________________
(૧૨) સ્થળરૂપવાળા અને સાક્ષાત સમવસરણમાં બીરાજેલા સજીવનમૂર્તિ એવા તીર્થકરેના શરીરને અથવા પાષાણાદિની મૂતિઓને ધ્યેય તરીકે રાખી મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન.
જેમાં કઈ પ્રકારના સ્થૂળ રૂપાદિ લક્ષણે નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઈ તેમાં મનવૃત્તિના અખંડ પ્રવાહને વાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન.
રશૂળ ધ્યાન સિદ્ધ કર્યા વગર સૂક્ષ્મ-નિરાકાર-રૂપાતીત આત્મરવરૂપનું ધ્યાન થઈ શકે નહીં, તેથી પ્રથમ રૂપવાળા સ્થળ ધ્યાન કરવા તે ઉપયોગી છે. તેનાવડે રૂપાતીત ધ્યાને પહોંચી શકાય છે. "
ધ્યાતા–ધ્યાન કરનાર, દયેય-ધ્યાન કરવા લાયક આલંબન અને ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા અથવા જે આલંબનરૂપ ધ્યેય છે તે તરફ અંતરદષ્ટિ કરી તે લક્ષ શિવાય મન બીજું કાંઈપણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતિની એક વૃત્તિને અખંડ પ્રવાહ ચલાવ્યા કરે તેનું નામ ધ્યાન સમજવું.
આ ચારે ધ્યાનનું વિશેષ અને સ્પષ્ટ સ્વરૂપ જાણવાના ઈચ્છકે એગશાસ્ત્ર ભાષાંતરના ૭-૮-૯-૧૦ એ ચાર પ્રકાશ વાંચવા. અહીં તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે.