Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. સ્કંધાના અધત્વનું' નિરૂપણ સૂ. ૨૮
૧૫૩
તે એકાગુણ અધિક પુદ્ગલેામાં સદૃશ સ્નિગ્ધ પુદ્ગલામાં તથા સદૃશ રૂક્ષ પુદ્લામાં વિશિષ્ટ પરિણમનની શક્તિના અભાવ હાય છે.
એક ગુણુ સ્નિગ્ધ પરમાણુ આદિ પુદ્ગલની અપેક્ષા દ્વિગુણુ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણુ અધિક કહેવાય છે, બે ગુણુ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એકગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલની અપેક્ષા ચતુર્ગુણ સ્નિગ્ધ પરમાણુ પુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે. એવી જ રીતે અનન્તગુણ પુદ્દગલ એક બીજાની અપેક્ષા એક ગુણાધિક સમજી લેવા જોઈએ.
પૂર્વોક્ત દલીલ મુજબ આ સદૃશ પુદ્ગલાને પરસ્પર બંધ થતા નથી. આ રીતે ‘જઘન્યને છેડીને' આ વચન અનુસાર એક ગુણુને છેડીને દ્વિગુણુ પરમાણુ પુદ્ગલના ત્રિગુણ પરમાણુ પુદ્ગલની સાથે બન્ધ થતા નથી. એ જ રીતે ત્રિગુણના ચતુર્ગુણ સાથે બન્ધ થતા નથી ઈત્યાદિ પ્રકારથી શેષ વિપાની યેાજના સ્વયં કરી લેવી જોઈ એ.
આમ એક ગુણુ રૂા પરમાણુ પુદ્ગલ આદિની અપેધ્રા દ્વિગુણુ રૂક્ષ પરમાણુપુદ્ગલ એક ગુણાધિક કહેવાય છે; ગુણુ રૂક્ષતાવાળાની અપેક્ષા ત્રણ ગુણુ રૂક્ષતાવાળા એક ગુણાધિક કહેવાય છે, ત્રણ ગુણુ રૂક્ષની અપેક્ષા ચાર ગુણુ રૂક્ષ એક ગુણાધિક કહેવાય છે એવી જ રીતે અનન્તગુણુ રૂક્ષ એક ગુણાધિક હોય છે આ બધાં સદેશ પુદ્ગલાને પરસ્પર અન્ધ થતા નથી. એમના બન્ધ ન થવાના સંબંધમાં પૂર્વાંકત દલીલ સરખી છે–તે જ તક અત્રે પણ લાગુ પડે છે.
અહીં પણ જઘન્યવજ આ કથન અનુસાર દ્વિગુણના ત્રિગુણ સાથે અન્ધ થતા નથી, ત્રિગુણને ચતુર્થાંણુ સાથે બન્ધ થતા નથી ઈત્યાદિ શેષ વિકલ્પાની યાજના સ્વયં કરી લેવી જોઇ એ પરંતુ પૂર્ણાંકત પ્રકારથી દ્વિગુણુ સ્નિગ્ધના ચતુર્ગુણ સ્નિગ્ધ સાથે બન્ધ થાય છે. ત્રિગુણ સ્નિગ્ધ પુર્દૂગલના પ`ચગુણુ સ્નિગ્ધ પુદ્ગલની સાથે અન્ય થાય છે ઈત્યાદ્રિ રૂપથી આગળ પણ સમજી લેવુ જોઇએ. પ્રજ્ઞાપનાસૂત્રમાં કહ્યું છે –
સ્નિગ્ધ પુદ્ગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલ સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુદ્ગલ સાથે બન્ધ થાય છે સ્નિગ્ધ પુદ્ગલને રૂક્ષ પુદ્ગલ સાથે અન્ય થાય છે ભલે તે સમગુણવાળા હાય અગર વિષમ ગુણવાળા આમાં અપવાદએ જ છે કે જધન્ય ગુણવાળાને
અન્ધ થઈ શકતા નથી.
આ ગાથાના પૂર્વાધ માં પ્રતિપાદ્રિત કરવામાં આવ્યું છે કે જ્યારે સ્નિગ્ધ અગર રૂક્ષ-અસદૃશ પુદ્દગલ હોય તેા બે અંશ અધિક આદિની સાથે બન્ધ થાય છે. આમ સ્નિગ્ધના બે ગુણ અધિક સ્નિગ્ધ સાથે અને રૂક્ષના બે ગુણુ અધિક રૂક્ષની સાથે બન્ધ થવાનુ સિદ્ધ થાય છે અને આ જ ગાથાના ઉત્તરાર્ધથી એ ફલિત થાય છે કે જધન્ય ગુણુથી વર્જિત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલાના તેઓ વિષમ ગુણવાળા હોય કે સમ ગુણવાળા. પરસ્પરમાં બન્ધ થઇ જાય છે.
પ્રશ્ન-જ્યારે પરમાણુ એક ખીજામાં મળે છે તે શુદ્વિપ્રદેશી વિગેરે સ્કન્ધાના આકારમાં પરિણત થાય છે, અથવા પરિમડળ આદિ પાંચ પ્રકારના આકારમાં પરિણત થાય છે ? જે પરમાણુઓમાં સ્પર્શ' આદિ પરિણામ વ્યવસ્થિત જ હાય અગર સ્કન્ધામાં સ્પર્શ આદિ
૨૦
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૫૩