________________
() ચેતન-ચેતનાને હિતમિવરૂપ વિવેક સુમતિને સમજાવે છે કે “હે હાલી બહેન! તું ધીરજ રાખ-અતિ ઉતાવળી થઈને તારા પતિને જેમ તેમ ઠપકાભર્યા વેણ ન બેલ. તારે વધારે બેલવાની જરૂર નહીં રહે. થોડા વખતમાં તારા પ્રિય પતિ ચેતનરાય તારા મંદિરમાં જરૂર આવશે અને પછી કાયમ રહેશે. મારાં હિત વચનમાં વિશ્વાસ લાવીને હાલી બહેન ! તું ધીરી થા, અને મારું વચન સફળ થાય એવી ભાવના દીલમાં ધારી રાખ. પતિવિરહ તારા જેવી પતિવ્રતા સ્ત્રીને વધારે સાલે એ સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે તારા પ્રાણનાથ હવે તને વેલાસર મળશે અને તારું કાયમનું દુઃખ ટળશે. (૫) જ સાર –અનાદિ કાળથી ચેતન મેહની લાડકવાયી પુરી કુમતિના ફંડમાં ફસાઈ પિતાની ખરાબી કરી રહ્યો છે. મન અને ઇનિઓને મેકળી મૂકી. વછંદ વર્તનથી વિવેકષ્ટ બની રહ્યો છે. વિવિધ વિષયમાં મ્હાલસતે સાંઢપેરે સૌને તુચ્છ ગણે છે, પરંતુ અતે અનેક પ્રકારની વિડંબના પામી બહુ દુઃખી થાય છે. ક્રોધાદિક કષાયથી અંધ બની ન કરવાના કામ કરે છે, ને ન બોલવાના બેલ બેલે છે, પાપને કે પરભવને ડર રાખતું નથી, એથીજ તેની અધોગતિ થયા કરે છે. તેમાં કટાતાં પીતાં કડવા અનુમવ કરતાં કઈ વખતે જ્ઞાની ગુરૂને હેટો થતાં, તેમને સદુપયેશ લાગવાથી તેને વર્મ ઉપર રૂચિપ્રીતિ ઉત્પન્ન થાય છે, એટલે તે વિષયાંધતા તજી કલ્યાણુરિત્ર રૂપ વિવેકની સોબત કરે છે. તેથી તેનામાં કઇક પાત્રતા આવે છે, એટ ધમરાજાની લ્હાલી પુત્રી સુમતિ તેને વરે છે. અહીંથી તેને ભાગ્યોદય ઠીક થવા માંડે છે. તેનું એકાન્ત હિત-શ્રેય