________________
(૧૪૭) હદયરૂપ નદીમાં એમના રહેવાથી તેમની સુગંધસમાન તેમનું વિજ્ઞાન મને પ્રાપ્ત થશે અને તે વિજ્ઞાનને પામીને હું તકૂપ થઈ શકીશ. ૧
હવે એકાગ્ર ધ્યાનાદિવડે તકૂપ થવાના સંબંધમાં દરતે બતાવે છે. જુઓ ! કીટ નિરંતર ભ્રમરીનું ધ્યાન કરે છે તે તે ચેકસપણે ભમરી થઈ જાય છે અને પાર્શ્વમણિને સંસર્ગ થવાથી લેહ-લદ્દે સુવર્ણપણાને પામી જાય છે. ૨.
લીંબડા વિગેરેના વૃક્ષે મલયાચળના અથવા મલયાગરના સંસર્ગથી ચંદનપણાને પામી જાય છે અને મીઠાના કયારામાં પડેલી વસ્તુઓને રંગ પલટાઈ જાય છે, તે લુણપણાને પામી જય છે. ૩.
એજ પ્રમાણે સુજાણ એવે યાતા ધ્યાનવડે ધ્યેયની એકતાને પામે છે–ધ્યેયરૂપ બની જાય છે. જુઓ ! કતફળનું ૨ણ મેલને ને જળને જૂદા કરી નાખે છે અને સૂર્ય ઉગે છે ત્યારે અંધકાર પ્રકાશરૂપ થઈ જાય છે. ૪ ( આ પ્રમાણે પુણાલંબનના યોગથી બને છે, પણ અહીં તે નિરાલંબનપણે ધ્યાન કરવાથી આત્મિક સુખના સાધનોની પ્રાપ્તિ થાય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આ અવિચળ એવી કળા એક ક્ષણમાં તે ભવ્ય જીવ પામી શકે છે કે જે પ્રભુના ધ્યાનમાં તલ્લીન બની જાય છે. ૫
સાર–આ સ્તવનમાં પણ રહસ્ય ઘણું છે. અન્યના સંગથી અન્ય સમાન બની જવાના દષ્ટાંતો આપી પરમાત્મા રૂપ કયેયના સંગથી પરમાત્મરૂપ થઈ જવાની તીવ્રશ્ન