Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 158
________________ વર્ણાદિનામકર્મ ૧૩૫ (૨) દુરભિગંધ નામકર્મ : જેના ઉદયથી શરીરમાં અથવા અવયવોમાં લસણ-ડુંગળી જેવી ખરાબ ગંધ થાય તે દુરભિગંધ નામકર્મ છે. રસનામકર્મ : (૧) આસ્વાદ્યતે રૂતિ રસ: (૨) જે આસ્વાદ કરાય તે રસ. જેના ઉદયથી શરીરમાં અને શરીરના અવયવોમાં તિક્ત (કડવો) વિગેરે રસ પ્રાપ્ત થાય તે રસ નામકર્મ તે પાંચ પ્રકારે છે. (૧) તિક્તરસ નામકર્મ : શરીરમાં અથવા લોહી આદિ ધાતુઓમાં લીમડા જેવો કડવો રસ થાય તે તિક્તરસ નામકર્મ છે. (૨) કટુરસ નામકર્મ : શરીરમાં અથવા સાત ધાતુઓમાં મરચાં જેવો તીખો રસ થાય તે કટુરસ નામકર્મ છે. (૩) કષાયરસ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં ત્રિફળા જેવો તૂરો રસ થાય તે કષાયરસ નામકર્મ છે. (૪) આમ્બરસ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં આમલી જેવો ખાટો રસ થાય તે આમ્લ૨સ નામકર્મ છે. (૫) મધુર૨સ નામકર્મ : શરીરમાં અને સાત ધાતુઓમાં સાકર જેવો મીઠો મધુર રસ થાય તે મધુર રસ નામકર્મ છે.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212