________________
( ૯ ) રહ્યા. બીજા દિવસે ભાવનગર પહોંચ્યા. ગુરુજીને સર્વ વ્યતિકર જણાવ્યું. પ્રત્રજ્યા માટે તીવ્ર આકાંક્ષા જાહેર કરી. મહારાજશ્રીએ પિતાની આજ્ઞા પ્રાપ્ત થતાં સુધી થોભવા જણાવ્યું. ભાવનગરના કુંવરજીભાઈ તથા અમરચંદભાઈ આદિ ગૃહસ્થાને બોલાવી મહારાજશ્રીએ સમજુતીથી માર્ગ કાઢવા સૂચવ્યું. તેઓએ પણ ઠાકરશીભાઈ ઉપર રૂંવા ખડા કરે તેવો પત્ર લખ્યો અને અમીચંદભાઈને કોઈપણ રીતે સમજાવવા આગ્રહ કર્યો.
ઉત્સવમાંથી પાછા ફરી વળામાં આવતાં પિતાએ જાણ્યું કે પોતાની ધારણા ઘળ મળી છે અને પંખી પાંજરામાંથી ઊડી ગયું છે! સે એ વેળા આશ્ચર્ય પામ્યા. ખુદ અમીચંદભાઈને પણ લાગ્યું કે કુંવરજીને સંસારમાં પરાણે રાખવાનો પ્રયાસ નકામે છે. દરમિયાન ભાવનગરથી શેઠ કુંવરજીભાઈને પત્ર મળ્યો એ વાંચી ઠાકરશીભાઈ દેડતાં આવ્યા અને વડિલ ભ્રાતાને રાજીખુશીથી સ્વહસ્તે દીક્ષા આપવાને અણમૂલે કહા લેવા આગ્રહ કર્યો. તેમણે હા ભણી. મુહૂર્ત જોવરાવવામાં આવ્યું અને અમીચંદભાઈએ સહકુટુંબ ભાવનગર જઈ સ્વહસ્તે કુંવરજીને ભાગવતી દીક્ષા અપાવી. આમ ચિરકાળના મનોરથ ધારી કુંવરજી આખરે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના આઠમા ચરણોપાસક કપૂરવિજયજી નામથી સ્થપાયા અને અષ્ટમીના ચંદ્ર સમ તપાગચ્છરૂપ ગગનમાં પિતાને અભ્યાસ, સત્વચારિત્ર અને અમાપ શાંતિથી શોભવા લાગ્યા. વિહારની સામાન્ય રૂપરેખા
મુનિ શ્રી કર્પરવિજ્યજીને પિતા અને ગુરુરૂપી શિરછત્ર દીક્ષા સમય પછી માત્ર બે વર્ષ જ રહ્યું અર્થાત્ ઉભય બે