________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
વળી વિનિશ્ચય એટલે વિશેષ રીતે—સારી રીતે કરેલા નિય—અચૈત સિદ્ધાંત. આમ જોત આરભમાંત્ર પુનરુક્તિ દીસે છે, પણ તે આ સ્થળે દેષ નથી પણ દૃઢિકરણ માટે છે. મતલબ કે આ ગ્રંથમાં જે જે વાત કહી છે . તે ધણા વિચારપૂર્વક નિશ્ચિત કરેલી છે. એમાં હવે સ ંશય જેવું કંઇજ નથી. એવી વાત તે કયી ? તે ઉત્તરાર્ધમાં કહેછે “શ્રીકૃષ્ણની સેવા સહાય કરવી.” કૃષ્ણ એટલે કૃ કહેતાં ભૂ-સત્–અને ણ એટલે આનંદ અર્થાત્ સદાનંદ પરબ્રહ્મ તેની સેવા હમેશાં કરવી. એ સેવા બે પ્રકારની હેાય છે, એક સાધનરૂપ બીજી ફ્લરૂપ. તેમાં જે ફ્લરૂપ એટલે માનસી સેવા છે તે ઉત્તમ સેવા જાણવી. ૧. चेतस्तत्प्रवणं सेवा तत्सिध्ध्यै तनुवित्तजा ॥ ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् ॥२॥
૧
અર્થ-ભગવચ્ચરણ સાથે ચિત્તનું જે વશવા તેપણું તેનું ના મ સેવા. અને તે સેવાની સિદ્ધિ થવામાટે તનુજા અને વિત્તજા સેવા કરવી. તેથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે. અને બ્રહ્મસ્વરૂપને બાધ થાય છે.
For Private and Personal Use Only
સાર-નિર ંતર શ્રીકૃષ્ણમાંજ આપણા ચિત્તનું જે એકાચપણાથી વશીભૂત થવું તેનું નામ સેવા. મતલબ કે ક્ષણમાત્ર શ્રી હરિચરણથી ચિત્ત દૂર ન જઇ શકે તેવાપણું તેનું નામ સેવા. તે સેવા ક્રમ સિદ્ધ થાય ? તેને માટે ઉપાય કહેછે. એક તનુજા અને બીજી વિત્તા. શરીરથી ખને તે તનુજા અને દ્રવ્યથી બને તે ત્રિત્તજા સેવા. એ કરવાની જરૂર જાણવી કેમકે એ બંને સાધનઃ પ છે, તે થવાથી ફળરૂપ ઉત્તમ માનસી સેવા સિદ્ધ થાય છે, કે જેથી બ્રહ્મસ્વરૂપના ચાગ્ય બાધ કહેલા છે અને જે સેવાથી આ સ ંસાર