Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 170
________________ ૧૪૭. પ્રત્યેકપ્રકૃતિનું વર્ણન તીર્થકર નામકર્મના ઉદયથી ત્રણ ભુવનને વિશે પૂજનીય થાય છે. તેનો ઉદય શ્રી કેવળજ્ઞાની ભગવંતોને હોય છે. મેં ૪૭ | વિવેચન : અગુરુલઘુનામકર્મ : જેના ઉદયથી જીવોને પોતાનું શરીર ન ભારે (અગુરુ) -ન હલકું (ન લઘુ) ન ગુરુલઘુ (ન ભારે હલકું) પરંતુ અગુરુલઘુરૂપે પરિણમન થાય. એટલે જીવને પોતાનું શરીર ભારે પણ ન લાગે અને હળવું પણ ન લાગે. અર્થાત્ શરીરમાં વજન વધે કે ઘટે છતાં તેનો અનુભવ પોતાને ન જણાય તે અગુરુલઘુ નામકર્મ છે. જોકે દરેક પ્રાણીને પોતાના શરીરના વજનમાં વધારો-ઘટાડો થાય તો પણ તેનો અનુભવ જીવને ચાલવામાં બેસવામાં-ઉઠવામાં થતો નથી. બીજું વજન ઊંચકવામાં કષ્ટ અનુભવાય છે, પરંતુ શરીરના વજનમાં ફેરફાર થાય તો પણ તેનો અનુભવમાં ખ્યાલ આવતો નથી. વળી કેટલાક સ્થલ (ભારે) શરીરવાળા જીવોને પોતાનું શરીર બેસવા ઉઠવામાં તકલીફવાળું અનુભવાય તે ઉપઘાત નામના ઉદયથી થાય છે. તેમજ એક જીવને અગુરુલઘુ તેમજ ગુરુસ્પર્શ અને લઘુસ્પર્શ નામકર્મનો પણ ઉદય સાથે જ હોય છે. છતાં દરેકનું ફળ જુદું છે. કારણ કે હાથ-પગ-મસ્તક આદિ અવયવોમાં ગુરુસ્પર્શ નામકર્મ અને પાંપણવાળ-જીભ-હોઠ આદિ અવયવોમાં લઘુસ્પર્શ નામકર્મ અને આખા શરીરની અપેક્ષાએ અગુરુલઘુ નામકર્મ જાણવું. તીર્થકર નામકર્મ : સર્વશ્રેષ્ઠતમકક્ષાની પુણ્ય પ્રકૃત્તિ : જે કર્મના ઉદયથી આઠ પ્રાતિહાર્યાદિ ૩૪ અતિશયો ઉત્પન્ન થાય, ત્રણ ભુવનમાં પૂજનીયપણું-માર્ગદર્શકપણું મળવું તે તીર્થંકર નામકર્મ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212