત્ય હોય છે. પરિણામે તે સદા-સર્વદા દ્રવ્યની સાથે રહે છે. અને દ્રવ્યને કદી છોડતા નથી. આ ગુણોને લીધેજ એક દ્રવ્યથી બીજા દ્રવ્યની પૃથક્તા સિધ્ધ થાય છે. જો ગુણ ન હોય તો એકદ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પણ થઇ જાય જેમકે “ઉપયોગ લક્ષણ જીવ’’ એવું કહ્યું હોવાથી જીવ બીજા દ્રવ્યોથી સ્વતંત્ર અસ્તિત્વ વાળું સાબિત થતા તે પુદ્ગલ રૂપે સાબિત થતું નથી. એજ રીતે ‘સ્પર્શ ૨સ ગન્ધ વર્ણવાળા તે પુદ્ગલ એ કથન થી પુદ્ગલનું અલગ અસ્તિત્વ સિધ્ધ થાય છે.આ અલગ અસ્તિત્વને સિધ્ધ કરનાર તત્વ એ જ મુળ મુળ શબ્દ વિશે કંઇક વિસ્તારઃ
દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મો-પરિણામો હોય છે. આ ધર્મોપરિણામો બે પ્રકારના છે. કેટલાંક ધર્મો દ્રવ્યોમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોનો અભાવ જોવા મળતો નથી. જયારથી દ્રવ્યની વિદ્યમાનતા છે ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા [-એટલે કે અસ્તિત્વ] છે.
આ રીતે આ ધર્મો દ્રવ્યના સહભાવી અર્થાત્ સદા દ્રવ્યની સાથે રહેનારા છે. આવા સહભાવી ધર્મોને ગુણ કહેવામાં આવે છે.
–જેમ કે આત્મ દ્રવ્યનો ચૈતન્ય ધર્મ. ચૈતન્ય ધર્મ આત્માની સાથે જ રહે છે. આત્મા કદી ચૈતન્ય રહિત ન હોઇ શકે આત્મા અને ચૈતન્યનો સંબંધ સૂર્ય અને પ્રકાશ જેમ સદા સાથેજ રહેવાનો છે. આથી ચૈતન્ય એ આત્મ [-જીવ] દ્રવ્યનો ગુણ છે.
એ જ રીતે સ્પર્શ ૨સ,ગંધ વર્ણ એ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. કારણ કે તે નિરંતર પુદ્ગલની સાથે રહે છે.
આથી એવો નિષ્કર્ષ નીકળી શકે છે કે જે ધર્મોદ્રવ્યના સહભાવી હોય [નિત્ય સાથે રહેતા હોય]તે ધર્મો તે દૂવ્યના ગુણો છે. -સમાવિન: (તિ) મુળા:
""
પર્યાયઃ- સ્વોપન્ન ભાષ્ય “ માવાન્તર સંજ્ઞાન્તર ( પર્યાય: –ભાવાન્તર અને સંજ્ઞાન્તર ને પર્યાય કહે છે.
ક્રમથી થતી વસ્તુની-ગુણની અવસ્થાને પર્યાય કહે છે. –ગુણના વિકારને-વિશેષ કાર્યને પર્યાય કહે છે.
—દ્રવ્યમાં જે વિક્રિયા થાય અથવા અવસ્થા બદલાય તેને પર્યાય કહે છે.
—પર્યાય ને વ્યતિરેકી અર્થાત્ અનિત્ય કહેલ છે. આથી તે દ્રવ્યની સાથે સદા ન રહેતા બદલતા રહે છે.
77
—જેમ કે જીવને જ્ઞાન એ ગુણ છે. પણ આ ઘડો છે તેવું જ્ઞાન,આ વસ્ત્ર છે તેવું જ્ઞાન એ જ્ઞાન ગુણના પર્યાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org