Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૬
૧
જો કે દીવો સર્વથા અનિત્ય જ છે તેવું સ્યાદ્વાદ સિધ્ધાંતાનુસાર કહી શકાય નહીં કેમ કે કોઇ પુદ્ગલ દ્રવ્ય-દ્રવ્ય સ્વરૂપે તો નિત્યજ છે. અનિત્યતા છે તે તો પર્યાય આશ્રિત છે. અને પર્યાયની દૃષ્ટિએ તો જીવમાં પણ અનિત્યતા રહેલી જ છે.
જે જીવપ્રદેશોની પ્રતિઘાત રહિતતાઃ- નિગોદના એક શરીરમાં અનંત જીવો હોય છે. તેમાં પ્રત્યેક સમયે નિગોદનો એક અસંખ્યાતમો ભાગવિનાશ પામે છે અને બીજો ઉત્પન્ન પણ થાય છે. એરીતે ત્રણે લોકમાં વર્તતા અન્ય નિગોદના અસંખ્યાતા અંશની પૃથક પૃથક્ ઉત્પતિ અને વિનાશ થયા કરે છે. છતાં પ્રતિઘાત રહિત પણે બધા જીવો ત્યાં લોકાકાશના અસંખ્યાતમા ભાગ આદિ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે.
–કેવળી સમુદ્દાત વખતે જીવપ્રદેશો થી સર્વ લોકાકાશ વ્યાપ્ત થાય છે કદાચીત્ એક સાથે ઘણા કેવળી ભગવંતો સમુદ્ધાત કરે તો પણ તેમના જીવપ્રદેશો સમગ્ર લોકાકાશમાં વ્યાઘાત રહિત પણે એક સરખા વ્યાપ્ત બને છે.
-સિધ્ધશીલા ઉ૫૨ પણ એ જ રીતે વિશુધ્ધ જીવદ્રવ્ય પોતપોતાની અવગાહના મુજબ એકબીજામાં વ્યાપ્ત રહેવા છતાં સ્વતંત્ર અસ્તિત્વ જાળવીને રહી શકે છે.
જીવનું શરીરમાં વ્યાપ્ત થવા પણુંઃ- પણ એક સુંદર ખુલાસો કરી જાય છે. જીવ જે ભવ આશ્રિત શરીર ને પ્રાપ્ત કરે છે તેમાં સંપૂર્ણ વ્યાપ્ત બને છે. પરિણામે કુંથુઆ માંથી હાથીમાં ઉત્પન્ન થનારો જીવ પણ હાથીના શરીરના એક ખૂણામાં ભરાઇને રહેતો નથી કે હાથીમાંથી કુંથુંઆ પણે ઉત્પન્ન થયેલ જીવ કંઇ કુંથુઆના શરીરની બહાર લબડતો રહેતો નથી
આ જ વાતને સમજાવવા સૂત્રકારે સંકોચ-વિસ્તાર નો સિધ્ધાંત પ્રતીપાદીત કરેલો છે. * પ્રશ્નઃ- જો જીવનો સંકોચનો સ્વભાવ છે અને તે કારણે નાનો બને છે તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં કેમ સમાઇ શકતો નથી?
એજ રીતે એનો સ્વભાવ વિકસીત થવાનો છે તો વિકાસ દ્વારા સંપૂર્ણ લોકાકાશની માફક અલોકાકાશ ને કેમ વ્યાપ્ત કરતો નથી?
સમાધાનઃ- સંકોચની મર્યાદા કાર્યણ શરીર ઉપર નિર્ભર છે. કોઇ પણ કાર્મણ શરીર અંગુલના અસંખ્યાત ભાગથી નાનું થઇ શકતું નથી એથી જીવનું સંકોચ કાર્ય પણ ત્યાં સુધીજ પરિમિત રહે છે.
એજ રીતે વિકાસની મર્યાદા લોકાકાશ સુધીની જ કહેલી છે.અને તેમ હોવાના બે કારણો કહેલા છે.
–(૧)જીવના પ્રદેશ,લોકાકાશના પ્રદેશ જેટલાં જ છે
-પરિણામે જીવનો એક પ્રદેશ લોકાકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે તે જીવની અધિકમાં અધિક વિકાસ દશા છે.
-જીવ તેથી વધારે એટલે કે બે કે બેથી વધુ પ્રદેશોને અવગાહી શકે નહી —આથી સર્વોત્કૃષ્ટવિકાસ દશામાં પણ લોકાકાશનાબારનાભાગને વ્યાપ્ત કરી શકતો નથી. –(૨)બીજી વાત એ છે કે જીવ પ્રદેશોનું વિસ્તરણ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હોઇ શકતી નથી લોકાકાશની બહાર ધર્માસ્તિકાય છે નહીં . તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org