Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૮૩
ગુજરાતી અનુવાદ
અ. ૨ અજીવતત્વનું નિરૂપણ સૂ. ૧
આમાંથી ધમ અને અધર્મના અસંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશ છે અને આકાશના અનન્તપ્રદેશ છે. વાસ્તવમાં લેાકપરિમિત આકાશ અસંખ્યાતપ્રદેશી છે અને લેાકાલેાક રૂપ સમ્પૂર્ણ આકાશ અનન્ત પ્રદેશવાળુ છે અડધા સમય એક સમય રૂપ કાળને ન તેા અસંખ્યાત પ્રદેશ છે કે નથી અનન્ત પ્રદેશ.
પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવાવાળુ હાય છે. કોઈ પુદ્ગલ ઘણા અવયવાવાળુ’, કોઈ સ‘ખ્યાત પ્રદેશેાવાળુ' કઈ અસંખ્યાત પ્રદેશવાળુ કોઈ અનન્તપ્રદેશેાવાળું અને કઈ અનન્તાનન્તપ્રદેશેવાળું હેાય છે.
શકા—પરમાણુ પણ પુદ્ગલદ્રવ્ય હાવાથી ઘણા અવયવાવાળું હાવુ જોઇ એ. તેમાં એક રસ, એક ગંધ, એક વણુ અને એ સ્પર્ધાનુ... હાવું જાણીતુ છે.
સમાધાન—પરમાણુ ભાવ- અવયવાની અપેક્ષાએ એક અવયવ છે અને દ્રવ્ય-અવયવેાની અપેક્ષા નિરવયવ છે. ભગવતી સૂત્રના શતક ૨૦, ઉદ્દેશક પાંચમાં કહ્યું છે—
પ્રશ્ન—ભાવપરમાણું કેટલા પ્રકારના છે ?
ઉત્તર—ગૌતમ ! ચાર પ્રકારના ભાવપરમાણું કહ્યા છે–વણુ વાન. રસવાન, ગધવાન અને સ્પર્શ નવાન.
આ રીતે વદિ રૂપ અવયવેાની અપેક્ષા પરમાણુ પુદ્ગલ દ્રવ્ય પણ ઘણા અવયવાવાળુ સમજવુ જોઇ એ. અજીવેામાં અસ્તિકાય ચાર છે – (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને ભેળવી દેવામાં આવે તે પાંચ અસ્તિકાય થઈ જાય છે. કોઈપણ શાસ્ત્રકારે કાલાસ્તિકાયનું પ્રતિપાદન કર્યું નથી સ્થાનાંગસૂત્રનાં ચેાથા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યુ` છે-ચાર અસ્તિકાય અજીવકાય કહેવામાં આવ્યા છે તે આ છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુર્દૂગલાસ્તિકાય.
ગ્રહણ
પ્રસ્તુત સૂત્રમાં કેવળ ‘અજીવા' એટલું જ કહ્યુ છે આથી ‘અજીવ’ પદ્મથી કાળનુ પણ થઈ જાય છે. ફલિતા એ છે કે ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચ અજીવ છે. એમનામાં પ્રશસ્ત નામ હાવાથી સર્વ પ્રથમ ધર્માંને ગ્રહણ કરવામાં આવેલ છે, પછી ધથી વિરૂદ્ધ અધર્મ ને, ત્યારબાદ લોક હાવાથી તેમના દ્વારા ઘેરાયેલા આકાશને અને તેની પછી અમૂર્ત્તત્ત્વ સમાન હેાવાથી કાળનુ’-ગ્રહણ કરવામાં આવ્યુ` છે. આ સૂત્રના વિશિષ્ટ ક્રમ સન્નિવેશનું પ્રયાજન સમજી લેવુ જોઈએ. ॥ ૧ ॥
'एयाणि दव्वाणि'
મૂળસૂત્રા—આ જ છ દ્રવ્ય છે. ॥ ૨ ॥
તત્વા દીપિકા—આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ અને “ચ” શબ્દથી જીવ બધાં મળીને છ દ્રવ્ય કહેવાય છે. અથ એ છે કે ધર્મ વગેરે પાંચ અને જીવ એ છ દ્રવ્ય છે. અનુયાગદ્વારમાં દ્રવ્યગુણ પ્રકરણમાં કહ્યું છે—
દ્રવ્ય છ કહેવામાં આવ્યા છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુર્દૂગલાસ્તિકાય સ્પુને અધ્યાસમય આ દ્રવ્યનામનું નિરૂપણ થયું. ॥ ૨ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૮૩