Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૨૬
તત્વાર્થસૂત્રને અગર ચમક કહે છે. તે પણ પીગલિક છે. છત્રી આદિના નિમિત્તથી પ્રતિનિયત દેશમાં પ્રકાશના રકાવાથી ઉત્પન્ન થનારી છાયા પણ પૌદ્ગલિક છે. તે દર્પણ આદિના સંસ્થાન રૂપ પણ હોય છે. - સૂર્યના નિમિત્તથી ઉત્પન્ન ઉષ્ણ પ્રકાશને આતપ કહે છે તે પણ પુદ્ગલાત્મક જ છે. બન્ધ બે પ્રકારનાં છે–પ્રાયોગિક અને વૈસિક. પુરુષના પ્રયત્નથી ઉત્પન્ન થનારા પ્રાયોગિક બંધ બે પ્રકારના છે અજીવ વિષયક અને જીવાજીવ વિષયક. લાખ અને લાકડીનું બંધન અજીવવિષયક છે. જીવાજીવવિષયક બન્ધ જીવની સાથે કર્મ અને કર્મને હેય છે. જે બંધમાં કઈ પુરુષના પ્રયોગની અપેક્ષા હોતી નથી તે સ્વાભાવિક બંધ કહેવાય છે.
વૈસિક (સ્વાભાવિક) બંધ ચીકાસ અને લુખાપણના કારણે થાય છે. વિદ્યુત, ઉલ્કા જળધારા, અગ્નિ અને ઈન્દ્રધનુષ્ય વગેરે તેના દૃષ્ટાંતે છે. આ બધા પ્રકારના બન્ધ પગલિક સમજવા જોઈએ.
સૂમત બે પ્રકારના છે અન્ય અને અપેક્ષિક અનન્ય સૂક્ષ્મત્વ પરમાણમાં હોય છે. આપેક્ષિક વેલ, આંબળા બોર વગેરેમાં. આ બંને જાતના સૂફમત્વ પુગલના જ વિકાર છે.
એવી જ રીતે બાદરત્વ અર્થાત્ સ્થૂલતાના પણ બે ભેદ છે અન્ય અને અપેક્ષિક અન્ય બાદરત્વ સમગ્ર લેકવ્યાપી મહાત્કંધમાં છે. આપેક્ષિક બાદર– બેર, આમળા, બિલ્વ, તાલફળ વગેરેમાં હોય છે. આ બંને પ્રકારના બાદરત પણ પૌગલિક છે.
આકૃતિ અગર આકારને સંસ્થાન કહે છે તેના પણ બે ભેદ છે ઈલ્વસ્થ અને અનિત્થસ્થ. જે આકારના વિષયમાં કહી શકાય કે આ એવું છે તે ઈચૅસ્થ આકાર કહેવાય છે. વર્તુળ, ત્રિકેણ ચતુશ્કેણ, દીર્ઘ પરિમંડપ વગેરે આકાર ઈત્થસ્થ સંસ્થાનના અન્તગત છે. જે આકારમાં કઈ પ્રકારની નિયતતા ન હોય અને જેને પૂર્વોક્ત કેઈ આકારની સંજ્ઞા ન દઈ શકાય તે અનિત્થસ્થ આકાર કહેવાય છે તે મેઘ વગેરેમાં અનેક પ્રકારથી દેખાય છે. આ બંને પ્રકારના સંસ્થાન પૌદૂગલિક છે.
ભેદના પાંચ પ્રભેદ છે (૧) ઉત્કરભેદ (૨) ચૂર્ણભેદ (૩) ખન્તભેદ (૪) ચૂર્ણિકાભેદ (૫) પ્રતરભેદ કરવત વગેરેથી લાકડાં વગેરેને ચીરવા તે ઉત્કર ભેદ, ઘઉં જવું વગેરેને દળીને લેટ બનાવો ચૂર્ણ ભેદ. ઘટ, પટ આદિના ટુકડે ટુકડા થવા તે ખખ્તભેદ છે. અડદ્ મગ વગેરેને ઝીણે ચૂરે છે ચૂર્ણિકાભેદ અબ્રપટલ વગેરેના પડ ના પડ જુદા થવા પ્રતરભેદ છે.
આ રીતે શબ્દ આદિ પૂર્વોક્ત બધા પુદ્દગલ દ્રવ્યના વિકાર છે. સૂત્રમાં પ્રયુક્ત “ચ” શબ્દથી પ્રેરણું અભિધાન આદિ આગમ ઉકત પુળ દ્રવ્યના પરિણામોને ગ્રહણ કરી લેવા જોઈએ.
આ કારણથી શબ્દ ભલે ધાન્યાત્મક હોય, ભલે વર્ણાત્મક તે પુદ્ગલને જ પરિણામપર્યાય છે મૂર્ત હોવાના કારણે તેને પુગળદ્રવ્યનું પરિણામ સમજવું જોઈએ. અને શબ્દ મૂર્ત છે કારણ કે તે અન્ય દ્રવ્યમાં વિકાર ઉત્પન્ન કરવામાં સમર્થ છે જેમકે પિપળો વગેરે.
શંખ વગેરેને અત્યંત તીવ્ર શબ્દ કાને બહેર કરી દે છે. અમૂર્ત આકાશ આદિમાં એવું સામર્થ્ય હોઈ શકતું નથી એવી જ રીતે શબ્દ મૂર્ત છે કારણ કે પર્વતથી ટકરાયેલા પથ્થરની જેમ પાછો ફેંકાય છે. પ્રતિધ્વનિત થાય છે ! આપની જેમ દ્વારનું અનુસરણ કરે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧ ૨૬