Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૩
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૦
* द्रव्याश्रयाः- द्रव्यम् एषाम् आश्रया: –જેનો આધાર દ્રવ્ય છે અથવા જે દ્રવ્યમાં નિત્ય રહે છે તેને દ્રવ્યા શ્રયા કહેવાય છે. * निर्गुणाः-न एषाम् गुणाः सन्ति इति निर्गुणा: –જેનામાં પોતામાં કોઈ ગુણ નથી હોતો તે નિર્ગુણ કહેવાય છે
–જીવમાં જ્ઞાનાદિ ગુણ છે પણ જ્ઞાનાદિમાં બીજો કોઈ ગુણ ન હોય, એ રીતે પુદ્ગલમાં રૂપાદિ ગુણ છે પણ રૂપાદિમાં કોઈ ગુણ હોતો નથી. પરિણામે તેઓની સ્વયં ગુણ રહિતતા હોવાથી તેને નિર્ગુણ કહેવામાં આવે છે.
-વળી જે ગુણમાં ગુણ હોવાનું કોઈ કથન કરે તો તે ગુણ ગુણ રૂપે રહેશે જ નહી. તેને બદલે દ્રવ્ય બની જશે.
જ મુખ:- આ પૂર્વે સૂત્ર ૫:૩૭ ની અભિનવટીકામાં ગુખ ની વ્યાખ્યા કરાયેલી છે.
-વળી આ સૂત્ર પોતે જ ગુણની વ્યાખ્યા રજૂ કરે છે. “જે દ્રવ્યોમાં સદા રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તેને ગુણ કહે છે''
-પ્રમાણ નયતત્વલોકમાં ગુણોનું લક્ષણ સવિનો ગુIT: કહેલ છે. દ્રવ્યના સહભાવી - સદા દ્રવ્યની સાથે રહેનારા ધર્મોને ગુણ કહે છે.
-દ્રવ્યમાં સદા વર્તતી એવી શકિતઓ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે. તેમનું નામજ મુળ જેમ કે વર્ણએ પુદ્ગલનો ગુણ છે. જે પુદ્ગલ દ્રવ્યમાં સદા સાથે રહે છે. અને તે લીલો, પીળો, સફેદ,કાળો,લાલ એ પાંચમાંના કોઈને કોઈ પર્યાયના જનક હોય જ છે. તેથી વર્ણ એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે.
જ વિશેષ:(૧)જીવના ગુણો-જ્ઞાન, દર્શન, સુખ,વિર્ય, ચેતનત્વ,અમૂર્તત્વ (૨) પુદ્ગલના ગુણો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ,અચેતનત,મૂર્તત્વ (૩)ધર્મ દ્રવ્યના ગુણો- ગતિ હેતુતા,અચેતનત્વ,અમૂર્તત્વ (૪)અધર્મ દ્રવ્યના ગુણો- સ્થિતિ હેતુતા, અચેતનત્વ,અમૂર્તત્વ (૫)આકાશ દ્રવ્યના ગુણો-અવકાશદાન, અચેતનત્વ,અમૂર્તત્વ
આ ઉપરાંત દ્રવ્યના સામાન્ય ગુણો તરીકે (૧)અસ્તિત્વ(૨)વસ્તુત્વ(૩)દવ્યત્વ, (૪)પ્રમેયત્વ, (પ)અગુરુલઘત્વ અને (૬)સપ્રદેશત્વ એ છ સામાન્ય ગુણો છે. જે બધાં દ્રવ્ય ને માટે સામાન્ય કથિત છે.
[આ સામાન્ય ગુણોની વ્યાખ્યા દ્રવ્યગુણ પર્યાયના રાસને આધારે જાણી લેવી. અત્રે તેનો ઉલ્લેખ કર્યો નથી.]
U [8] સંદર્ભઃ
આગમ સંદર્ભ ત્રુસિયા ગુIT T..૨૮-II. ૬ # તત્વાર્થ સંદર્ભ–આ સૂત્રનું મૂળ - ગુણપર્યાયવ દ્રવ્ય . -. ર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org