________________
૮૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ કષાયમોહનીયકર્મ : सोलस कसाय नव नोकसाय, दुविहं चरित्तमोहणीयं । अण-अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥ १७ ॥
શબ્દાર્થ : વરિત્તમોદણીયં ચારિત્રમોહનીય, મનુ=અનંતાનુબંધી.
ગાથાર્થ સોળકષાય અને નવનો કષાય એમ ચારિત્ર મોહનીયકર્મ બે પ્રકારે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર પ્રકારે કષાય મોહનીય છે. / ૧૭ | - વિવેચન : દર્શનમોહનીય કર્મ પછી ચારિત્રમોહનીય કર્મનું વર્ણન આ પ્રમાણે - ચારિત્ર મોહનીયકર્મ મુખ્ય બે પ્રકારે અને ઉત્તરભેટે ૨૫ પ્રકારે છે.
બે પ્રકારે ચારિત્રમોહનીય કર્મ : (૧) કષાય ચારિત્ર મોહનીય કર્મ (૨) નોકષાય ચારિત્ર મોહનીય કર્મ. (૧) ચારિત્ર મોહનીય કર્મ :
(૧) જે કર્મના ઉદયથી જીવ સમ્યક્ એટલે સારું આચરણ કરવાની ઈચ્છા હોવા છતાં પણ ન કરી શકે તેને ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે.
(૨) ચય-આઠકર્મનો સમૂહ, ચિત્ત-ખાલી કરે, બાળે, તે ચારિત્ર તેવા પરિણામને રોકે તે ચારિત્રમોહનીય.
કષાય ચારિત્રમોહનીય : ષ = સંસાર, મા = વૃદ્ધિ જેનાથી સંસારની વૃદ્ધિ થાય, પરિભ્રમણ વધે, ભવની પરંપરા વધે તે કષાય મોહનીય. (૨) પં મર્યાન્તિ ( ત્તિ) મિ: નન્તવઃ – પ્રાણીઓ જેનાથી સંસારને પામે-મેળવે છે. કષાય ચારિત્ર મોહનીય કર્મના કુલ ૧૬ ભેદ છે. જેના અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ