________________
(૭૧). ખરી રહેણી-કરણી કરવી એ અતિ અનિષ્ટ-કડવી ઝેરજેવી લાગે છે.
૫. જ્યારે જીવ ભાગ્યવશાત્ ખરી રહેણી કરણી કરતાં શિખશે ત્યારે જ તેની સઘળી કથની લેખે આવશે-સફળ થશે. એમ સમજી જ્ઞાન અને કિયારસિક જન નકામી વાતમાં અમૂલ્ય વખતને નહીં ગુમાવતાં સદ્વિવેકયેગે જે કંઈ હિતઆચરણ થઈ શકે તે કરવામાંજ સંતોષ માને છે. ચિદાનંદજી મહારાજ આપણને એવીજ હિતશિક્ષા આપે છે. તે
સારબોધ–ક્રિયા (કરણી વગરનું એકલું જ્ઞાન પાંગળું હેવાથી કાર્ય સાધવાને અશકત થઈ પડે છે અને જ્ઞાન–સમજ વગરની એકલી કિયા જડ જેવી આંધળી લેખાય છે. પાંગળ હોય તે સ્વતંત્રપણે ગતિ કરી ન શકે, તેમ આંધળે પણ કરી ન શકે, પરંતુ જે એકબીજાની સહાય મેળવી શકાય તે જેમ આંધળો અને પાંગળ બંને ક્ષેમકુશળ ઈચ્છિત સ્થાને પહોંચી શકે છે તેમ જ્ઞાન અને ક્રિયાને રૂડે સહગ થવાથી આત્માની ઉન્નતિ સરલતાથી સાધી શકાય છે. તે સિવાય એકલી સમજ વગરની જડ કરણી કે એકલું કરણી વગરનું લુખ્ખું જ્ઞાન સેવવામાત્રથી આત્માની ઉન્નતિ થઈ શકતી નથી. તેથી ઉચિત છે કે આત્માથી ભાઈઓંનેએ જેમ બને તેમ મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથાદિ પ્રમાદને તજી સમ્યગ જ્ઞાન અને સમ્યમ્ આચરણ તરફ અધિક અભિરૂચિ રાખવી. સમાજ સાથે કરેલી શુભ-શુલ કરણીથી જલદી બેડે પાર થાય છે, તે જોઈ જાણી અન્ય મુમુક્ષુ જને પણ તેમ કરવા સહેજે આકર્ષાય છે.