Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્ર:૩૬
૧૪૭ -(૨)સ્નિગ્ધ અને સ્નિગ્ધ પુદ્ગલનો પરસ્પર બંધ થાય. જેને સર્દિશ કહે છે -(૩)રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલનો પરસ્પર બંધ થાય જેને સર્દશ કહે છે
આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે બંધ થયા પછી ઉત્પન્ન થતા સ્કંધ માં કયો ગુણ રહે તે વાત આ સૂત્ર સમજાવે છે. જ વધે- વન્ય નો અધિકાર ચાલે છે. તેની વ્યાખ્યા પૂર્વે થયેલી જ છે.
વયે - સંયો - પુદ્ગલોના પારસ્પરિક જોડાણ થયે છતે. જ સમ--એટલે તુલ્ય અથવા સમાન.અહીંગુન શબ્દની અનુવૃત્તિપૂર્વસૂત્રમાંથી લેવાની છે. તેથી સમગુણ અર્થાત સમાન ગુણવાળા. જેમ કે દિગુણદ્રિમુખ, પ્રશુળ ત્રિગુણ એ સમ છે.
* :- ધ એટલે વધુ. આ શબ્દ તુલનાત્મક સંખ્યાને જણાવે છે અને અહીં પણ ગુણ શબ્દની પૂર્વસૂત્રથી અનુવૃત્તિ લેવી છે. તેથી દ્વિગુણ કરતા ત્રિગુણ અધિક છે. ત્રિગુણ કરતા પંચગુણ અધિક છે. અર્થાત પારસ્પરિક જોડાનાર પુદ્ગલોમાં એકન્ની સ્નિગ્ધતા કે રૂક્ષતા ના અંશો કરતા બીજા પુદ્ગલોની સ્નિગ્ધતા અથવા રૂક્ષતાના અંશો અધિક છે.
* પરિણામ:-પરિણમન થવું પરિણામાવવું
-જયારે બે સમગુણ પુદ્ગલનું પરસ્પર જોડાણ થાય ત્યારે ઉત્પન્ન થતાસ્કન્દમાં જે ગુણ પરિણમે તેને પરિણમન કહે છે.
-એ જ રીતે અધિક ગુણ વાળા અને હીન ગુણ વાળા બે પુગલોને પરસ્પર જોડાણ થાય ત્યારે હીન ગુણ વાળા નું અધિક ગુણ વાળા પુદ્ગલ રૂપે નવા સ્કન્ધમાં પરિણમવું તેને પરિણમન કહે છે.
જ સંકલિત અર્થ-આ સૂત્રના સામાન્ય અર્થને તો “સૂત્રસાર' વિભાગમાં જણાવેલ જ છે પણ થોડા વિશેષ સ્પષ્ટીકરણો અહીં મુદ્દા સ્વરૂપે રજૂ કરીએ છીએ.
-૧-સમજુ વન્ય :-જયારે બંને પગલોમાં ગુણની દૃષ્ટિએ સમાનતા [[સામ્યતા રહેલી હોય ત્યારે
[૧]સૂત્ર ૩૪ મુજબ સમાન ગુણ વાળા સર્દશ પુદ્ગલોનો બંધ થતો નથી. અર્થાત સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે અને રૂક્ષનો રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતો નથી. માટે ત્યાં આ સૂત્રની પ્રવૃત્તિ થશે નહીં.
[૨]સમાન ગુણવાળા એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થઈ શકે છે. કારણકે JUસામે માં સદ્શાનામ્ ઉત્તર પદ છે અર્થાત્ વિસર્દશ પુદ્ગલો ના બંધનો નિષેધ કર્યો નથી માટે વિસઈશ એવા સ્નિગ્ધ અને રૂક્ષ બંને પુગલો પરસ્પર બંધ થઈ શકે છે. તેથી આ સૂત્રની પ્રવૃત્તિ વિસર્દશ એવા સમગુણી પુદ્ગલોમાં થાય છે ત્યારે
દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રીને - કયારેક સ્નિગ્ધગુણ રૂક્ષગુણને સ્નિગ્ધ રૂપે બદલી નાખે છે
– જેમ કે બે અંશ સ્નિગ્ધના અને બે અંશ રૂક્ષના છે આ બંને પુદ્ગલોનો બંધ થાય છે ત્યારે કોઈ એક સમબીજા સમને પોતાના રૂપમાં પરિણામાવે છે. તેથી કાંતો સ્નિગ્ધ ગુણ વાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org