Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 14
________________ છે કેમ ગ મ ન કમ મ મ = VA PAST TER - સંપાદકની વાતો અનાદિ શાશ્વત મહામંત્ર શ્રી નવકાર ! અચિંત્ય ચિંતામણી, કામધેનુ, કલ્પવૃક્ષ વિગેરે અનેક ઉપમાઓથી શોભતા ૬૮ અક્ષરના આ મહામંત્ર પ્રત્યે શ્રધ્ધા, આસ્થા જામે તે માટે તે તે... કાળે અનેક સાધકોચિંતકો એ મહામંત્રના મહિમા વિષે જાપ-સાધના વિષે... પ્રભાવ વિષે... અનેક ભાષાઓમાં ખેડાણ કર્યું છે. વર્તમાન સદી માં પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી અભય સાગરજી મ. એ પણ શ્રી નવકારના જાપ-ધ્યાનસાધના-ચિંતન દ્વારા મેળવેલું અનુભવ જ્ઞાન શ્રીસંઘને આપતા રહ્યા. જેથી મહામંત્રના અજવાળા. અખંડ જ્યોત, આરાધના જ્યોત, મંગલ જ્યોત, નવકાર જ્યોત, મહામંત્રની આરાધના. વિગેરે અનેક પુસ્તકોનું સર્જન થયું અને પૂજ્ય શ્રી નવકારના આરાધકોના રાહબર બન્યા. “અપ્રાપ્ય બનેલા આ પુસ્તકોનું એકીકરણ કરી એક પુસ્તક બને તો શ્રી નવકારના આરાધકોને અતિ | ઉપયોગી બની શકે તેવો વિચાર માનસ પટ પર ઘણા તો સમયથી રમતો...પૂ. આ. દાદા ગુરુદેવશ્રી અશોકસાગર સુરી મ. તથા પૂ. આ.શ્રી જિનચંદ્રસાગર સૂરિ મ. તરફથી આ કાર્ય માટે નિર્દેશન - માર્ગદર્શન મળતું રહ્યું અને શ્રી વસંતભાઇ વૈદ્ય (ઊંઝા ફમસીવાળા) પણ પૂ. ગુરુદેવ શ્રી ના પુસ્તકોનું પુન: પ્રકાશન જરૂરી છે. એ ભાવના વ્યક્ત કરી આ ત્રીવેણી સંગમના અંતે કાર્યનો પ્રારંભ થયો... જેનું પરિણામ આજે તમારા સૌના હાથમાં ઉપસ્થિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 200