SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सोलसमं पओगपयं ततगति परूवणं-बंधणच्छेयण परूवणं કામણશરીરકાયપ્રયોગગતિવાળા હોય? હે ગૌતમ! બધાય જીવો (સમુદાયની અપેક્ષાએ) સત્ય મનઃપ્રયોગગતિવાળા - પણ હોય ઈત્યાદિ પૂર્વે કહેલું તેજ કહેવું, ભાંગા પણ તેમજ કહેવા. એમ યાવત્ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે પ્રયોગગતિ કહી. //૬ //૪૬૫// (ટી૦) પ્રયોગ કહ્યો, પ્રયોગના વશથી જીવ અને અજીવની ગતિ થાય છે, માટે ગતિનું નિરૂપણ કરવા માટે કહે છે-“હે ભગવન્! ગતિપ્રપાત કેટલા પ્રકારનો કહ્યો છે' ઇત્યાદિ. ગતિ-ગમન, અથવા પ્રાપ્તિ, અને તે દેશાન્તર-અન્ય દેશની પ્રાપ્તિ અથવા પર્યાયાન્તર-અન્ય અન્ય પર્યાયની પ્રાપ્તિ સમજવી. કારણ કે ધાતનો અર્થ બને અર્થમાં ઘટી શકે છે, અને તે પ્રકારે ગતિશબ્દનો પ્રયોગ પણ બન્ને અર્થમાં દેખાય છે. જેમકે દેવદત્ત ક્યાં ગયો? પાટણ ગયો. વચનમાત્રથી આ કોપને પ્રાપ્ત થયો. આગમમાં પણ બન્ને પ્રકારના પ્રયોગ મળે છે. જેમકે ‘પરમાણુ એક સમયમાં એક લોકાન્તથી બીજા લોકાન્ત સુધી જાય છે, તથા તે તે અધ્યવસાયાન્તરોને પ્રાપ્ત થાય છે. ગતિનો પ્રપાત-પ્રવૃત્તિ, એટલે કયા કયા અર્થમાં ગતિ શબ્દની પ્રવૃત્તિ થાય છે? ભગવાન ઉત્તર આપે છે–ગતિપ્રપાત પાંચ પ્રકારનો છે—‘પ્રયોગતિઃ ' ઇત્યાદિ. પ્રયોગ-જીવવ્યાપાર, અને તે પૂર્વે પંદર પ્રકારનો કહ્યો છે. પ્રયોગરૂપ ગતિ તે પ્રયોગગતિ. અહીં દેશાન્તરપ્રાપ્તિરૂપ ગતિ સમજવી, કારણ કે જીવવડે વ્યાકૃત થયેલા સત્ય મન વગેરેના પુદ્ગલો અલ્પ કે અધિક દેશાન્તર સુધી ગમન કરે છે. 'તતઃ તિઃ' તત-વિસ્તારવાળી ગતિ તે તતગતિ. જેમકે જે ગામ કે સંનિવેશ તરફ દેવદત્ત વગેરેએ ગમન કર્યું હોય અને તે પ્રામાદિ પર્યન્ત હજી સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી માર્ગમાં એક એક પગલું મૂકતાં દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિ હોય છે, માટે તતગતિ કહેવાય છે. અહીં ગતિનો વિષય વિસ્તીર્ણ હોવાથી ગતિને તત-વિસ્તીર્ણ વિશેષણ આપવામાં આવ્યું છે, તેથી આ ગતિ જુદી કહી છે. અન્યથા તેનો પ્રયોગગતિમાં અન્તર્ભાવ થાય છે. કારણ કે પગે ચાલવું તે શરીરના પ્રયોગ-વ્યાપારરૂપ છે. એ પ્રમાણે બીજે સ્થળે પણ યથાસંભવ જાણી લેવું. વછેર નોતિઃ' બન્ધનનો છેદ થવાથી ગતિ થાય છે. અને તે જીવથી મુક્ત શરીરની કે શરીરથી મુક્ત જીવની સમજવી. પરન્ત કોશના સંબન્ધનો વિચ્છેદ થવાથી એરંડબીજની ગતિ ને જાણવી, કારણ કે તે વિહાયોગતિના ભેદ તરીકે કહેવામાં વશે. ‘૩૫૫તિ તિઃ' ઉપપાત-પ્રાદુર્ભાવ, ઉત્પત્તિ, અને તે ક્ષેત્ર, ભવ અને નોભવના ભેદથી ત્રણ પ્રકારે છે. જેમકે ક્ષેત્રોપપાત, ભવોપપાત અને નોભવાપાત. તેમાં ક્ષેત્ર-આકાશ, જયાં નારકાદિ જીવો, સિદ્ધો અને પુદ્ગલો રહે છે. ભવ-કર્મના સંબન્ધથી ઉત્પન્ન થયેલો નારકાદિપર્યાય, કારણ કે ‘મવન્તિ મિત્ર' જેમાં કર્મને વશ થયેલાં પ્રાણીઓ ઉત્પન્ન થાય તે “ભવ’ એવી વ્યુત્પત્તિ થાય છે. નોભવ-ભવ રહિત, એટલે કર્મના સંબન્ધથી પ્રાપ્ત થયેલ નારકતાદિપર્યાય-રહિત એ ભાવાર્થ છે. અને તેવા પ્રકારના પુદ્ગલ અથવા સિદ્ધ છે, કારણ કે બન્ને પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવથી રહિત છે. તે રૂપે ઉપપાત–ઉપજવારૂપ ગતિ તે ઉપપાત ગતિ. ૬ll૪૬પી/ || તતગત વરૂવM || से किंतं ततगती? ततगती जे णंजंगामं वा जाव सण्णिवेसंवा संपट्टिते असंपत्ते अंतरापहे वट्टति,सेत्तं ततगती ૨ ટૂ-ગાજદ્દધા. (મૂ4) હે ભગવન્! તતગતિ કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેણે ગામ યાવતું સંનિવેશ તરફ પ્રયાણ કર્યું હોય, પરન્તુ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. ૭ll૪૬૬// || વંધMડેચ પુરૂવUi || से किं तं बंधणच्छेदणगती? बंधणच्छेदणगती जीवो वा सरीराओ सरीरं वा जीवाओ, से त्तं बंधणच्छेदणगती 3 Iકૂ૦-૮૪૬ના (૧૦) બન્ધનછેદનગતિ કેવા પ્રકારની છે? જીવ શરીરથી જુદો પડતા અને શરીર જીવથી જુદું પડતાં બન્ધના છેદનગતિ થાય 14
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy