Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા પ્રોત્સાહન આપ્યું. તીર્થને ઉદ્ધાર કરવાનો અને પિતા પુત્રે નિશ્ચય કર્યો. તે વખતે પાટણમાં અલ્લાઉદીનનો દઢ પ્રીતિપાત્ર અલપખાન નામે સુબે રહેતો હતો, તેની સાથે સમરસિંહને ગાઢ મૈત્રી હતી. સમરસિંહે તેની પાસેથી ફરમાન મેળવી ચતુર્વિધ સંઘની આજ્ઞા માગી શત્રુંજય તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્રિસંગમપુરના રાજા મહીપાલદેવની અનુજ્ઞાથી તેના તાબાની આરાસણની ખાણમાંથી ફલહી મંગાવી અને તેની આદિજિનની નવીન મૂર્તિનું નિમણુ કરાવી સંઘસહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસરિ પાસે વિ. સં. ૧૩૭૧ માં તેની પ્રતિષ્ઠા કરાવી પુષ્કળ ધનનો વ્યય કર્યો. આ બધી હકીકત નજરે જોયા પછી, બાવીસ વરસના અંતરે વિ. સં. ૧૩૯૩ માં કાંજરોટપુરમાં રહીને તે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કકરિએ પોતે આ પ્રબન્યની રચના કરી છે. તેથી આ પ્રબન્ધનું એતિહાસિક દૃષ્ટિએ પણું મહત્વ છે. આ સંબધે પ્રબન્ધકારના સમકાલીન નિવૃત્તિગચ્છના શ્રીમદેવસૂરીએ સમરારાસુર નામે રાસ ગુજરાતી ભાષામાં રચ્યું છે. જેનો ઉલ્લેખ આ પ્રબધામાં પ્રકારે કરેલો છે. પણ તે રાસ સંક્ષિપ્ત છે અને આ પ્રબન્ધમાં વર્ણવેલી હકીકત વિસ્તૃત છે. આ પ્રબન્ધના પાંચ પ્રસ્તાવ છે અને દરેક પ્રસ્તાવને અન્ત “ તિરગુજ્ઞાથમા રજે પ્રથમ પ્રસ્તાવે.” એવું સમાપ્તિસૂચક વાક્ય છે, તેથી કદાચ આનું નામ “ગુકામથકાવ' એવું પણ હેય. પરંતુ પ્રબન્ધના અને તે વિદ્યામિનપપરના નાભિનવકિના સંપૂળ વાત.' એવો ઉલ્લેખ હેવાથી, આ પ્રબન્ધનું નામ “નાભિનન્દન જિનેદાર પ્રબન્યું એવું રાખ્યું છે. બીજી આવૃત્તિમાં “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ’ નામ રાખ્યું છે. આ પ્રબન્ધની એક પ્રત અમદાવાદ દેશીવાડાની પોળમાં પહેલાના ઉપાશ્રયના ભંડારમાં મેં જોઈ, અને તેને પ્રગટ કરવાથી એતિહાસિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290