________________
૨૧૮
સતી શિરોમણી ચંદનબાળા એમ કહી પદ્માવતી સાધ્વીએ પેલા માંદગીમાંથી ઉઠેલા ભાઈને ઉદેશી પ્રશ્ન કર્યો !
કેમ મારી સલાહ ગળે ઊતરીને! તમો પણ આવો છો ને? સાધ્વીજી સાથે વસુમતી અને રાજવીના વાર્તાલાપથી પિતે આ લેકને પાકો ગુનેગાર અને દુશ્મન છે એ વાતનો ઘટસ્ફોટ થયા વિના રહેવાને નથી. આ ભગવતી એ હકીકત જાણશે ત્યારે એમને કેવું દુઃખ થશે! એ વિચારે એનું હૃદય એટલી હદે ક્ષુબ્ધ થયું હતું કે એ કંઇજ ઉત્તર દઈ ન શકે. એના ચહેરા પર વિળતા નાચી રહી.
એ જોતાં જ પદ્માવતી સાધ્વી કહેવા લાગ્યાં કે–
મહાનુભાવ! તમારું અંતર હા ન ભણતું હોય તો મારા આગ્રહથી ખેંચાઈ આવવાની જરૂર નથી. “ભાવ વિનાની ભક્તિ નકામી છે.”
વસુમતી બોલી–ગુરૂણી માતા ! તેઓ આવવાના જ છે. તેમના કહેવાથી તો અમે આટલા જલદીથી તૈયાર થઈ આવ્યા.
અને એ ભાઈ તરફ નજર કરી કહેવા લાગી—
નાયક ! ચાલો અમારી સાથે. આવો યોગ જીવનમાં કોઈકવાર જ , આવે છે. “અનં ર ગ્રામિ' એ નીતિકારના વાક્યને યાદ કરો. મારે તમારા ઉપકારનું ઋણ પણ ફેડવાનું હોવાથી તમારી હાજરીની જરૂર છે. પછી આ ભવરૂપી મહાસાગરમાં સમુદ્રમાં તરતાં લાકડાં માફક આપણે જુદી જુદી દિશામાં તણાઈ જઈશું ત્યારે સમાગમ કયાંથી થવાનો છે?
ચંદનબાળા ! તું આ મહાશયને ઓળખતી જણાય છે. ચંપા અને શામ્બીના વસવાટમાં તે પણ ઓળખાણની તો હારમાળા રચી દીધી છે. પરિચય અને વસવાટ વિના ઋણ કેવાનું કયાંથી સંભવે ! 1 ગુરૂનું મહારાજ ! આપનું અનુમાન સાચું છે. એ પાછળને
ઈતિહાસ પ્રસંગ પ્રાપ્ત થતાં હું વર્ણવી બતાવીશ. હાલ તે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com