Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ પ સૂત્રઃ ૨૯
૧૧૭ U [4] સૂત્રસાર-જેિ] ઉત્પાદ,વ્યય[અને] ધ્રૌવ્ય[એત્રણેથી યુકત હોયઅર્થાત્ તાદાત્મક છે તે] સત્ કહેવાય છે. I [5] શબ્દશાનઃઉત્પાદ-ઉત્પત્તિ
વ્યય-નાશ વ્ય-ધ્રુવ,નિત્ય
યુવક-યુક્ત,સહિત સ-વર્તમાન,છતું U [6] અનુવૃતિઃ- અહીં કોઈ સૂત્રની અનુવૃતિ નથી.
1 [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિએ સર્વ પ્રથમ ધર્માદિક દ્રવ્યોનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી તે દ્રવ્યોનું કાર્ય [ઉપકાર] જણાવ્યું પણ આ ધર્માદિક દ્રવ્ય “છે કે નહીં' તે કઈ રીતે નકકી કરવું તે અર્થાત આ દ્રવ્યોની વિદ્યમાનતા કે અસ્તિત્વને- જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ પ્રસ્તુત સૂત્રની રચના કરી છે.
બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક દ્રવ્યનો ઉપકાર જણાવીને તે-તે દ્રવ્યના વિશેષ લક્ષણને જણાવ્યું પણ બધાં જ દ્રવ્યોમાં વ્યાપ્ત હોય તેવું સર્વસાધારણ લક્ષણ જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે.
આ સર્વસાધારણ લક્ષણ એટલે જ “વિદ્યમાનતા” જેને સત્ કહે છે. ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો વિદ્યમાન છે અર્થાત્ સત્ છે. પણ સત્ કોને કહેવાય તેને જાણ્યા સિવાય આ સમગ્ર વાત અધુરી છે.
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુકત હોય તે સત્ ઉત્પાદાદિ ત્રણ લક્ષણ જેમાં હોય તે સત્-વિદ્યમાન અને આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે અર્થાત્ આ જગતમાં વિદ્યમાન નથી. અને જે વસ્તુ સત્ એટલે કે વિદ્યમાન છે તે સર્વેમાં ઉત્પાદત્રય અને ધ્રૌવ્ય અવશ્ય હોવાના જ.
જ ઉત્પતિ- ઉત્પાદ એટલે ઉત્પત્તિ -નવા પર્યાયને પામવું તે
-દ્રવ્ય કે જે પોતાની મૂળ જાતિ [જેમકે જીવત-અજીવત્વને ક્યારેય છોડતું નથી. તો પણ તેનામાં અંતરંગ અને બહિરંગ નિમિત્તને લીધે પ્રતિ સમય જે નવીન અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને ઉત્પાદ કહે છે. જેમકે માટીનાપિંડની ઘડારૂપ અવસ્થા. આઘડારૂપ પર્યાય અર્થાત્ અવસ્થા તે ઉત્પાદ, કેમકે માટી,ઘડા રૂપે ઉત્પન્ન થઈ.
જ વ્યયઃ - વ્યય એટલે નાશ,વિનાશ.-પૂર્વ પર્યાયનો નાશ થવો તે.
-જેમકે-ઉપર કહયા મુજબ માટીનો પિંડ જયારે ઘડારૂપ અવસ્થાને ધારણ કરે અર્થાત માટીમાંથી ઘડોબને ત્યારે ઘડાની ઉત્પત્તિ પૂર્વેની માટીનાપિંડરૂપ અવસ્થાનો ત્યાગ કરે છે.આ રીતે તેનો પિંડરૂપ પર્યાય નાશ પામે છે. આ પિંડરૂપ પર્યાય નો નાશ તે વ્યય.
જ વ્યઃ- ધ્રૌવ્ય એટલે સ્થિરતા, અનાદિ પરિણામિક સ્વભાવરૂપ અન્વયની સ્થિરતા. અથવા અનાદિકાલીન પારિણામિક સ્વભાવના વ્યય કે ઉત્પાદનો અભાવ.
-જેમકે ઉકત ઉદાહરણમાં માટીનો પિંડ હોય કે માટીનો ઘડો હોય આબે માંથી કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org