Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 322
________________ ૩૦૮ તત્વાર્થસૂત્રનો શિખરી નામક છ વર્ષધર પર્વત છે અર્થાત્ ભરત, હૈમવત, હરિ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરવત આ સાત ક્ષેત્રના ધારક આ છ પર્વત છે : - ભરત આદિ સાત ક્ષેત્રનું વિભાજન કરવાના કારણે આ છ પર્વતે વર્ષધર પર્વત કહેવાય છે. આ પર્વતના જે હિમવાન વગેરે નામ છે તે અનિમિત્તક છે અર્થાત કોઈ વિશેષ કારણથી નથી; આ પર્વત અને તેમના ઉલ્લિખિત નામ પણ અનાદિકાળથી ચાલતા આવ્યા છે. હા, ભરત વગેરે વર્ષો (ક્ષેત્રે)ના વિભાજક હોવાથી એમને વર્ષધર કહે છે. ક્ષુદ્રહિમવાન પર્વત ભરતવર્ષ અને હૈમવતવર્ષની સીમા ઉપર આવેલ છે. તેની ઉંચાઈ સે જનની છે. મહાહિમવાનું પર્વત હૈમવત અને હરિવર્ષને જુદા પાડે છે તેની ઉંચાઈ બસ એજનની છે. નિષધ નામક વર્ષધર પર્વત મહાવિદેહથી દક્ષિણમાં અને હરિવર્ષથી ઉત્તરમાં છે, આ બંનેની મધ્યમાં છે આથી બંનેનો વિભાજક છે એની ઉંચાઈ ચારસો જનની છે. નીલવાન પર્વત મહાવિદેહથી ઉત્તરમાં અને રમ્યકવર્ષથી દક્ષિણમાં છે. તે આ બંને ક્ષેત્રની મધ્યમાં હોવાથી એમને વિભક્ત કરે છે. આ પર્વત પણ ચારસો જન ઉચે છે. રુકિમપર્વત રમકવર્ષથી ઉત્તરમાં અને હૈરણ્યવતથી દક્ષિણમાં છે. બસ એજન ઉચે છે. શિખરિપર્વત હૈરણ્યવતથી ઉત્તરમાં અને અરવતવર્ષથી દક્ષિણમાં છે તેની ઉંચાઈ એકસો જનની છે. બધાં પર્વતની ઉંડાઈ તેમની ઉંચાઈને ચે ભાગ છે. ૨૩ તત્વાર્થનિયુકિત–આ પહેલાં ભારત આદિ સાત ક્ષેત્રનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે તે સાત ક્ષેત્રનું વિભાજન કરનારા હિમવાન્ આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણ માટે કહીએ છીએ તે ભરત આદિ સાતે ક્ષેત્રનો પિતાની સ્વાભાવિક રચના દ્વારા વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા, પિતાના પૂર્વવતી અને પશ્ચિમવત્ત છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શ કરવાવાળા શુદ્રહિમાવાન, મહાહિમવાનું , નિષધ, નીલવાનું, રુકિમ અને શિખરી નામના છ વર્ષધર પર્વત છે. ભરત આદિ સાત વર્ષોના વિભાજક હોવાના કારણે અર્થાત તેમને ઈલાયદા કરનારા હોવાથી તે પર્વત કહેવાય છે તેઓ અનાદિકાળથી ચાલ્યા આવે છે. ભાવાર્થ એ છે કે અગાઉ કહેલાં ભરત આદિ સાતે ક્ષેત્રનું વિભાજન કરવાવાળા હિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવાન, રુકિમ અને શિખરી નામક છ વર્ષધર પર્વત છે. ભરતવર્ષ અને હૈમવત વર્ષની મધ્યમાં હોવાના કારણે ક્ષુદ્રહિમવાનું પર્વત ભરત અને હૈમવતવર્ષનું વિભાજન કરે છે. મહાહિમવાનું પર્વત હૈમવત અને હરિવર્ષના વિભાજક છે. નિષધ પર્વત હરિવર્ષ અને મહાવિદેહની હદ જુદી પાડે છે. નીલવાન પર્વત મહાવિદેહ અને રમ્યકવર્ષને વિભક્ત કરે છે. રુકિમ પર્વત રમ્યકવર્ષ અને હૈરણ્યવત વર્ષને ઈલાયદા કરે છે જ્યારે શિખરી પર્વત હૈરણ્યવત અને રવત ક્ષેત્રની હદોને નોખી પાડે છે આ છે કુલપર્વતોથી જમ્બુદ્વીપમાં સ્થિત ભરત આદિ સાત વર્ષ વિભક્ત થઈ ગયા છે. હવે ક્ષુદ્રહિમવાન આદિ છએ કુલાચલની ઉંડાઈ તથા ઉંચાઈનું પ્રતિપાદન કરીએ છીએ–ક્ષદ્રહિમાવાન પર્વત સે જન ઉંચે છે. બધાં પર્વતની ઊંડાઈ તેમની ઉંચાઈના ચતુર્થાંશ જેટલી હોય છે આથી ક્ષુદ્રહિમવાનની ઊંડાઈ પચ્ચીસ યોજન છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૦૮

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344