________________
(૪) ૫દ ૨૦ મું.
( રાગ-આશાવરી ) અનુભવ આનંદ પ્યારે,
અબ મેહે અનુભવ આનંદ પ્યારે; એહ વિચાર ધાર તું જડથી,
કનક ઉપલ જિમ ન્યારે. અબ૦ ૧ બંધહેતુ રાગાદિક પરિણતિ, :
લખ પરપvસહુ ચારે; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ,
ભવસાયરથી તારે. અબ૦ ૨ અર્થ-આત્મા કહે છે કે-હવે મને અનુભવ આનંદજ પ્યારે લાગે છે. જ્ઞાની કહે છે કે હે આત્મા ! તું આ પ્રમા. સેને વિચાર કરીને હવે જડ-પુદગળાથી જેમ બને તેમ શિઘ કનક ને ઉપલ-પથ્થર ને સોનું જેમ જુદું થઈ જાય ને શુદ્ધ સુવર્ણ પ્રગટે તેમ ન્યારે થઈ જઈ તારા આત્મિકગુણરૂપ સુવર્ણને પ્રગટ કર (પ્રાપ્ત કરી. ૧
. હે આત્મા ! રાગાદિક પરિણતિ કર્મબંધના હેતુભૂત છે એમ સમજીને તું પરપક્ષ જે પુદ્ગનિક ભાવ તેથી તેને ત્યારે માન. ચિદાનંદજી મહારાજ કહે છે કે હે પ્રભુ! હવે તે કૃપા કરીને આ ભવસમુદ્રથી મને તારે-પાર ઉતારે આટલી મારી પ્રાર્થના સ્વીકારો. ૨.