________________
મતિજ્ઞાનનું વર્ણન
આવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ.
આમાં ઈન્દ્રિય અને વિષયનો સક્નિકર્ષ (સંબંધ) થાય છે પણ કંઈક ? એવું જ્ઞાન થાય તે અર્થાવગ્રહ.
નૈશ્ચયિક અર્થાવગ્રહ એક સમયનો જાણવો. કારણ કે, બીજા સમયથી “તે શું હશે” તેવો વિચાર થાય અને તે ઈહા કહેવાય. ' અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા થાય તેથી છે ભેદ છે. તેમ ઈહા વિગેરેમાં પણ છ ભેદ જાણવા.
ઈહા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ પદાર્થનું “તે શું હશે તેવું વિચારવું તે ઈહા જ્ઞાન. ઈમ્ = વિચારવું.
અપાય - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયનો નિશ્ચય (નક્કી) કરવો. અર્થાત્ આનો સ્પર્શ થયો, આનો સ્વાદ છે, આની ગંધ છે વિગેરે અપાયજ્ઞાન કહેવાય.
ધારણા - ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલ વિષયને ધારી રાખવો-સતત યાદ રાખવો, ફરી યાદ આવવો તે ધારણા મતિજ્ઞાન.
ધારણા મતિજ્ઞાનના અવાજોર (પેટા) ભેદ ત્રણ છે.
(૧) અવિસ્મૃતિધારણા - ઈન્દ્રિય વડે પ્રથમવાર જાણેલ પદાર્થ સતત યાદ રહેવો તે.
(૨) વાસના - જાણેલ, જોયેલ, સમજેલ પદાર્થો ફરી યાદ આવે તેના કારણરૂપ આત્મામાં તેના સંસ્કારો રહેવા તે.
કાળ સંખ્યાતો અથવા અસંખ્યાતો કાળ.
સંખ્યાતો કાળ - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચને પહેલાં નાની વયમાં જોએલ-જાણેલ પદાર્થ પાછલી વયમાં યાદ આવે તે અપેક્ષાએ.
અસંખ્યાતો કાળ - દેવ, નારક, યુગલિક, મનુષ્ય, તિર્યંચોને તે