Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 23
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सोलसमं पओगपयं ततगति परूवणं-बंधणच्छेयण परूवणं કામણશરીરકાયપ્રયોગગતિવાળા હોય? હે ગૌતમ! બધાય જીવો (સમુદાયની અપેક્ષાએ) સત્ય મનઃપ્રયોગગતિવાળા - પણ હોય ઈત્યાદિ પૂર્વે કહેલું તેજ કહેવું, ભાંગા પણ તેમજ કહેવા. એમ યાવત્ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે પ્રયોગગતિ કહી. //૬ //૪૬૫// (ટી૦) પ્રયોગ કહ્યો, પ્રયોગના વશથી જીવ અને અજીવની ગતિ થાય છે, માટે ગતિનું નિરૂપણ કરવા માટે કહે છે-“હે ભગવન્! ગતિપ્રપાત કેટલા પ્રકારનો કહ્યો છે' ઇત્યાદિ. ગતિ-ગમન, અથવા પ્રાપ્તિ, અને તે દેશાન્તર-અન્ય દેશની પ્રાપ્તિ અથવા પર્યાયાન્તર-અન્ય અન્ય પર્યાયની પ્રાપ્તિ સમજવી. કારણ કે ધાતનો અર્થ બને અર્થમાં ઘટી શકે છે, અને તે પ્રકારે ગતિશબ્દનો પ્રયોગ પણ બન્ને અર્થમાં દેખાય છે. જેમકે દેવદત્ત ક્યાં ગયો? પાટણ ગયો. વચનમાત્રથી આ કોપને પ્રાપ્ત થયો. આગમમાં પણ બન્ને પ્રકારના પ્રયોગ મળે છે. જેમકે ‘પરમાણુ એક સમયમાં એક લોકાન્તથી બીજા લોકાન્ત સુધી જાય છે, તથા તે તે અધ્યવસાયાન્તરોને પ્રાપ્ત થાય છે. ગતિનો પ્રપાત-પ્રવૃત્તિ, એટલે કયા કયા અર્થમાં ગતિ શબ્દની પ્રવૃત્તિ થાય છે? ભગવાન ઉત્તર આપે છે–ગતિપ્રપાત પાંચ પ્રકારનો છે—‘પ્રયોગતિઃ ' ઇત્યાદિ. પ્રયોગ-જીવવ્યાપાર, અને તે પૂર્વે પંદર પ્રકારનો કહ્યો છે. પ્રયોગરૂપ ગતિ તે પ્રયોગગતિ. અહીં દેશાન્તરપ્રાપ્તિરૂપ ગતિ સમજવી, કારણ કે જીવવડે વ્યાકૃત થયેલા સત્ય મન વગેરેના પુદ્ગલો અલ્પ કે અધિક દેશાન્તર સુધી ગમન કરે છે. 'તતઃ તિઃ' તત-વિસ્તારવાળી ગતિ તે તતગતિ. જેમકે જે ગામ કે સંનિવેશ તરફ દેવદત્ત વગેરેએ ગમન કર્યું હોય અને તે પ્રામાદિ પર્યન્ત હજી સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી માર્ગમાં એક એક પગલું મૂકતાં દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિ હોય છે, માટે તતગતિ કહેવાય છે. અહીં ગતિનો વિષય વિસ્તીર્ણ હોવાથી ગતિને તત-વિસ્તીર્ણ વિશેષણ આપવામાં આવ્યું છે, તેથી આ ગતિ જુદી કહી છે. અન્યથા તેનો પ્રયોગગતિમાં અન્તર્ભાવ થાય છે. કારણ કે પગે ચાલવું તે શરીરના પ્રયોગ-વ્યાપારરૂપ છે. એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ જાણી લેવું. વછેર નોતિઃ' બન્ધનનો છેદ થવાથી ગતિ થાય છે. અને તે જીવથી મુક્ત શરીરની કે શરીરથી મુક્ત જીવની સમજવી. પરન્ત કોશના સંબન્ધનો વિચ્છેદ થવાથી એરંડબીજની ગતિ ને જાણવી, કારણ કે તે વિહાયોગતિના ભેદ તરીકે કહેવામાં વશે. ‘૩૫૫તિ તિઃ' ઉપપાત-પ્રાદુર્ભાવ, ઉત્પત્તિ, અને તે ક્ષેત્ર, ભવ અને નોભવના ભેદથી ત્રણ પ્રકારે છે. જેમકે ક્ષેત્રોપપાત, ભવોપપાત અને નોભવાપાત. તેમાં ક્ષેત્ર-આકાશ, જયાં નારકાદિ જીવો, સિદ્ધો અને પુદ્ગલો રહે છે. ભવ-કર્મના સંબન્ધથી ઉત્પન્ન થયેલો નારકાદિપર્યાય, કારણ કે ‘મવન્તિ મિત્ર' જેમાં કર્મને વશ થયેલાં પ્રાણીઓ ઉત્પન્ન થાય તે “ભવ’ એવી વ્યુત્પત્તિ થાય છે. નોભવ-ભવ રહિત, એટલે કર્મના સંબન્ધથી પ્રાપ્ત થયેલ નારકતાદિપર્યાય-રહિત એ ભાવાર્થ છે. અને તેવા પ્રકારના પુદ્ગલ અથવા સિદ્ધ છે, કારણ કે બન્ને પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવથી રહિત છે. તે રૂપે ઉપપાત–ઉપજવારૂપ ગતિ તે ઉપપાત ગતિ. ૬ll૪૬પી/ || તતગત વરૂવM || से किंतं ततगती? ततगती जे णंजंगामं वा जाव सण्णिवेसंवा संपट्टिते असंपत्ते अंतरापहे वट्टति,सेत्तं ततगती ૨ ટૂ-ગાજદ્દધા. (મૂ4) હે ભગવન્! તતગતિ કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેણે ગામ યાવતું સંનિવેશ તરફ પ્રયાણ કર્યું હોય, પરન્તુ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. ૭ll૪૬૬// || વંધMડેચ પુરૂવUi || से किं तं बंधणच्छेदणगती? बंधणच्छेदणगती जीवो वा सरीराओ सरीरं वा जीवाओ, से त्तं बंधणच्छेदणगती 3 Iકૂ૦-૮૪૬ના (૧૦) બન્ધનછેદનગતિ કેવા પ્રકારની છે? જીવ શરીરથી જુદો પડતા અને શરીર જીવથી જુદું પડતાં બન્ધના છેદનગતિ થાય 14

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 404