________________
(૧૩૮) ચમકી રહી છે ને મેર એકઠા થઈને આનંદને સર(અવાજ) કરી રહ્યા છે. ૧-૨. " આ વખતે વિરહી સ્ત્રી ઉઠીને અટારીમાં (બારીમાં) નજર કરે છે તે ચોતરફ અંધકાર જણાય છે ને વિરહીજને દુઃખી થઈ રહ્યા દેખાય છે. ૩.
ચિદાનંદજી મહારાજ કહે છે કે-આ મારું એક વાર કહેલું કોડ વાર કહ્યા બરાબર સમજી લેજે. (સુજ્ઞને એક વારજ કહેવું પડે છે.) ૪.
સાર–આ પદમાં પણ વરસાદનું સ્વરૂપ દર્શાવ્યું છે તે જુદી રીતે ઘટી શકવા સંભવ છે. આ આત્મા વિભાવ દશામાંથી કાંઈક સ્વભાવ દશામાં આવેલ છે, તે પાછે વિભાવ દશામાં જવા મન કરે છે તે જાણુંને, વિશુદ્ધ ચેતના આ પ્રમાણેની તેને હિતશિક્ષા આપે છે અને પિતાને વિરહી ચીની સ્થિતિમાં ન મૂક્વા માટે પ્રાર્થના કરે છે. તે વસ્ત્રાદના વખતમાં પતિવિરહવાળી સ્ત્રી વધારે વિરહાતુર બને છે અને માનસિક દુઃખને વિશેષ અનુભવે છે, માટે તેમ ન કરવાની વિશુદ્ધ ચેતનાની પ્રાર્થનાને માટે-પ્રાંતે કહેવામાં આવે છે કે આ એક વાર કહેલું કોડ વાર કહ્યા બરાબર માની લેજે.
પદ ૬૧ મું.
(રાગ–બિહાગ.) પીયા પીયા પીયા, બેલ મત પીયા પીયા પીયા. આ રે ચાતક તુમ શબ્દ સુણત મેરા,
વ્યાકુળ હેત હે જીયા;