Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan
View full book text
________________
ગોત્રકર્મના આશ્રવ
૧૭૯ શબ્દાર્થ : અમનિન = અકામ નિર્જરાવાળો, નય = બાંધે છે, IRવો = આસક્તિ વિનાનો, મજુદું = અશુભ નામને.
ગાથાર્થ : અવિરતસમ્યક્રદૃષ્ટિ આદિ બાલતપસ્વી, અકામ નિર્જરાવાળો દેવાયુષ્ય બાંધે છે.
સરલ અને ગારવરહિત હોય તે શુભ નામકર્મને બાંધે છે. તેનાથી વિપરીત હોય તે અશુભ નામકર્મને બાંધે છે. તે પ૯ છે.
વિવેચન : દેવાયુષ્યના આશ્રવ :
(૧) અવિરતસમ્યગદષ્ટિ આદિ શબ્દથી દેશવિરતિ મનુષ્ય-તિર્યંચ, પ્રમત્તસંયત્ત, અપ્રમત્તસંયમ મનુષ્ય.
(૨) અકામ નિર્જરા-દેખાદેખીથી-ગતાનુગતિક-ઈચ્છા વિના સારા ભાવથી તપ કરનાર-ઠંડી-ગરમી, ભૂખ વિગેરે કષ્ટ સહન કરનાર.
(૩) શુભ લેગ્યા-તેજો-પ-શુક્લ લેશ્યાના પરિણામવાળો દેવાયુષ્ય
બાંધે
શુભ નામકર્મના આશ્રવ : (૧) સરળતા ગુણવાળો-કપટ રહિત, મન-હૃદય-વાણીવાળો. (૨) ગારવરહિત - ત્રણ ગારવ રહિત. (૧) રસ ગારવ-ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ રહિત
(૨) ઋદ્ધિગારવ-ધન-સંપત્તિમાં આસક્ત ન રહે, એટલે વારંવાર તેને મેળવવાના ઉપાયો ન વિચારે, સંપત્તિ ગણવામાં આસક્ત ન રહે.
(૩) શાતાગારવ-સુખના સાધનોમાં અનાસક્તપણે રહે છે.
નામકર્મની ગતિ જાતિ આદિમાંની તથા ત્રસાદિ અને પ્રત્યેકની શુભ પ્રકૃતિનો બંધ કરે.

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212