________________
(૧૫૦ )
મરવાની શંકા આવતીજ નથી. ૨
મત્સ્ય પાણીમાં મગ્ન થઇને રહે છે. ગમે તેટલું ત્યાં કષ્ટ પડે તા પણ તેનાથી ન્યારૂ' થતું નથી. હંસને માનસરોવરજ આધારભૂત છે, તેથી દૂર છતાં પણ તે ત્યાંજ જાય છે. ચાર અત્યંત અંધકારવાળી રાત્રી જોઈને ખુશી થાય છે અને મયુર વરસાદના ગવર સાંભળીને ખુશી થાય છે. ૩
તેજ પ્રમાણે ચેગી પુરૂષો પ્રણવના ધ્યાનમાં લીન થાય છે. અને સુવર્ણરસને સાધનારા રસ સાધવામાં તત્પર બને છે, વળી કેતકીના પુષ્પમાં અતિશય સુગંધ હાય છે પણ ભ્રમર તેની પાસે જઇને શું મરણુ સંકટ પામતા નથી ? અર્થાત્ જેનું ચિત્ત જ્યાં સ્થિરતા પામે છે તેના મમ્−તેનું કારણ તેા તેજતેનું મનજ જાણે છે. એ રીતે ચિદાનંદજી મહારાજ જિનભક્તિ હૃદયમાં સ્થાપન કરીને મનમાં આનંદ માને છે; કારણ કે તેનું મન પ્રભુની ભક્તિવડેજ પ્રસન્ન થાય છે. ૪-૫
સાર-આ પદમાં અનેક દૃષ્ટાંતા વડે પરમાત્માનું ધ્યાન કેવું તન્મય થઈને કરવું જોઇએ એ બતાવી આપ્યું છે. કુરંગ, ચાતક, પતંગ અને મીનના દૃષ્ટાંત આપી તે જીવા પ્રાણાંત પત પણ પ્રીત નીભાવે છે એમ સિદ્ધ કર્યુ છે. પરંતુ તેમાં અંતરંગ પ્રેમની આવશ્યકતા છે. ત્યારપછી કાને કાને શું શું પ્રિય હાય છે ? તે બતાવી ચિદાનંદજીને પરમાત્માની ભક્તિમાં અપૂર્વ પ્રેમ પ્રગટે છે એમ જણાવી પદ પૂર્ણ કરેલ છે. આખુ પદ્મ ભક્તિભાવ પૂર્ણ છે.
** <