Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 190
________________ શાતાવેદનીયના આશ્રવ ૧૬૭ (૪) પ્રષઃ પ્રકૃષ્ટ દ્વેષ-આંતરિક દ્વેષ. ત્રણે પ્રત્યે અંતરથી અપ્રીતિ થાય, અંતરમાં પ્રકૃષ્ટ દેષ થાય, અસદ્ભાવ થાય. પંડિતો, જ્ઞાનશાળા, પાઠશાળા વગેરે સંસ્થાઓ સારી નથી, પક્ષપાતી છે. આ રીતે આંતરીક દ્વેષ રાખવાથી, મહેનત કરીને ભણેલ અભ્યાસ ભણાવવામાં કંટાળો-દ્વેષ આવે તે. (૫) અંતરાય ઃ વિધ્ધ કરવું. ભણનારને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, સ્થાન પુસ્તકાદિ મેળવવામાં વિદ્ધ નાંખે, ભણનારને ભણવામાં વિક્ષેપ નાંખે, ભણતી વખતે મોટેથી અવાજ કરીને ચિત્તને ચલિત કરે, કુશાગ્ર બુદ્ધિવાળાને અભ્યાસમાં આગળ વધતો અટકાવે. આ રીતે અંતરાય કરવો તે. (૬) અત્યંત આશાતના : જ્ઞાનીનો અવર્ણવાદ બોલવાથી, અતિશય નિંદા-ટીકા કરવાથી, અવહેલના કરવાથી, પ્રાણાંત કષ્ટ આપવું, હલકાં પાડવાં. આ રીતે અતિશય આશાતના કરવાથી. વિશેષમાં આચાર્ય-ઉપાધ્યાય-સાધુ આદિના અવર્ણવાદ બોલવાથી, અવિનય કરવાથી, અકાલે સ્વાધ્યાય કરવાથી, કાલે સ્વાધ્યાય ન કરવાથી તથા પ્રાણાતિપાત, જુઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનાદિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અને દર્શન-દર્શની અને દર્શનનાં સાધનો પ્રત્યે ઉપર બતાવેલ પ્રવૃત્તિથી દર્શનાવરણીય કર્મ બંધાય. તેમજ અજ્ઞાનતા, રાગાદિ પરિણામ, હિંસા આદિ પાપપ્રવૃત્તિથી તે જ્ઞાનાવરણીય બંધાય અને દર્શનાવરણીય પણ બંધાય. યોગશાસ્ત્ર ટીકા ૩૦૬/ર માં કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212